India

હોબાળો બંધ કરો, વિદ્યાર્થીઓનું ભવિષ્ય પહેલી પ્રાથમિકતા, એન્ટિ-પેપર લીક બિલ મામલે કેન્દ્ર સરકારની વિપક્ષને અપીલ

By GS Team
27 Jul 20262 mins read
TukuTouch Logo
કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજીજુએ વિપક્ષને 'પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઑફ અનફેયર મીન્સ) અમેન્ડમેન્ટ બિલ, 2026' પર ચર્ચા કરવા અપીલ કરી છે. લોકસભામાં રજૂ થયેલું આ બિલ વિદ્યાર્થીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા અને પરીક્ષા પ્રણાલીને મજબૂત બનાવવા માટે છે. રિજીજુએ જણાવ્યું કે, PM મોદીએ પેપર લીક રોકવા ટાસ્ક ફોર્સ બનાવી છે. જો સંસદમાં ચર્ચા નહીં થાય તો યુવાનોમાં ખોટો સંદેશ જશે.

Summarized by AI; it may make mistakes. Check important info

હોબાળો બંધ કરો, વિદ્યાર્થીઓનું ભવિષ્ય પહેલી પ્રાથમિકતા, એન્ટિ-પેપર લીક બિલ મામલે કેન્દ્ર સરકારની વિપક્ષને અપીલ

Kiren Rijiju Anti Paper Leak Bill : કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજીજુએ સોમવારે વિપક્ષને અપીલ કરી છે કે તેઓ ગૃહને સુચારુ રૂપે ચાલવા દે અને પરીક્ષા સુધારણા બિલ પર વિસ્તૃત ચર્ચામાં ભાગ લે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, પ્રસ્તાવિત કાયદો દેશના વિદ્યાર્થીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા અને પરીક્ષા પ્રણાલીને વધુ મજબૂત તથા પારદર્શક બનાવવા માટે લાવવામાં આવ્યો છે.

પબ્લિક એક્ઝામિનેશન્સ અમેન્ડમેન્ટ બિલ 2026

લોકસભામાં સોમવારે વિપક્ષી બેન્ચોના જોરદાર સૂત્રોચ્ચાર અને હોબાળા વચ્ચે 'પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઑફ અનફેયર મીન્સ) અમેન્ડમેન્ટ બિલ, 2026' રજૂ કરવામાં આવ્યું હતું. ગૃહની કાર્યવાહી સ્થગિત થયા બાદ પત્રકારો સાથે વાત કરતાં રિજીજુએ કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળો પર આક્ષેપ કર્યો હતો કે તેઓ દેશભરના વિદ્યાર્થીઓ સાથે સીધા જોડાયેલા આ મહત્ત્વપૂર્ણ કાયદા પર ચર્ચા ટાળી રહ્યા છે અને પ્લેકાર્ડ તથા સૂત્રોચ્ચાર દ્વારા સંસદની કાર્યવાહીમાં અવરોધ ઊભો કરી રહ્યા છે.

પરીક્ષા પ્રણાલીમાં વ્યાપક સુધારાઓની ભલામણ અગાઉથી જ હતી

મંત્રીએ વિપક્ષને સહકાર આપવા અપીલ કરતાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉથી જ પરીક્ષા પ્રણાલીમાં વ્યાપક સુધારાઓની ભલામણ કરવા અને પેપર લીક કે ગેરરીતિમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી સુનિશ્ચિત કરવા માટે ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની રચના કરી છે. આ દિશામાં સરકારે આ ઐતિહાસિક બિલ રજૂ કર્યું છે. તેમણે ચેતવણી આપી હતી કે જો આ મહત્ત્વપૂર્ણ બિલ પર સંસદમાં ચર્ચા નહીં થાય તો દેશના યુવાનોમાં ખોટો સંદેશ જશે. સંસદ એ રાષ્ટ્રીય મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવાનું સર્વોચ્ચ મંચ હોવાનું જણાવી રિજીજુએ તમામ રાજકીય પક્ષોને રાજકીય મતભેદો બાજુ પર રાખીને વિદ્યાર્થીઓના હિતમાં આ બિલને સર્વાનુમતે પસાર કરવા અનુરોધ કર્યો હતો.