વિશ્વની સૌથી મોટી પાર્ટીને ઝુકાવી દીધી... ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ વિપક્ષમાં 'ક્રેડિટ' લેવાની રેસ, જુઓ કોણે શું કહ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Opposition Leader's Reaction On Education Minister Dharmendra Pradhan Resignation : કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ રાજીનામા બાદ વિપક્ષી નેતાઓની ભારે પ્રતિક્રિયાઓ સામે આવી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા, સપા અધ્યક્ષ અખિલેશ યાદવ, આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમ સહિત અનેક નેતાઓએ આ મુદ્દે નિવેદનો આપ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ આ રાજીનામાને 'સંયુક્ત વિપક્ષની જીત' ગણાવી છે.
પ્રધાનનું રાજીનામું એ સંયુક્ત વિપક્ષની જીત : ખડગે
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge)એ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે આ કરોડો યુવાનો અને સત્યની જીત છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, 'ભારતના છાત્રોનો અવાજ અહંકારી સત્તા સુધી પહોંચી ગયો છે. આ સંયુક્ત વિપક્ષની જીત છે જેણે સડકથી લઈને સંસદ સુધી અવાજ ઉઠાવ્યો.' તેમણે પીએમ મોદી પાસે યુવાનોની માફી માંગવાની અને પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ તેમજ પેલેટ ગન ચલાવનારા પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
પ્રિયંકા ગાંધી અને અખિલેશ યાદવે યુવાનોને અભિનંદન પાઠવ્યા
વાયનાડના કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra)એ આ રાજીનામાને આંદોલન કરી રહેલા યુવાનોની જીત ગણાવતાં કહ્યું કે, 'દેશ તાનાશાહીથી નહીં ચાલે અને યુવાનોનો અવાજ દબાવી શકાય નહીં.'
જેન-જીએ વિશ્વની સૌથી મોટી પાર્ટીને ઝુકાવી : અખિલેશ
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે (Akhilesh Yadav) જણાવ્યું કે, 'Gen-Zએ પોતાની તાકાત બતાવીને વિશ્વની સૌથી મોટી પાર્ટીને ઝુકાવી દીધી છે. સરકારે હવે પેપર લીક ન થાય તે માટે બોધપાઠ લેવો જોઈએ અને રસ્તો શોધવો જોઈએ.'
અરવિંદ કેજરીવાલે લોકશાહીની મોટી જીત ગણાવી
આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) દેશના યુવાનોને અભિનંદન આપતાં કહ્યું કે, લોકોનો લોકશાહી પરથી વિશ્વાસ ઉઠી રહ્યો હતો, પરંતુ આ સંઘર્ષે સરકારના અહંકારને ઝુકાવ્યો છે. તેમણે આશા વ્યક્ત કરી કે સરકાર હવે એવી વ્યવસ્થા કરશે જેથી ભવિષ્યમાં NEET નું પેપર લીક ન થાય.
પી. ચિદમ્બરમની પ્રતિક્રિયા
પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમે (P. Chidambaram) રાજીનામાનું સ્વાગત કરતાં આશા વ્યક્ત કરી કે આનાથી સ્થિતિ શાંત થશે અને સંસદમાં મૂળભૂત મુદ્દાઓ પર ચર્ચાનો માર્ગ ખુલશે.
મોડેથી પણ આખરે મુક્તિ મળી : પવન ખેડા
કોંગ્રેસ નેતા અને રાજ્યસભા સાંસદ પવન ખેડા (Congress Pawan Khera)એ કહ્યું કે 'મોડેથી પણ આખરે મુક્તિ મળી.'
મોદી સરકારના અહંકારની પહેલી હાર : RJD
RJD નેતા અને રાજ્યસભા સાંસદ મનોજ કુમાર ઝા (Manoj Kumar Jha)એ એક વીડિયો જાહેર કરીને કહ્યું કે આ મોદી સરકારની હઠધર્મિતા અને અહંકારની પહેલી હાર છે, જે છાત્રોના જોશને કારણે શક્ય બની છે.
સુપ્રિયા સુલના વિદ્યાર્થીઓને અભિનંદન
શરદ પવાર જૂથના નેતા અને બારામતીના સાંસદ સુપ્રિયા સુલે (Supriya Sule)એ વિરોધ કરનારા વિદ્યાર્થીઓને અભિનંદન આપતાં કહ્યું કે, માત્ર રાજીનામું પૂરતું નથી પરંતુ સંસદમાં NEET મુદ્દે વિગતવાર ચર્ચા અને શૈક્ષણિક સુધારા થવા જોઈએ.
આ ઉપરાંત આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહ (Sanjay Singh), કોંગ્રેસ નેતા રાજીવ શુક્લા (Rajeev Shukla) અને રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલે (Kapil Sibal) પણ પ્રતિક્રિયા આપી હતી. સંજય સિંહે તેને યુવા શક્તિની જીત ગણાવી, રાજીવ શુક્લાએ તેને એકતાની જીત કહી અને કપિલ સિબ્બલે વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ તેમજ ટીયર ગેસના ગોળા અને પેલેટ ગનનો વિરોધ નોંધાવ્યો હતો.









