India

રામ મંદિર ચોરી કેસ: ચંપત રાયનો સનસનીખેજ દાવો, અનિલ મિશ્રા અને બેંક પર લગાવ્યા 5 ગંભીર આરોપ

By GS Team
7 Jul 20262 mins read
TukuTouch Logo
અયોધ્યામાં રામ મંદિરના ચઢાવાની ચોરીની તપાસમાં SIT સમક્ષ ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ ચંપત રાયે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેમણે પૂર્વ સભ્ય અનિલ મિશ્રા અને બેંક અધિકારીઓ પર 5 ગંભીર આરોપો લગાવ્યા છે. રાયે જણાવ્યું કે, તેમની જાણ બહાર અને સહી વગર બેંક સાથે કરાર થયો, જેમાં ગરબડ છે. પૈસા ગણવા માટે હાઉસકીપિંગ સ્ટાફનો ઉપયોગ, સુરક્ષા નિયમોની અવગણના અને CCTV નો અભાવ જેવા મુદ્દા ઉઠાવી, તેમણે બેંક અધિકારીઓ પર બેદરકારીનો આરોપ મૂક્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

રામ મંદિર ચોરી કેસ: ચંપત રાયનો સનસનીખેજ દાવો, અનિલ મિશ્રા અને બેંક પર લગાવ્યા 5 ગંભીર આરોપ

Champat Rai On Ayodhya Ram Mandir Donation Theft : અયોધ્યામાં રામ મંદિર ચઢાવા ચોરીની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) સમક્ષ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ ચંપત રાયે આપેલા જવાબો હવે સામે આવ્યા છે. ચંપત રાયે પોતાના નિવેદનમાં ટ્રસ્ટના પૂર્વ સભ્ય અનિલ મિશ્રા અને બેંકના અધિકારીઓ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે બેંક સાથે થયેલા કરાર (MOU), સુરક્ષા વ્યવસ્થા અને નિયમોની અવગણના અંગે ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

ચંપત રાયે બેંક અને અનિલ મિશ્રા પર 5 ગંભીર આક્ષેપો કર્યા

1… જાણ બહાર અને સહી વગરનો કરાર (MOU): બેંક સાથે થયેલા કરાર પર ચંપત રાયની સહી હોવી જોઈતી હતી, પરંતુ તેમની જાણ બહાર આ કરાર કરવામાં આવ્યો છે અને તેમાં ગરબડ થઈ છે. 6 ફેબ્રુઆરી 2025 ના જે દિશા-નિર્દેશ પત્રનો હવાલો અપાઈ રહ્યો છે તેના પર તેમની સહી નથી. આ પત્ર વિશે તેમને છેક 13 જૂન 2026 ના રોજ ખબર પડી હતી.
2… હાઉસકીપિંગ સ્ટાફ પાસે પૈસાની ગણતરી: પૈસા ગણવા જેવા અતિ સંવેદનશીલ અને મહત્વના કાર્ય માટે બેંકે હાઉસકીપિંગ સ્ટાફ (સફાઈ કર્મચારીઓ) ની નિમણૂક કરી હતી, જે નક્કી કરેલા માપદંડોની વિરુદ્ધ છે.
3… કપડાંના સુરક્ષા નિયમોની અવગણના: નિયમ મુજબ પૈસાની ગણતરીમાં રોકાયેલા કર્મચારીઓ માટે ખિસ્સા વગરના (બિન-જેબ વાળા) કપડાં નક્કી કરાયા હતા, પરંતુ બેંકે આ સુરક્ષા નિયમનું પાલન કરાવ્યું નહોતું.
4… CCTV અને લોખંડના દરવાજાનો અભાવ: 9 ફેબ્રુઆરી 2024 ના કરાર મુજબ જે રૂમમાં પૈસાની ગણતરી થતી હતી ત્યાં સીસીટીવી (CCTV) કેમેરા અને લોખંડની જાળીવાળા દરવાજા સહિતની સુરક્ષા વ્યવસ્થા કરવાની હતી, પરંતુ જમીની સ્તરે તેનું કોઈ પાલન થયું નથી.
5… અધિકારીઓ દ્વારા જાણીજોઈને બેદરકારી: બેંક દ્વારા અન્ય સુરક્ષા નિયમોની પણ જબરદસ્ત અવગણના કરવામાં આવી છે. આ મામલે આશંકા છે કે કાં તો બેંકના અધિકારીઓને નિયમોના ઉલ્લંઘનની ખબર નહોતી અથવા તો તેમણે જાણીજોઈને આ બધું થવા દીધું છે.

વિવાદિત પત્ર પર મારી સહી નથી : ચંપત રાય

ચંપત રાયે જણાવ્યું છે કે ઓગસ્ટ 2020 થી જૂન 2026 સુધી બેંક સાથે થયેલા તમામ કરારો પર તેમની સહીઓ મોજૂદ છે, પરંતુ આ વિવાદિત પત્ર પર તેમની સહી નથી. તેમણે આ સમગ્ર મામલે બેંકના અધિકારીઓ પાસે સ્પષ્ટ સફાઈની માંગણી કરી છે.