India

CJPની 3 માંગણીઓ, સરકારની લેખિત ગેરંટી અને 5 પોઈન્ટ ચાર્ટર... આ શરતો પર આંદોલન સમેટાયું

By GS Team
25 Jul 20262 mins read
TukuTouch Logo
સરકારે CJPની 3 મુખ્ય માંગણીઓ સ્વીકારતા દિલ્હીમાં ચાલતું આંદોલન સમેટાયું છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા, પ્રદર્શનકારીઓ સામેના કેસો પાછા ખેંચવા અને NEET પેપર લીક બાદ આત્મહત્યા કરનારા પરીક્ષાર્થીઓના પરિવારોને 1 કરોડ વળતરની માંગણીઓ પર સહમતિ સધાઈ. સરકારે લેખિત ખાતરી આપી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

CJPની 3 માંગણીઓ, સરકારની લેખિત ગેરંટી અને 5 પોઈન્ટ ચાર્ટર... આ શરતો પર આંદોલન સમેટાયું

CJP End Delhi Protest After Govt Accepts 3 Demand : કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અને વિરોધ પ્રદર્શનકારીઓ સામે નોંધાયેલી એફઆઈઆર પાછી ખેંચવા સહિતની તમામ મુખ્ય માંગણીઓ પર સરકાર સાથે સહમતિ બન્યા બાદ કોકરોચ જનતા પાર્ટી (CJP)એ દિલ્હીના જંતર-મંતર પર ચાલી રહેલું આંદોલન પાછું ખેંચવાની જાહેરાત કરી છે. સરકાર અને CJPના પ્રતિનિધિઓ વચ્ચે ત્રણ તબક્કાની વાટાઘાટો બાદ આ નિર્ણય લેવાયો છે. CJPનું આ આંદોલન 6 જૂનના રોજ શરૂ થયું હતું.

CJPની મુખ્ય માંગણીઓ અને સરકારનો નિર્ણય

CJPની ત્રણ મુખ્ય માંગણીઓ હતી - કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, પ્રદર્શનકારીઓ અને આયોજકો સામે નોંધાયેલા તમામ કાનૂની કેસો પાછા ખેંચવા અને NEET પેપર લીક બાદ આત્મહત્યા કરનારા પરીક્ષાર્થીઓના પરિવારોને 1 કરોડ રૂપિયાનું વળતર આપવું. સરકાર વતી કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને ડૉ. જીતેન્દ્ર સિંહ જ્યારે CJP વતી સૌરવ દાસ અને આશુતોષ રાંકા વાટાઘાટોમાં સામેલ હતા.

કેસો પાછા ખેંચવા અને લેખિત ખાતરી

CJPના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે જણાવ્યું કે સરકારે દિલ્હી તેમજ ભાજપ અને સહયોગી રાજ્યોમાં નોંધાયેલી તમામ FIR રદ કરવાની માંગ સ્વીકારી લીધી છે. દિલ્હીમાં નોંધાયેલી 15થી 20 FIRની નકલો 3થી 4 દિવસમાં મળી જશે. CJPએ ભવિષ્યમાં કોઈ કાર્યવાહી ન કરવા અંગે પણ લેખિત આશ્વાસન માંગ્યું હતું, જે અંગે સરકારે મંગળવાર સુધીમાં લેખિત ગેરંટી આપવાનો ભરોસો આપ્યો છે.

શૈક્ષણિક સુધારા માટે 5 પોઈન્ટ ચાર્ટર અને વળતર

ચર્ચા દરમિયાન CJPએ પરીક્ષા પદ્ધતિમાં સુધારા માટે 5 પોઈન્ટનું ચાર્ટર સરકારને સોંપ્યું હતું. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ આ ચાર્ટરનો અભ્યાસ કરીને 4 સપ્તાહ પછી આગળની ચર્ચા કરવા કહ્યું છે. આ ઉપરાંત, NEET વિવાદ સંબંધિત આત્મહત્યાના કિસ્સામાં પીડિત પરિવારોને નિયમો હેઠળ મહત્તમ શક્ય સન્માનજનક વળતર આપવા પણ સરકાર સહમત થઈ છે. CJPએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ સરકાર નિર્ધારિત સમયસીમામાં તમામ વચનો પૂરા કરશે તેવી આશા સાથે આંદોલન સમાપ્ત કરી રહ્યા છે.