India

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી સોનમ વાંગચુકની પ્રતિક્રિયા, 'આ લોકશાહી અને શાંતિપૂર્ણ જનઆંદોલનની જીત'

By GS Team
25 Jul 20262 mins read
TukuTouch Logo
NEET-UG વિવાદ અને વિદ્યાર્થીઓના વિરોધ વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે. આ ઘટનાને સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે ભારતીય લોકશાહી અને જનતાના અવાજની મોટી સફળતા ગણાવી છે. તેમણે 'X' પર જણાવ્યું કે, આ યુવાનોના અહિંસક સંઘર્ષનું પરિણામ છે. વાંગચુકે Gen Z અને જાગૃત નાગરિકોનો આભાર માન્યો. તેમણે પરીક્ષા પદ્ધતિમાં સંપૂર્ણ પારદર્શિતા લાવવાની માગ કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી સોનમ વાંગચુકની પ્રતિક્રિયા, 'આ લોકશાહી અને શાંતિપૂર્ણ જનઆંદોલનની જીત'

Sonam Wangchuk Reacts to Dharmendra Pradhan Resignation: દેશભરમાં NEET-UG પરીક્ષા સંબંધિત વિવાદો અને વિદ્યાર્થીઓના વ્યાપક વિરોધ પ્રદર્શન વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. આ મહત્ત્વપૂર્ણ રાજકીય ઘટનાક્રમ પર જાણીતા સામાજિક કાર્યકર્તા અને અનશન કરનાર સોનમ વાંગચુકની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે આ નિર્ણયને ભારતીય લોકશાહી અને જનતાના અવાજની બહુ મોટી સફળતા ગણાવી છે.

પ્રત્યક્ષ લોકશાહી અને અહિંસક લડતનો વિજય

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોતાના વિચારો રજૂ કરતાં સોનમ વાંગચુકે જણાવ્યું હતું કે, ‘આ જીત સીધી રીતે શેરીઓમાંથી ઊભી થયેલી પ્રત્યક્ષ લોકશાહીની તાકાત દર્શાવે છે. આ દેશના યુવાનો અને નાગરિકોના અવિરત સંઘર્ષ, અહિંસક વિરોધ અને અનંત ધીરજનું પરિણામ છે. લોકશાહી શાસનવ્યવસ્થામાં જનતાનો અવાજ સર્વોપરી છે અને જ્યારે લોકો એકજૂથ થઈને શાંતિપૂર્ણ માર્ગે પોતાની ન્યાયી માંગણીઓ રજૂ કરે છે, ત્યારે સરકારે પણ ઝૂકવું પડે છે.’

Gen Z અને યુવાનોની પ્રશંસા

પોતાના સંદેશામાં વાંગચુક ખાસ કરીને CJP(કોકરોચ જનતા પાર્ટી)ના કાર્યકરો તેમજ દેશના Gen Z અર્થાત્ યુવા વિદ્યાર્થીઓની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે, ‘આ યુવાનોએ કોઈ પણ ડર વગર શિક્ષણ પ્રણાલીમાં સુધારા અને પોતાના અધિકારો માટે સતત અવાજ ઉઠાવ્યો છે. તેની સાથે જ તેમણે દેશના એ તમામ જાગૃત નાગરિકોનો પણ આભાર માન્યો હતો જેમણે આ આંદોલનને પોતાનો અપ્રત્યક્ષ કે પ્રત્યક્ષ ટેકો આપ્યો હતો.’

પરીક્ષા પદ્ધતિમાં પારદર્શિતાની માગ

આ ઘટનાક્રમને માત્ર એક શરૂઆત ગણાવતાં તેમણે સ્પષ્ટ કર્યું કે, ‘શિક્ષણ મંત્રીનું રાજીનામું એ માત્ર જવાબદેહી નક્કી કરવાનો પ્રથમ તબક્કો છે. ખરી સફળતા ત્યારે મળશે જ્યારે સરકાર દેશની પરીક્ષા પદ્ધતિમાં સંપૂર્ણ પારદર્શિતા લાવશે.’

તેમણે ભારપૂર્વક કહ્યું કે, ‘હવે સમય માત્ર જવાબદેહી સુધી સીમિત રહેવાનો નથી, પરંતુ પેપર લીક જેવી ગંભીર સમસ્યાઓ રોકીને શિક્ષણ વ્યવસ્થામાં વ્યાપક અને નક્કર સુધારા કરવાનો છે, જેથી દેશના કરોડો વિદ્યાર્થીઓનો વિશ્વાસ પુનઃસ્થાપિત થઈ શકે.’