Get The App

એક દેશના વડાપ્રધાન તમિલનાડુના CM વિજયના મોટા ફેનઃ એક ફોને મચાવી દીધી હલચલ!

Updated: May 23rd, 2026

GS TEAM

Google News
Google News
એક દેશના વડાપ્રધાન તમિલનાડુના CM વિજયના મોટા ફેનઃ એક ફોને મચાવી દીધી હલચલ! 1 - image

Malaysia PM TamilNadu CM Vijay's fan : સાઉથ સિનેમાના સુપરસ્ટારથી સીધા જ તામિલનાડુના CMની ખુરશી સંભાળનારા વિજય થલપતિને મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમે ખુદ ફોન કરતા હલચલ મચી ગઈ છે. મલેશિયાના વડાપ્રધાને વિજયના સૌથી મોટા ચાહક ગણાવીને, ના માત્ર ફોન કરીને તેમને મુખ્યમંત્રી બનાવવાની શુભેચ્છાઓ પાઠવી, પરંતુ એક મોટું એલાન પણ કરી દીધું. મલેશિયાના વડાપ્રધાને કહ્યુ કે તેઓ ભારતમાં આયોજીત BRICS સમિટમાં ભાગ લેવા આવી રહ્યા છે, જ્યાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કર્યા બાદ ખાસ કરીને થલપતિ વિજયને પણ તમિલનાડુમાં મળવા આવી શકે છે.

એક ફોનથી રાજકીય હલચલ!

સાઉથ સિનેમાના સુપરસ્ટાર સી.જોસેફ વિજય રાજનીતિમાં એન્ટ્રી લેતાની સાથે જ તમિલનાડુના મુખ્યમંત્રી બની ગયા છે, અને 10 મેએ તેમણે તમિલનાડુની સત્તા સંભાળી છે. વિજયને રાજનીતિમાં સિખાઉ ગણવામાં આવતા હતા, પરંતુ તેઓ હવે વિદેશની રાજનીતિમાં પણ પોતાની લોકપ્રિયતા બનાવી ચુક્યા છે. કારણ કે એક દેશના વડાપ્રધાન ખુદને વિજયના બહુ મોટા ચાહક ગણાવી ચુક્યા છે, અને તેમણે એક ફોન કોલ કરીને તમિલનાડુની રાજનીતિમાં મોટો ભૂકંપ પણ સર્જી દીધો છે. મલેશિયાના વડાપ્રધાને ફોન કોલ કર્યા બાદ સોશિયલ મીડિયા X પર વિજયના વખાણ કરતી પોસ્ટથી સૌ કોઈ આશ્ચર્યચકીત થઈ ગયા છે.

CM વિજયને કોણે કર્યો ફોન?

મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમે ખુદ સોશિયલ મીડિયા પર થલપતિ વિજય સાથે થયેલી વાતચીતનો ખુલાસો કર્યો છે. સાથેજ તેમની ભરપુર પ્રશંસા પણ કરી છે. એટલું જ નહીં, મલેશિયાના વડાપ્રધાને એ વાતનું પણ એલાન કર્યુ છે કે, તેઓ સપ્ટેમ્બરમાં યોજાનારી BRICS સમિટ માટે ભારત આવી રહ્યા છે, અને આ દરમિયાન તેઓ તમિલનાડુની મુલાકાત લઈને CM વિજય સાથે પણ મુલાકાત કરશે. મહત્વનું છે કે CM વિજય અને મલેશિયાના વડાપ્રધાન વચ્ચે પહેલાથી જ ગાઢ મિત્રતા પણ છે.

મલેશિયાના PMની પોસ્ટમાં શું છે?

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ શેર કરીને મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમે લખ્યુ છે કે, આજે મારા દોસ્ત CM વિજય સાથે વાતચીત થઈ. જેમાં જુની યાદો તાજા થઈ ગઈ છે. હું તેમને તમિલનાડુની જનતા માટે આટલી મહત્વપૂર્ણ જવાબદારી સંભાળવા બદલ અભિનંદન પણ પાઠવું છું. અનવર ઈબ્રાહિમે આગળ એ પણ લખ્યુ છે કે, ઈશ્વર CM વિજયને વધુ તાકાત અને બુદ્ધિમતા આપે જેથી તેઓ તમિલનાડુના લોકોની ભલાઈ અને એક શાનદાર ભવિષ્ય માટેનું સુસાશન સર્જે.