Dharm

જન્માષ્ટમીએ જાણી લો પૂજાના મૂહુર્ત, કેમ રોહિણી નક્ષત્રમાં જ ઉજવાય છે આ તહેવાર?

By GS Team
3 Sep 20262 mins read
TukuTouch Logo
ભાદરવા મહિનાની અષ્ટમી તિથિએ શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર 4 સપ્ટેમ્બરે ઉજવાશે. આ વર્ષે જયંતી યોગમાં આવતી જન્માષ્ટમીનો શુભ સંયોગ બની રહ્યો છે, જેમાં પૂજા રાત્રે 11:26 થી 12:11 સુધી 46 મિનિટ માટે થશે. રોહિણી નક્ષત્ર, વૃષભ રાશિ અને વૃષભ લગ્નનો સુભગ સુમેળ થતા, આ ઉત્સવ ભારે હર્ષોલ્લાસથી મનાવાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

જન્માષ્ટમીએ જાણી લો પૂજાના મૂહુર્ત, કેમ રોહિણી નક્ષત્રમાં જ ઉજવાય છે આ તહેવાર?

Krishna Janmashtami: ભાદરવા મહિનાના અષ્ટમી તિથિના દિવસે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વખતે તિથિને લઈને કોઈ અસમંજસ નથી. તમને જણાવી દઈએ કે, અષ્ટમી તિથિની શરૂઆત 3 સપ્ટેમ્બરે મોડી રાત્રે 1:33 વાગ્યે થઈ ગઈ છે અને તે 4 સપ્ટેમ્બરે રાત્રે 12:13 વાગ્યા સુધી રહેશે. આવી સ્થિતિમાં ઉદયા તિથિમાં અષ્ટમી 4 સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે. દેશના ઘણા મોટા મંદિરોમાં આ જ દિવસે પૂજા કરવામાં આવી રહી છે. આ વર્ષે પૂજાનું મૂહુર્ત રાત્રે 11:26 વાગ્યાથી રાત્રે 12:11 વાગ્યા સુધી રહેશે, આમ તમને પૂજા માટે 46 મિનિટનો સમય મળશે.

આ વર્ષે કયા શુભ યોગ બની રહ્યા છે?

ઉત્થાન જ્યોતિષ અને અધ્યાત્મ સંસ્થાનના નિયામક પં. દિવાકર ત્રિપાઠી પૂર્વાંચલીનું માનીએ તો આ વર્ષે જન્માષ્ટમી જયંતી યોગમાં ઉજવાઈ રહી છે. તમને જણાવી દઈએ કે, જન્માષ્ટમીનો શુભ સંયોગ ત્યારે બને છે જ્યારે ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ હોય, રોહિણી નક્ષત્ર, વૃષભ રાશિ અને મધ્યરાત્રિએ વૃષભ લગ્નનો શુભ સંયોગ હોય. આ વખતે આ તમામ બાબતો મળી રહી છે. તેથી જન્માષ્ટમીનો તહેવાર હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવશે.

કેમ રોહિણી નક્ષત્રમાં ચંદ્રની પૂજા થાય છે?

તમને જણાવી દઈએ કે, રોહિણી નક્ષત્ર ચંદ્રનું સૌથી પ્રિય નક્ષત્ર છે, તે તેમની પત્ની પણ છે. તેથી રોહિણી નક્ષત્ર પસંદ કર્યું. ચંદ્રદેવે ભગવાન સમક્ષ ઈચ્છા વ્યક્ત કરી હતી કે જ્યારે તેમના વંશમાં નારાયણ અવતાર લે ત્યારે તેઓ તેમના દર્શન કરી શકે. આ અભિલાષા પૂરી કરવા માટે નારાયણે રાત્રિના સમયે કૃષ્ણના રૂપમાં અવતાર લીધો. શ્રીમદ્ભાગવત અને અન્ય ધર્મગ્રંથોમાં ઉલ્લેખ મળે છે કે મધ્યરાત્રિએ જે સમયે પૃથ્વી પર કૃષ્ણ અવતાર થયો, તે જ સમયે આકાશમાં ચંદ્રદેવ પ્રગટ થયા અને દર્શન કર્યા. જોકે તે સમયે વાદળો ઘેરાયેલા હતા.

જન્માષ્ટમી પર કેવી છે ગ્રહોની સ્થિતિ

જન્માષ્ટમી પર દેવગુરુ બૃહસ્પતિ પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં રહેશે. ગ્રહોના રાજા સૂર્યદેવ પોતાની સ્વરાશિ સિંહમાં બિરાજમાન રહીને શુભ પરિણામ પ્રદાન કરશે. સૌભાગ્ય, કલા, સૌંદર્ય અને પ્રેમનો કારક ગ્રહ શુક્ર પોતાની રાશિ તુલામાં બિરાજમાન રહીને આ દિવસનું મહત્વ વધારશે. આ દિવસે જયંતી યોગ પણ છે અને તેમાં કરવામાં આવેલી પૂજા અને ધ્યાન અક્ષય ગણું ફળ પ્રદાન કરે છે. કાન્હાના જન્મ પર રાત્રે તેમને સ્નાન કરાવીને માખણ-મિશ્રીનો ભોગ ધરાવવો જોઈએ, શંખ વગાડવો જોઈએ અને લડ્ડુ-ગોપાલના શણગારમાં મોરપંખ, વાંસળી, વૈજયંતીના ફૂલો કે બીજમાંથી બનેલી માળા, ચાંદીની ઝાંઝર પણ અર્પણ કરવી જોઈએ. જેઓ આ દિવસે વ્રત રાખે છે તેઓ પારણાં 5 સપ્ટેમ્બરે સવારે 6 વાગ્યે કરશે.