Get The App

જમ્મુ-કાશ્મીર : ઉધમપુરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, જૈશ-એ-મોહમ્મદના બે આતંકી ઘેરાયા

Updated: Feb 3rd, 2026

GS TEAM

Google News
Google News
જમ્મુ-કાશ્મીર : ઉધમપુરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, જૈશ-એ-મોહમ્મદના બે આતંકી ઘેરાયા 1 - image


Jammu Kashmir Terrorist Attack : જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે આજે વહેલી સવારથી જ સામસામે ગોળીબાર શરુ થયો છે. ઉધમપુરના મજલતા અને જોફડ-રામનગર વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળ્યા બાદ સેના અને પોલીસ દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરુ કરી દેતાં સમગ્ર વિસ્તાર છાવણીમાં ફેરવાઈ ગયો છે.

જૈશના આતંકીઓ હોવાની શક્યતા

સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, સુરક્ષા દળોએ જૈશ-એ-મોહમ્મદના બે આતંકવાદીઓને ઘેરી લીધા છે. આ આતંકીઓ તે જ જૂથનો ભાગ હોવાનું મનાય છે જે અગાઉ ત્રણની સંખ્યામાં હતા. અહેવાલો મુજબ, ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં આ જૂથનો મુખ્ય આતંકી ઝુબેર અલગ થઈ ગયો હતો અને હવે બાકીના બે આતંકીઓ આ વિસ્તારમાં સક્રિય હોવાની આશંકા છે.

આ પણ વાંચો : રાહુલ ગાંધીના સમર્થનમાં લોકસભામાં હોબાળો, અધ્યક્ષ તરફ પેપર ફેંકનારા સાંસદો સસ્પેન્ડ

સઘન સર્ચ ઓપરેશન ચાલુ

આતંકીઓ રહેણાંક વિસ્તારમાં ઘૂસી ન જાય તે માટે સુરક્ષા દળોએ અત્યંત સાવચેતી સાથે ઓપરેશન હાથ ધર્યું છે. સમગ્ર મજલતા વિસ્તારની નાકાબંધી કરી દેવામાં આવી છે અને વધારાની ટુકડીઓને ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. સેનાના ઉચ્ચ અધિકારીઓ આ ઓપરેશન પર સીધી નજર રાખી રહ્યા છે.

આ પણ વાંચો : યુક્રેન પર રશિયાનો વિનાશક હુમલો : 450 ડ્રોન, 70 મિસાઈલો ઝીંકતા 1100 બિલ્ડિંગોને અસર, 5 રાજ્યોમાં અંધારપટ