India

સત્તા જતાં જ નેતાઓએ મોં ફેરવી લીધું! મમતા બેનર્જીની બેઠકમાં 41માંથી માત્ર 5 જ સાંસદો પહોંચતા ખળભળાટ

By GS Team
5 Jun 20262 mins read
TukuTouch Logo
તૃણમૂલ કોંગ્રેસ (TMC)ની સ્થાપના પછી તે અત્યાર સુધીની સૌથી મોટી કટોકટીનો સામનો કરી રહી છે. પરિસ્થિતિ એવી છે કે, પક્ષના વર્તમાન સાંસદો અને ધારાસભ્યો તો ઠીક, પૂર્વ સાંસદો અને પૂર્વ ધારાસભ્યો પણ મમતા બેનર્જીની બેઠકમાં બોલાવવા છતાં હાજર રહ્યા નહોતા. મમતા બેનર્જી વિધાનસભા ચૂંટણી હારી જતાં જ તેમના નેતાઓ તેમનાથી દૂર થવા લાગ્યા છે. ધારાસભ્યો બાદ હવે સાંસદોએ પણ તેમને મોટો ઝટકો આપ્યો છે. મમતા બેનર્જીએ આજે એક મહત્વની બેઠક બોલાવી હતી, પરંતુ 41 માંથી માત્ર 5 સાંસદો જ ત્યાં પહોંચ્યા હતા. લોકસભામાં તૃણમૂલ કોંગ્રેસના કુલ 29 સાંસદો છે, જેમાંથી 1 સાંસદનું અવસાન થયું હોવાથી હવે, લોકસભામાં કુલ 28 સાંસદો બચ્યા છે. આ 28 સાંસદોમાંથી માત્ર 3 સાંસદો જ મમતાની બેઠકમાં આવ્યા હતા. બીજી તરફ, રાજ્યસભામાં પક્ષના કુલ 13 સાંસદો છે, જેમાંથી માત્ર બે જ સાંસદો મમતા બેનર્જીની બેઠકમાં હાજર રહ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

સત્તા જતાં જ નેતાઓએ મોં ફેરવી લીધું! મમતા બેનર્જીની બેઠકમાં 41માંથી માત્ર 5 જ સાંસદો પહોંચતા ખળભળાટ

TMC Political Crisis : તૃણમૂલ કોંગ્રેસ(TMC)ની સ્થાપના પછી તે અત્યાર સુધીની સૌથી મોટી કટોકટીનો સામનો કરી રહી છે. પરિસ્થિતિ એવી છે કે, પક્ષના વર્તમાન સાંસદો અને ધારાસભ્યો તો ઠીક, પૂર્વ સાંસદો અને પૂર્વ ધારાસભ્યો પણ મમતા બેનર્જીની બેઠકમાં બોલાવવા છતાં હાજર રહ્યા નહોતા. મમતા બેનર્જી વિધાનસભા ચૂંટણી હારી જતાં જ તેમના નેતાઓ તેમનાથી દૂર થવા લાગ્યા છે. ધારાસભ્યો બાદ હવે સાંસદોએ પણ તેમને મોટો ઝટકો આપ્યો છે. મમતા બેનર્જીએ આજે એક મહત્ત્વની બેઠક બોલાવી હતી, પરંતુ 41માંથી માત્ર 5 સાંસદો જ ત્યાં પહોંચ્યા હતા. લોકસભામાં તૃણમૂલ કોંગ્રેસના કુલ 29 સાંસદો છે, જેમાંથી 1 સાંસદનું અવસાન થયું હોવાથી હવે, લોકસભામાં કુલ 28 સાંસદો બચ્યા છે. આ 28 સાંસદોમાંથી માત્ર 3 સાંસદો જ મમતાની બેઠકમાં આવ્યા હતા. બીજી તરફ, રાજ્યસભામાં પક્ષના કુલ 13 સાંસદો છે, જેમાંથી માત્ર બે જ સાંસદો મમતા બેનર્જીની બેઠકમાં હાજર રહ્યા હતા.

લોકસભાના આ સાંસદો હાજર રહ્યા

અભિષેક બેનર્જી (સાંસદ)

કલ્યાણ બેનર્જી (સાંસદ)

માલા રોય (સાંસદ)

રાજ્યસભાના આ સાંસદો હાજર રહ્યા

ડેરેક ઓ બ્રાયન (સાંસદ)

ડોલા સેન (સાંસદ)

બીજી તરફ, આ વખતે તૃણમૂલ કોંગ્રેસના કુલ 80 ધારાસભ્યો જીત્યા છે. જેમાંથી બાગી (બળવાખોર) જૂથમાં 58 ધારાસભ્યો સામેલ છે (જેમાં પક્ષમાંથી હાંકી કઢાયેલા 2 ધારાસભ્યો પણ છે). આ સિવાય બચેલા 22 ધારાસભ્યોમાંથી એક ધારાસભ્યની પોલીસે અગાઉથી જ ધરપકડ કરેલી છે. મમતા બેનર્જીને આશા હતી કે બાકીના 21 ધારાસભ્યો તો તેમની બેઠકમાં ચોક્કસ આવશે, પરંતુ અહીં પણ મમતા બેનર્જીને મોટો ઝટકો લાગ્યો છે. તેમની આ બેઠકમાં માત્ર 8 ધારાસભ્યો જ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં પહોંચેલા આ 8 ધારાસભ્યો

મદન મિત્રા (ધારાસભ્ય)

બીના મંડલ (ધારાસભ્ય)

આશિમા પાત્રા (ધારાસભ્ય)

ફિરહાદ હકીમ (ધારાસભ્ય)

કુણાલ ઘોષ (ધારાસભ્ય)

શોભનદેબ ચટ્ટોપાધ્યાય (ધારાસભ્ય)

બિમન બેનર્જી (ધારાસભ્ય)

અશોક દેબ (ધારાસભ્ય)

આટલું જ નહીં, મમતા બેનર્જીથી તેમના પૂર્વ ધારાસભ્યોએ પણ અંતર જાળવવાનું શરૂ કરી દીધું છે. આ બેઠકમાં પૂર્વ ધારાસભ્યોને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા, પરંતુ તેમાંથી પણ માત્ર 3 જ જણા પહોંચ્યા હતા. મમતા બેનર્જીને કદાચ અંદાજ પણ નહીં હોય કે પૂર્વ ધારાસભ્યો પણ હવે તેમની બેઠકથી દૂરી બનાવી લેશે.

બેઠકમાં હાજર રહેલા પૂર્વ ધારાસભ્યો 

બિમન બેનર્જી (પૂર્વ અધ્યક્ષ, પૂર્વ ધારાસભ્ય)

ચંદ્રિમા ભટ્ટાચાર્ય (પૂર્વ ધારાસભ્ય)

રાજીવ બેનર્જી (પૂર્વ ધારાસભ્ય)

એક સમય એવો હતો જ્યારે મમતા બેનર્જીને મળવા માટે તેમના મંત્રીઓ પણ તરસતા રહેતા હતા, અને પૂર્વ ધારાસભ્યો કે સાંસદો માટે મુલાકાત લેવી એ બહુ મોટી વાત ગણાતી હતી. આજે સત્તા ગુમાવતાની સાથે જ પૂર્વ ધારાસભ્યો અને સાંસદોએ પણ તેમનાથી મોં ફેરવી લીધું છે. આ ઘટનાક્રમ પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, પક્ષમાં બહુ મોટા પાયે ભંગાણ પડવા જઈ રહ્યું છે.