India

પાક. સેનાના મસ્જીદ મદ્રેસાઓ ઉપર હુમલા 17નાં મોત, પાક. બોમ્બીંગથી તાલિબાન ભડક્યું

By GS TEAM
22 Feb 20262 mins read
પાક. સેનાના મસ્જીદ મદ્રેસાઓ ઉપર હુમલા 17નાં મોત, પાક. બોમ્બીંગથી તાલિબાન ભડક્યું

પાક. એરફોર્સનાં વિમાનોએ પક્તિકા અને નંગહાર પ્રાંતોમાં અસામાન્ય હુમલા યોગ્ય સમયે યોગ્ય રીતે તેનો જવાબ અપાશે : અફઘાન વિદેશ મંત્રાલય

નવી દિલ્હી: પાકિસ્તાને અફઘાનિસ્તાનનાં સાત સ્થળોએ હુમલા કર્યા છે. તે સામે અફઘાનિસ્તાને ઉગ્ર પ્રતિભાવો આપ્યા છે. અફઘાનિસ્તાને કહ્યું છે કે આ હુમલામાં ડઝનબંધ લોકોનાં મોત થયાં છે. મૃત્યુ પામેલાઓમાં અનેક મહિલાઓ, અને બાળકો પણ છે.

આ સાથે અફઘાનિસ્તાને બદલો લેવાની ધમકી આપી છે. અફઘાનિસ્તાનનાં સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે પાકિસ્તાની સેનાના હુમલાઓનો યોગ્ય સમયે અને સમજી વિચારીને યોગ્ય રીતે જવાબ આપવામાં આવશે.

સહજ છે કે આ હુમલાથી બંને દેશો વચ્ચે તંગદિલી વધી છે. શુક્રવારે કરાયેલા આ હુમલાનો બચાવ કરતાં પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ વિભાગના મંત્રી અત્તાઉલ્લાહ તરારે એક્સ પોસ્ટ ઉપર લખ્યું હતું કે પાકિસ્તાની તાલિબાન તહેરિક એ તાલિબાન પાકિસ્તાન (ટીટીપીએ) અને તેનાં સહયોગી સંગઠનોમાં જે સાત સ્થળો ઉપર બોમ્બવર્ષા કરવી પડી હતી તે જાસૂસી માહિતીના આધારે કરવામાં આવી હતી. આ સરહદી વિસ્તારમાં ઇસ્લામિક સ્ટેટ અને તેના સાથી સંગઠનોના અડ્ડાઓ છે. તેવી અમોને પાક્કી માહિતી મળી હતી. તેથી તે મથકો તોડી નાખ્યાં છે.

તરારે આગળ કહ્યું હતું કે પાકિસ્તાન હંમેશા આ વિસ્તારમાં શાંતિ ્ને સ્થિરતા રહે તે જોવા આતુર છે પરંતુ સાથે કે પાકિસ્તાની નાગરિકોની સલામતી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે.

તાજેતરમાં અફઘાનિસ્તાનની સીમાને સ્પર્શીને આવેલા ખૈબર પખ્તુનવા પ્રાંતના બાજૌર જિલ્લામાં આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટકો ભરેલી એક મોટર એક સુરક્ષા ચોકીની દિવાલ સાથે અથડાવવામાં આવી હતી તેની દિવાલનો એક ભાગ તૂટી ગયો હતો તેથી ૧૭ સૈનિકો અને એક બાળક માર્યા ગયા હતા.