India

'ફડણવીસને NCPના વિલય પર બોલવાનો કોઈ અધિકાર નથી', શરદ પવારનું સૂચક નિવેદન

By GS TEAM
4 Feb 20262 mins read
TukuTouch Logo
મહારાષ્ટ્રમાં સુનેત્રા પવારે નાયબ મુખ્યમંત્રી (ડેપ્યુટી સીએમ) પદના શપથ લીધા બાદ NCP પ્રમુખ શરદ પવારે પ્રથમ વખત મૌન તોડ્યું છે. બુધવારે બારામતીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કૌટુંબિક અને રાજકીય મુદ્દાઓ પર ખુલીને વાત કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

'ફડણવીસને NCPના વિલય પર બોલવાનો કોઈ અધિકાર નથી', શરદ પવારનું સૂચક નિવેદન

બારામતી: મહારાષ્ટ્રમાં સુનેત્રા પવારે નાયબ મુખ્યમંત્રી (ડેપ્યુટી સીએમ) પદના શપથ લીધા બાદ NCP પ્રમુખ શરદ પવારે પ્રથમ વખત મૌન તોડ્યું છે. બુધવારે બારામતીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કૌટુંબિક અને રાજકીય મુદ્દાઓ પર ખુલીને વાત કરી હતી.

સુનેત્રા પવારના શપથ ગ્રહણ પર પ્રતિક્રિયા

શરદ પવારે સુનેત્રા પવારના મંત્રીમંડળમાં પ્રવેશ અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, "મને ખુશી છે કે સુનેત્રા પવારને તક મળી અને તેમની શપથ વિધિ સંપન્ન થઈ, આ આનંદની વાત છે." જોકે, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ આ વિષય પર કોઈ રાજકીય ટિપ્પણી કરવા માંગતા નથી, પરંતુ વ્યક્તિગત રીતે તેમને આ ઘટનાક્રમથી આનંદ થયો છે.

NCPના વિલય અંગે આકરા પ્રહાર

NCPના બંને જૂથોના વિલય અંગે ચાલી રહેલી ચર્ચાઓ પર શરદ પવારે મોટું નિવેદન આપ્યું હતું. સીએમ પર નિશાન સાધતા શરદ પવારે કહ્યું કે, વિલય અંગેની વાતચીત અજિત પવાર અને જયંત પાટીલ વચ્ચે ચાલી રહી હતી. આ પ્રક્રિયામાં દેવેન્દ્ર ફડણવીસ ક્યાંય સામેલ નહોતા, તેથી આ મુદ્દે ટિપ્પણી કરવાનો તેમને કોઈ અધિકાર નથી. આ ઉપરાંત તેમણે ઉમેર્યું કે, મુખ્યમંત્રીને બંને NCPના વિલય અંગે નિવેદન આપવાનો કોઈ નૈતિક અધિકાર નથી.

બજેટ અને સંસદ અંગે વાત કરતાં શરદ પવારે સ્વાસ્થ્ય અને દેશના આર્થિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. તેમણે ભાવુક થતાં કહ્યું કે, "છેલ્લા 58 વર્ષમાં એવું ક્યારેય નથી બન્યું કે હું સંસદમાં હાજર ન હોઉં, પરંતુ આ વખતે સ્વાસ્થ્યના કારણોસર હું બજેટ ભાષણ સાંભળવા જઈ શક્યો નથી." આ ઉપરાંત ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે તેમણે કહ્યું કે આગામી બે દિવસમાં તેની સ્પષ્ટ તસવીર સામે આવશે.

અન્ય મહત્ત્વના મુદ્દાઓ

 અજિત પવારનું સ્મારક: અજિત પવારના સ્મારક અંગે પૂછવામાં આવતાં તેમણે કહ્યું કે તેમને આ વિશે કોઈ માહિતી નથી.

• સીમા વિવાદ: પૂર્વ સેના પ્રમુખ મનોજ નરવણેના પુસ્તકનો ઉલ્લેખ કરતાં પવારે જણાવ્યું કે ભારત-ચીન સંબંધો અને સીમા વિવાદ જેવા ગંભીર મુદ્દાઓ પર સંસદમાં ચર્ચા થવી જોઈતી હતી.