India

તેજસ્વી યાદવના આ ખુલાસાથી બિહાર રાજકારણમાં હડકંપ, જેડીયુ-ભાજપ પર સંકટ

By GS Team
13 Sep 20242 mins read
This article was originally published on 13 Sep 2024
TukuTouch Logo
બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને વિપક્ષ નેતા તેજસ્વી યાદવે દાવો કર્યો છે કે, જો કોઈ બેઈમાની ન થઈ હોત તો 2020માં વિધાનસભા ચૂંટણીમાં જ મહાગઠબંધનની સરકાર બની હોત. કાર્યકર્તા સંવાદ યાત્રા ગુરૂવારે દરભંગા પહોંચ્યા બાદ તેજસ્વી યાદવે મીડિયા સાથે વાતચીત કરતાં આ નિવેદન આપ્યું હતું. તેમના આ દાવાથી બિહારનું રાજકારણ હચમચી ઉઠ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

તેજસ્વી યાદવના આ ખુલાસાથી બિહાર રાજકારણમાં હડકંપ, જેડીયુ-ભાજપ પર સંકટ

Image: IANS


Bihar Political News Today: બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને વિપક્ષ નેતા તેજસ્વી યાદવે દાવો કર્યો છે કે, જો કોઈ બેઈમાની ન થઈ હોત તો 2020માં વિધાનસભા ચૂંટણીમાં જ મહાગઠબંધનની સરકાર બની હોત. કાર્યકર્તા સંવાદ યાત્રા ગુરૂવારે દરભંગા પહોંચ્યા બાદ તેજસ્વી યાદવે મીડિયા સાથે વાતચીત કરતાં આ નિવેદન આપ્યું હતું. તેમના આ દાવાથી બિહારનું રાજકારણ હચમચી ઉઠ્યું છે.

બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનો ઈનકાર

તેજસ્વી યાદવે કહ્યું કે બિહારમાં ડબલ એન્જિનની સરકાર છે. નીતિશ કુમાર 20 વર્ષથી સતત વિશેષ દરજ્જાની માંગ કરી રહ્યા છે, પરંતુ તે પુરી થઈ રહી નથી. હવે તો કેન્દ્ર સરકારે પણ બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનો ઈનકાર કરી દીધો છે.

NDA બિહારના લોકો સાથે સાવકી મા જેવું વર્તન કરી રહ્યું છે

તેજસ્વી યાદવે કહ્યું કે NDA બિહારના મતદાતાઓ પાસેથી વોટ લેશે, પરંતુ અહીંના લોકો સાથે સાવકી મા જેવું વર્તન કરશે. આ તમામ મુદ્દાઓને લઈને હાલમાં કાર્યકરો સાથે વાતચીત ચાલી રહી છે. તે પોતાની આખી ટીમ સાથે જનતાની વચ્ચે ઉતરશે અને બિહારના તમામ મુદ્દાઓ શેરીઓથી લઈને ગૃહ સુધી ઉઠાવશે.

આ પણ વાંચોઃ "શિમલા બાદ મંડીમાં મસ્જિદ નિર્માણ પર વિવાદ: હજારો હિન્દુઓના વિરોધ બાદ સરકારે આપ્યા કડક આદેશ"

તેજસ્વીએ મિથિલા પ્રદેશ વિશે વાત કરી

મિથિલાંચલના ચૂંટણી પરિણામો પર તેજસ્વીએ કહ્યું કે તે ઠીક છે, પરિણામ અમારી ઈચ્છા મુજબ આવ્યા નથી, પરંતુ અમે નબળા પડ્યા નથી. બિહારમાં તમામની લડાઈ અમારી સાથે જ હોય છે. ડબલ એન્જિન સરકાર ભ્રષ્ટાચારમાં વ્યસ્ત છે.

નાયબ મુખ્યમંત્રી પર નિશાન તાક્યું

બિહારમાં જે સર્વે કરવામાં આવી રહ્યો છે તે મુજબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. તેજસ્વીએ બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય સિંહા પર પણ નિશાન સાધતા કહ્યું કે તેમનું મગજ ઘૂંટણમાં છે. જ્યારથી તેઓ નાયબ મુખ્યમંત્રી બન્યા છે ત્યારથી તેમણે જનતા માટે કોઈ કામ કર્યું નથી. જો કે, તેઓ માત્ર વાહનો અને સિક્યુરિટી મુદ્દે જનતાની મૂડી ખરચી રહ્યા છે. આ લોકો માત્ર વાહિયાત વાતો કરીને જનતાને ગેરમાર્ગે દોરે છે. આ કાર્યક્રમમાં પાર્ટીના રાષ્ટ્રીય મુખ્ય સચિવ અબ્દુલ બારી સિદ્દીકી, મિશન ફતેહ 2025ના સંયોજક, પૂર્વ કેન્દ્રીય મંત્રી અલી અશરફ ફાતમી, ધારાસભ્ય લલિત કુમાર યાદવ પણ હાજર હતા.