India

'આ મોટી જીત...' ભારત-બ્રિટન વચ્ચે આજથી FTA લાગુ થતાં પીયૂષ ગોયલે ગણાવ્યા ફાયદા

By GS Team
15 Jul 20262 mins read
TukuTouch Logo
ભારત અને બ્રિટન વચ્ચે આજે બુધવારથી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) લાગુ થયો છે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે તેને ભારત-બ્રિટન સંબંધોમાં મહત્વપૂર્ણ પડાવ ગણાવ્યો. આ કરારથી ભારતના લગભગ 99% નિકાસને ઝીરો-ડ્યુટી માર્કેટ એક્સેસ મળશે. ટેક્સટાઈલ, લેધર, જેમ્સ એન્ડ જ્વેલરી જેવા ઉદ્યોગોને ફાયદો થશે. ભારત-બ્રિટન વચ્ચેનો વેપાર 2030 સુધીમાં બમણો કરવાનો લક્ષ્યાંક છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'આ મોટી જીત...' ભારત-બ્રિટન વચ્ચે આજથી FTA લાગુ થતાં પીયૂષ ગોયલે ગણાવ્યા ફાયદા

India-UK FTA: ભારત-બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ આજે બુધવારથી લાગુ થઈ ગયો છે. જ્યાં બ્રિટિશ સરકાર તરફથી આ India-UK FTAને ભારત સાથે અત્યાર સુધીનો સૌથી મોટો વેપાર કરાર ગણાવવામાં આવ્યો, તો બીજી તરફ કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે આ એફટીએને ભારત-બ્રિટન સંબંધોમાં એક મહત્વપૂર્ણ પડાવ ગણાવતા આ ડીલને એક મોટી આર્થિક કૂટનૈતિક જીત કહી છે. આ સાથે જ તેમણે ભારત-યુકે FTA(ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ)ના ફાયદા પણ ગણાવ્યા છે.

વિકાસ અને રોકાણને વેગ આપશે કરાર

પીયૂષ ગોયલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ કરતા લખ્યું-

તેમણે પોતાની પોસ્ટમાં બ્રિટિશ સમકક્ષ પીટર કાઇલ અને આ એફટીએ પર વાતચીત કરનારી બંને ટીમોનો આભાર માનતા કહ્યું કે, આપણે સાથે મળીને એક મજબૂત અને ઇનોવેશન-આધારિત ભાગીદારી બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ, જે આવનારી પેઢીઓ માટે વિકાસ, રોકાણ અને સહિયારી સમૃદ્ધિને પ્રોત્સાહન આપશે.

image.png

ભારતીય નિકાસને મળ્યો ઝીરો-ડ્યુટી એક્સેસ

પીયૂષ ગોયલે પોતાની પોસ્ટમાં India-UK FTA ના ફાયદા પણ ગણાવ્યા અને લખ્યું કે, આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી ભારતના લગભગ 99% એક્સપોર્ટ માટે ઝીરો-ડ્યુટી માર્કેટ એક્સેસ મળી ગયું છે, જેમાં ટ્રેડ વેલ્યુનો લગભગ 100% હિસ્સો સામેલ છે.

કેન્દ્રીય મંત્રીએ ગણાવ્યા કરારના ફાયદા

  • બ્રિટન સાથેનો આ વેપાર કરાર આપણા ટેક્સટાઈલ, લેધર, જેમ્સ એન્ડ જ્વેલરી, એન્જિનિયરિંગ સામાન, દરિયાઈ પ્રોડક્ટ્સ, કેમિકલ્સ, પ્રોસેસ્ડ ફૂડ, MSME, ખેડૂતો અને ઉત્પાદકો માટે મોટી તકો ઊભી કરે છે. આ સાથે જ તે આપણા IT, પ્રોફેશનલ, ફાઇનાન્સિયલ, એજ્યુકેશન અને બિઝનેસ સર્વિસ સેક્ટર માટે પણ નવા રસ્તાઓ ખોલે છે.
  • સોશિયલ સિક્યોરિટી પરનો કરાર બંને દેશો વચ્ચેની આ ભાગીદારીને વધુ મજબૂત કરે છે. આ કરાર કામચલાઉ અસાઇનમેન્ટ પર કામ કરતા ભારતીય વ્યાવસાયિકોને 5 વર્ષ સુધી બેવડા સોશિયલ સિક્યોરિટી કન્ટ્રિબ્યુશનમાંથી મુક્તિ આપે છે, જેનાથી ભારતીય વર્કફોર્સની વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધે છે.

ભારતે શું ખોલ્યું અને શું સેફ કર્યું?

ઉલ્લેખનીય છે કે ભારતે એફટીએ દ્વારા બ્રિટનમાં થતી પોતાની મોટાભાગની નિકાસ પર શુલ્ક-મુક્ત પહોંચ મેળવી લીધી છે, તો બીજી તરફ તેણે પોતાની 89.5% ટેરિફ લાઈનો ખોલી છે, જે બ્રિટિશ નિકાસના 91% હિસ્સાને કવર કરે છે. જો કે, બ્રિટનની નિકાસના માત્ર 24.5% હિસ્સાને જ તાત્કાલિક ટેરિફ ફ્રી પહોંચ મળશે. તેમણે ડેરી, અનાજ, બાજરી, કઠોળ, ખાદ્ય તેલ, સફરજન, સોનું, આભૂષણો, લેબ પ્રોડ્યુસ્ડ હીરા, સ્માર્ટફોન, ઓપ્ટિકલ ફાઈબર, મહત્વપૂર્ણ ઉર્જા ઉત્પાદનો અને દરિયાઈ જહાજો જેવા સંવેદનશીલ ક્ષેત્રોને આ યાદીમાંથી બહાર રાખ્યા છે. ભારત અને બ્રિટન વચ્ચેનો વ્યાપાર હાલમાં 56 અબજ ડોલરનો છે, બંને દેશોનો લક્ષ્યાંક 2030 સુધીમાં તેને બમણો કરવાનો છે.