India

મોદી સરકારમાં ઉથલપાથલના સંકેત, ગડકરીનું ખાતું બદલાય એવી ચર્ચા, 17 નવા ચહેરાને મળશે ચાન્સ!

By GS Team
2 Sep 20262 mins read
TukuTouch Logo
મોદી કેબિનેટ વિસ્તરણની ચર્ચા તેજ બની છે. 2027 વિધાનસભા અને 2029 લોકસભા ચૂંટણીના સમીકરણો ધ્યાને રાખી સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં મોટા ફેરફારો થશે. 16-17 નવા યુવા ચહેરાઓને સ્થાન મળશે, જ્યારે નબળું પ્રદર્શન કરનારા કેટલાક સિનિયર મંત્રીઓની છૂટ્ટી થશે. અશ્વિની વૈષ્ણવને પ્રમોશન અને નીતિન ગડકરીના મંત્રાલયમાં ફેરબદલની શક્યતા છે. હાલ 12 મંત્રી પદ ખાલી છે, જે ભરવામાં આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

મોદી સરકારમાં ઉથલપાથલના સંકેત, ગડકરીનું ખાતું બદલાય એવી ચર્ચા, 17 નવા ચહેરાને મળશે ચાન્સ!

Modi Cabinet Expansion 2026 : ભાજપ સંગઠનની નવી ટીમના ગઠન બાદ હવે મોદી સરકારના કેબિનેટ વિસ્તાર અને ફેરબદલ અંગે રાજકીય વર્તુળોમાં ચર્ચા ઘેરી બની છે. 2027ની આગામી વિધાનસભા ચૂંટણીઓ જેમ કે ઉત્તર પ્રદેશ, પંજાબ, ગોવા) અને 2029ની લોકસભા ચૂંટણીના રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળમાં મોટા પાયે ઓવરહોલિંગ થઈ શકે છે. આ ફેરબદલમાં 16થી 17 નવા અને યુવા ચહેરાઓને સ્થાન મળી શકે છે. જ્યારે નબળું પ્રદર્શન કરનારા કેટલાક સીનિયર મંત્રીઓની રજા થઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરની કેબિનેટ બેઠકમાં મંત્રીઓના ગ્રાઉન્ડ કનેક્ટ અને પરફોર્મન્સ પર ખાસ ભાર મૂક્યો હતો.

અશ્વિની વૈષ્ણવનું પ્રમોશન અને નીતિન ગડકરીના મંત્રાલયમાં ફેરફાર

અટકળો અનુસાર, વર્તમાન રેલ્વે, માહિતી અને પ્રસારણ તેમજ આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવની શાનદાર કામગીરીને કારણે તેમને પ્રમોશન આપીને કેબિનેટના ટોપ 5 મંત્રીઓમાં સામેલ કરવામાં આવી શકે છે. બીજી તરફ, રોડ ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીના મંત્રાલયમાં ફેરબદલની શક્યતાઓ સેવાઈ રહી છે. E-20 ઇંધણ અને અન્ય વિવાદો વચ્ચે તેમના મંત્રાલયનો બોજ ઓછો કરીને નવો વિભાગ સોંપવામાં આવી શકે છે. કેબિનેટ વિસ્તારમાં કેટલાક એવા મંત્રીઓના નામ પણ બાદ થઈ શકે છે જેની કોઈને કલ્પના પણ નહીં હોય.

14 મંત્રીઓ પાસે એકથી વધુ વિભાગ, 12 જગ્યાઓ ખાલી

હાલમાં કેબિનેટના 14 મંત્રીઓ એવા છે જેમની પાસે એક કરતાં વધુ મંત્રાલયોનો ભાર છે. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પ્રહ્લાદ જોશીને શિક્ષણ મંત્રાલયનો વધારાનો પ્રભાર સોંપાયો છે, જે બહુ મોટું મંત્રાલય છે. બંધારણીય જોગવાઈઓ મુજબ કેન્દ્રીય મંત્રીમંડળમાં મહત્તમ 81 મંત્રીઓ હોઈ શકે છે, જેની સામે હાલમાં માત્ર 69 મંત્રીઓ છે. આ હિસાબે 12 મંત્રી પદ હાલમાં ખાલી છે, જેને નવા અને ભાજપના સાથી પક્ષોના ચહેરાઓથી ભરવામાં આવશે.

ચૂંટણી લક્ષી સમીકરણો અને વિપક્ષની નજર

મંત્રીમંડળનો આ ફેરબદલ સપ્ટેમ્બર કે ઑક્ટોબર મહિનામાં જન્માષ્ટમીની આસપાસ યોજાઈ શકે છે. આ વિસ્તારમાં મહિલાઓ, Gen-Z, યુવાનો અને આગામી ચૂંટણી ધરાવતા રાજ્યોને મોટું પ્રતિનિધિત્વ આપવાની યોજના છે. કૉંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષ પણ આ કેબિનેટ ફેરબદલ પર બારીકાઈથી નજર રાખી રહ્યો છે. વિપક્ષ એ જોવા ઉત્સુક છે કે સરકાર કયા સામાજિક સમીકરણો ગોઠવે છે અને કયા નેતાઓની જવાબદારી બદલે છે.