Get The App

યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનો આ યોગ્ય સમય છે: મુસ્લિમ મહિલાઓના હક મામલે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી

Updated: Mar 10th, 2026

GS TEAM

Google News
Google News
યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનો આ યોગ્ય સમય છે: મુસ્લિમ મહિલાઓના હક મામલે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી 1 - image

Supreme Court on UCC: સુપ્રીમ કોર્ટે મંગળવારે સમાન નાગરિક સંહિતા (યુનિફોર્મ સિવિલ કોડ, UCC) પર મહત્વપૂર્ણ ટિપ્પણી કરતાં કહ્યું છે કે, દેશમાં હવે આ વિષયને પેન્ડિંગમાંથી ધ્યાનમાં લેવાનો સમય આવી ગયો છે, જો કે કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે શરિયા કાયદાની ધારાઓને રદ કરવા જેવા સંવેદનશીલ મુદ્દા પર અંતિમ નિર્ણય લેવાનો સંસદ પાસે અધિકાર છે. 

મુસ્લિમ મહિલાઓ સાથે ભેદભાવ

મામલાની સુનાવણી મુખ્ય જસ્ટિસ સૂર્યકાંતની અધ્યતાવાળી પીઠ કરી રહી છે, જેમાં જોયમાલ્યા બાગચી અને આર. મહાદેવન પણ સામેલ હતા. પીઠ 1937ના મુસ્લિમ પર્સનલ લો(શરિયા) કાયદો, 1937ની કલમોને પડકારતી અરજી પર કોર્ટ સુનાવણી કરી રહી હતી. જેમાં તેને મુસ્લિમ મહિલાઓ પ્રતિ ભેદભાવપૂર્ણ બતાવવામાં આવ્યું છે. 

મહિલાઓ અંગે કોર્ટે વ્યક્ત કરી ચિંતા

સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, જો ન્યાયલય શરિયા કાયદાના બંધારણ સંબંધિત જોગવાઈઓને રદ કરે છે, તો તે કાનૂની શૂન્યાવકાશ પેદા કરી શકે છે, કેમ કે મુસ્લિમ બંધારણને નિયંત્રિત કરવાવાળો કોઈ અન્ય કાયદો અમલમાં નથી.  મુખ્ય જસ્ટિસ સૂર્યકાંતની અધ્યતાવાળી પીઠે ટાંક્યું કે, સુધારા માટે ખોટી ઉતાવળ કરી આવું પગલું લેવું યોગ્ય નથી, જેનાથી મહિલાઓને વર્તમાનમાં મળે છે તેનાથી પણ ઓછા અધિકાર મળે. તેમણે પૂછ્યું કે જો શરિયા કાયદો સમાપ્ત થઈ જાય તો તેના સ્થાન પર કઈ વ્યવસ્થા લાગુ કરશો?

'સંસદ આ બાબતે નિર્ણય લે તે યોગ્ય રહેશે'

સુનાવણી દરમિયાન ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચીએ કહ્યું કે, અરજીમાં ભેદભાવપૂર્ણ મુદ્દો ખૂબ જ મજબૂત છે, સંસદ માટે આ બાબતે નિર્ણય લેવો વધુ યોગ્ય રહેશે, કારણ કે બંધારણના રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતોમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની જવાબદારી ધારાસભાને આપવામાં આવી છે.

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા ચહેરાઓને અપાશે તક

કોર્ટએ બાબત પર ભાર મૂક્યો હતો કે ભૂતકાળમાં પણ અનેકવાર ન્યાયતંત્ર દ્વારા સંસદને સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવા અંગે વિચારણા કરવાની ભલામણ કરવામાં આવી છે. પીઠના મતે, સામાજિક અને વ્યક્તિગત કાયદાઓમાં વ્યાપક સુધારા લાવવા માટે કાયદાકીય પ્રક્રિયા જ સૌથી યોગ્ય માર્ગ છે. આ સુનાવણી દરમિયાન, એડવોકેટ પ્રશાંત ભૂષણે દલીલ કરી હતી કે કોર્ટે એવી જાહેરાત કરી શકે છે કે મુસ્લિમ મહિલાઓને પણ પુરુષો સમાન જ ઉત્તરાધિકાર મળવો જોઈએ. તેમણે વધુમાં તર્ક આપ્યો હતો કે જો શરિયા કાયદાની વિવાદિત કલમો હટાવવામાં આવે, તો આવા કિસ્સાઓમાં ભારતીય ઉત્તરાધિકાર અધિનિયમ લાગુ કરી શકાય છે.