India

તમિલનાડુમાં TVK-કોંગ્રેસ વચ્ચે સમાધાન: કોંગ્રેસનો દાવો- CM વિજયે રાહુલ ગાંધીને PM પદના ઉમેદવાર માન્યા

By GS Team
1 Sep 20262 mins read
TukuTouch Logo
તામિલનાડુમાં TVK અને કૉંગ્રેસના ગઠબંધન વચ્ચે રાજકીય હડકંપ મચ્યો છે. કૉંગ્રેસ ધારાસભ્ય દળના નેતા થારાહાઈ કથબર્ટે દાવો કર્યો કે CM સી. જોસેફ વિજયે રાહુલ ગાંધીને PM પદના યોગ્ય ઉમેદવાર માન્યા છે. કથબર્ટે સ્પષ્ટ કર્યું કે કૉંગ્રેસ સ્વતંત્ર પક્ષ છે અને TVK ને આધીન નથી. તેમણે રાહુલ ગાંધી સામેની FIR ને ભાજપની નિરાશા ગણાવી, અને 2029 માં રાહુલ ગાંધી PM બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

તમિલનાડુમાં TVK-કોંગ્રેસ વચ્ચે સમાધાન: કોંગ્રેસનો દાવો- CM વિજયે રાહુલ ગાંધીને PM પદના ઉમેદવાર માન્યા

Tamil Nadu Politics TVK Alliance : તામિલનાડુમાં શાસક પક્ષ TVK અને કૉંગ્રેસ વચ્ચે ગઠબંધનને લઈને ચાલી રહેલી અટકળો વચ્ચે કૉંગ્રેસ ધારાસભ્ય દળના નેતા થારાહાઈ કથબર્ટે પાર્ટીનું વલણ સ્પષ્ટ કર્યું છે. તેમણે દાવો કર્યો હતો કે તામિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે રાહુલ ગાંધીને ગઠબંધન તરફથી વડાપ્રધાન પદના યોગ્ય ઉમેદવાર માન્યા છે. વિજયના નામને લઈને વડાપ્રધાન પદ માટે થઈ રહેલી સ્થાનિક ચર્ચાઓને તેમણે માત્ર કાર્યકરોનો ઉત્સાહ ગણાવ્યો હતો અને તેને પાર્ટીના સત્તાવાર નિર્ણયથી અલગ ગણાવ્યો હતો.

કૉંગ્રેસ સ્વતંત્ર પક્ષ, TVK ને આધીન નથી

થારાહાઈ કથબર્ટે પત્રકારો સાથેની વાતચીતમાં સ્પષ્ટ કર્યું હતું કે કૉંગ્રેસ એક લોકશાહી અને સ્વતંત્ર સંગઠન તરીકે કામ કરે છે, તે TVK ના નેતૃત્વ હેઠળ કે તેના આધીન થઈને કામ કરતી નથી. અગાઉ તામિલનાડુના મંત્રી એસ. રાજેશ કુમાર અને ઉચ્ચ શિક્ષણ મંત્રી પી. વિશ્વનાથને નિવેદન આપ્યું હતું કે જો TVK 2029 ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીને PM પદના ઉમેદવાર તરીકે સ્વીકારશે નહીં, તો કૉંગ્રેસના મંત્રીઓ રાજ્ય મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દેશે.

રાહુલ ગાંધી સામેની FIR અંગે ભાજપ પર સાધ્યું નિશાન

ઉત્તરાખંડના હલ્દવાનીમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સામે નોંધાયેલી FIR અંગે પ્રતિક્રિયા આપતાં કથબર્ટે તેને ભાજપની રાજકીય નિરાશા ગણાવી હતી. તેમણે દાવો કર્યો હતો કે જનતા વચ્ચે રાહુલ ગાંધીની વધી રહેલી સ્વીકાર્યતા અને લોકપ્રિયતાથી ભાજપ ગભરાયેલું છે. તેમણે દાવો કર્યો હતો કે દેશની જનતાના સમર્થનથી 2029 માં રાહુલ ગાંધી જ દેશના આગામી વડાપ્રધાન બનશે.

વિધાનસભામાં સીટ બદલાવા અંગે સ્પષ્ટતા

રાજ્ય વિધાનસભામાં પોતાની બેઠક બદલાવા અંગે થારાહાઈ કથબર્ટે સ્પષ્ટતા કરી હતી કે તે એક સામાન્ય પ્રક્રિયાત્મક પગલું હતું. 13 ઓગસ્ટના રોજ તેમને તામિલનાડુ વિધાનસભામાં કૉંગ્રેસ ધારાસભ્ય દળના નેતા નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 31 ઓગસ્ટના રોજ તેમને આગળની હરોળમાં બેઠક ફાળવવામાં આવી હતી. આ ફેરફાર પ્રક્રિયા મુજબનો છે અને તેનો કોઈ રાજકીય અર્થ કાઢવો યોગ્ય નથી.