Sabarkantha

સાબરકાંઠા: હિંમતનગર-પ્રાંતિજ હાઈવે પર જોગણી માતાના મંદિરમાં ચોરી, દાનપેટીમાંથી ₹10000 રોકડ લઈ બે યુવકો ફરાર

By GS Team
11 Jul 20261 min read
TukuTouch Logo
સાબરકાંઠાના હિંમતનગર-પ્રાંતિજ હાઈવે પર દલપુર નજીક આવેલા જોગણી માતાના મંદિરમાં ચોરી થઈ છે. 10 જુલાઈની મધ્યરાત્રિએ 2 અજાણ્યા યુવકોએ દાનપેટી તોડી આશરે 10 હજાર રૂપિયાની રોકડ ચોરી કરી હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. પોલીસે ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી ભક્તોમાં રોષ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાબરકાંઠા: હિંમતનગર-પ્રાંતિજ હાઈવે પર જોગણી માતાના મંદિરમાં ચોરી, દાનપેટીમાંથી ₹10000 રોકડ લઈ બે યુવકો ફરાર

Sabarkantha News: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરથી પ્રાંતિજ હાઈવે પર દલપુર નજીકના જાણીતા જોગણી માતાના મંદિરમાં ચોરીની ઘટના મામલે સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. જોગણી માતાના મંદિરમાં અજાણ્યા બે યુવકોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પવિત્ર ધાર્મિક સ્થળ પર થયેલી ચોરીને પગલે સ્થાનિક રહીશો અને દર્શનાર્થીઓમાં ભારે રોષની લાગણી વ્યાપી ગઈ છે.

હિંમતનગર-પ્રાંતિજ હાઈવે પર જોગણી માતાના મંદિરમાં ચોરી

પ્રાપ્ત વિગતો મુજબ, ગત 10 જુલાઈની મધ્યરાત્રિએ બે અજાણ્યા યુવકો મંદિરના પરિસરમાં પ્રવેશ્યા હતા. આ તસ્કરોએ મંદિરમાં રાખવામાં આવેલી દાન પેટીને તોડ્યા બાદ તેમાંથી આશરે દશેક હજાર રૂપિયા જેટલી રોકડ રકમની ચોરી કરીને બંને યુવકો ચાલાકીપૂર્વક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચો: ચાંદીપુરા વાયરસથી સાબરકાંઠામાં હાહાકાર: હિંમતનગરમાં શંકાસ્પદ લક્ષણોથી વધુ 1 માસૂમનું મોત, કુલ આંકડો 5 થયો, 1 બાળક ગંભીર

ચોરીની સમગ્ર ઘટના મંદિરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જેમાં સીસીટીવી ફૂટેજમાં બંને યુવકો દાન પેટી તોડતા અને રોકડ રકમની ચોરી કરતા સ્પષ્ટપણે નજરે પડે છે. આ ઘટના અંગેની જાણ થતાં જ સ્થાનિક પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની ઓળખ કરવા અને તેમને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.