ભાવનગર-બાંદ્રા-ભાવનગર વિશેષ ટ્રેનના ફેરામાં વધારો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- મુસાફરોની માંગને ધ્યાને રાખી સંચાલનની સમયમર્યાદા લંબાવાઈ
ભાવનગર : પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર અને વેરાવળથી ઉપડતી તેમજ પરત આવતી બાંદ્રા સ્પેશિયલ ટ્રેનના ફેરામાં વધારો કરવા નિર્ણય કરવામાં આવ્યો છે.
વેરાવળ-બાંદ્રા-વેરાવળ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન પણ એક માસ વધુ દોડશે
મુસાફરોની માંગ, સુવિધા અને ભીડને ધ્યાનમાં રાખી બે જોડી સાપ્તાહિક વિશેષ ટ્રેનોના ફેરામાં વધારો કરાયો છે. જેમાં ભાવનગર-બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક વિશેષ ટ્રેન અગાઉ ૩૦ જુલાઈ સુધી દોડવાની હતી. તેની સમયમર્યાદામાં લંબાવી ૨૭ ઓગસ્ટ કરાઈ છે. તેવી જ રીતે બાંદ્રા-ભાવનગર સાપ્તાહિક વિશેષ ટ્રેન ૩૧ જુલાઈના બદલે ૨૮ ઓગસ્ટ સુધી સંચાલિત થશે. આ ઉપરાંત વેરાવળ-બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ૨૭ જુલાઈના બદલે ૩૧ ઓગસ્ટ અને બાંદ્રા-વેરાવળ સાપ્તાહિક વિશેષ ટ્રેન ૨૬ જુલાઈના બદલે ૩૦ ઓગસ્ટ સુધી દોડાવાશે. આ નિર્ણયથી મુસાફરોની સુવિધા વધશે. તહેવારો અને રજાના દિવસોમાં વધારાની ભીડનું સંચાલન થશે. ભાવનગર, વેરાવળ અને અન્ય મહત્વપૂર્ણ સ્ટેશનોના મુસાફરોને મુંબઈ વિસ્તાર માટે વધારાની રેલ સેવા ઉપલબ્ધ રહેશે તેમ ભાવનગર ડીઆરએમ દિનેશ વર્માએ જણાવ્યું હતું.









