India

વિદેશથી પાછા આવીને PM મોદીએ બોલાવી 'ઈમરજન્સી બેઠક', મંત્રીઓને દિલ્હી ન છોડવા ફરમાન

By GS Team
21 May 20262 mins read
TukuTouch Logo
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના વિદેશ પ્રવાસ (G7 શિખર સંમેલન) પરથી પરત ફરતાની સાથે જ દિલ્હીમાં એક અત્યંત મહત્ત્વપૂર્ણ હાઈ-લેવલ બેઠકની અધ્યક્ષતા કરવાના છે. તમામ કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓને દિલ્હીમાં જ હાજર રહેવાના આદેશથી દેશના રાજકીય ગલિયારાઓમાં ભારે સસ્પેન્સ સર્જાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિદેશથી પાછા આવીને PM મોદીએ બોલાવી 'ઈમરજન્સી બેઠક', મંત્રીઓને દિલ્હી ન છોડવા ફરમાન

PM Narendra Modi will chair a crucial high-level meeting | વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના વિદેશ પ્રવાસ (G7 શિખર સંમેલન) પરથી પરત ફરતાની સાથે જ દિલ્હીમાં એક અત્યંત મહત્ત્વપૂર્ણ હાઈ-લેવલ બેઠકની અધ્યક્ષતા કરવાના છે. તમામ કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓને દિલ્હીમાં જ હાજર રહેવાના આદેશથી દેશના રાજકીય ગલિયારાઓમાં ભારે સસ્પેન્સ સર્જાયું છે. 

તમામ મંત્રીઓને દિલ્હીમાં હાજર રહેવા આદેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના વિદેશ પ્રવાસ પરથી ભારત પરત ફરતાની સાથે જ એક અત્યંત મહત્વપૂર્ણ અને હાઈ-લેવલ બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં કેબિનેટ કક્ષાના તમામ વરિષ્ઠ મંત્રીઓથી લઈને તમામ જુનિયર (રાજ્યકક્ષાના) મંત્રીઓ પણ ફરજિયાતપણે સામેલ થવાના છે. અચાનક તમામ મંત્રીઓને આગામી દિવસોમાં દિલ્હીની બહાર ન જવા અને રાજધાનીમાં જ ટકેલા રહેવાનો આદેશ મળતાં આ મીટિંગને લઈને સસ્પેન્સ અને ઉત્સુકતા ચરમસીમાએ પહોંચી છે. વૈશ્વિક અને આંતરિક પરિસ્થિતિઓને જોતા આ બેઠકમાં દેશની સુરક્ષા અને આર્થિક સ્થિતિ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ પાસાઓ પર મંત્રીઓ સમક્ષ વિસ્તૃત વિગતો રાખવામાં આવશે.

આ બે મોટા મુદ્દાઓ પર ટકેલી છે સૌની નજર

1. મિડલ ઈસ્ટ (પશ્ચિમ એશિયા) નું સૈન્ય સંકટ અને આર્થિક અસર

આ બેઠકનો સૌથી મોટો એજન્ડા અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલો તણાવ અને હોર્મુઝની ખાડીનું સંકટ છે. સરકાર સતત એ વાત પર નજર રાખી રહી છે કે આ યુદ્ધ જેવી સ્થિતિની ભારતમાં કાચા તેલ (Crude Oil) ની કિંમતો, વૈશ્વિક સપ્લાય ચેઈન અને સ્થાનિક મોંઘવારી પર શું અસર પડશે. પીએમ મોદીના વિદેશ પ્રવાસ દરમિયાન રક્ષામંત્રી રાજનાથ સિંહની આગેવાનીમાં એક હાઈ-પાવર ગ્રુપ બનાવવામાં આવ્યું છે, જેમાં ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સીતારમણ અને હરદીપ સિંહ પુરી સામેલ છે, જેઓ 24 કલાક સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. જો કે, રક્ષામંત્રીએ દેશને ભરોસો આપ્યો છે કે ભારતમાં ક્રૂડ અને એલપીજીનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ હોવાથી ગભરાવાની જરૂર નથી.

2. મોદી સરકાર 3.0 નું પ્રથમ કેબિનેટ વિસ્તરણ અને ફેરબદલ

રાજકીય ગલિયારાઓમાં સૌથી મોટી ચર્ચા એ વાતની છે કે આગામી 10 જૂને મોદી સરકાર 3.0 ના શાસનનું એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. આ પૂર્વે જૂનના બીજા સપ્તાહમાં કેબિનેટમાં બહુ મોટો ફેરબદલ અથવા વિસ્તરણ જોવા મળી શકે છે. અનેક મંત્રીઓના વિભાગો બદલાય તેવી પ્રબળ શક્યતા છે. આથી, ગુરુવારે યોજાનારી આ હાઈ-લેવલ બેઠકને આગામી કેબિનેટ વિસ્તરણની પૂર્વતૈયારી અને મંત્રીઓના રિપોર્ટ કાર્ડની સમીક્ષા સાથે જોડીને જોવામાં આવી રહી છે.