India

અજિતના મૃત્યુ બાદ સુનેત્રાને ડે. સીએમ બનાવવા પાછળ ભાજપ 'માસ્ટરમાઇન્ડ'! ઉદ્ધવ ઠાકરેનો દાવો

By GS TEAM
2 Feb 20262 mins read
TukuTouch Logo
મહારાષ્ટ્રમાં શિવસેના ઉદ્ધવ જૂથ)એ દાવો કર્યો છે કે, અજિત પવારના નિધનના ચાર દિવસ પછી જ સુનેત્રા પવારને નાયબ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા બાદ ભાજપ મુખ્ય સૂત્રધાર હતો. શિવસેના (ઉદ્ધવ જૂથ)ના મુખપત્ર 'સામનામાં દાવો કર્યો હતો કે આ નિર્ણય પાછળ ભાજપ જ 'માસ્ટરમાઇન્ડ' હતો. ભાજપ નેતૃત્વ, NCP નેતાઓ સુનીલ તટકરે અને પ્રફુલ્લ પટેલ સાથે NCP ફરીથી એક થાય તેવું ઇચ્છતા ન હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

અજિતના મૃત્યુ બાદ સુનેત્રાને ડે. સીએમ બનાવવા પાછળ ભાજપ 'માસ્ટરમાઇન્ડ'! ઉદ્ધવ ઠાકરેનો દાવો

Maharashtra Politics: મહારાષ્ટ્રમાં શિવસેના ઉદ્ધવ જૂથ)એ દાવો કર્યો છે કે, અજિત પવારના નિધનના ચાર દિવસ પછી જ સુનેત્રા પવારને નાયબ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા બાદ ભાજપ મુખ્ય સૂત્રધાર હતો. શિવસેના (ઉદ્ધવ જૂથ)ના મુખપત્ર 'સામનામાં દાવો કર્યો હતો કે આ નિર્ણય પાછળ ભાજપ જ 'માસ્ટરમાઇન્ડ' હતો. ભાજપ નેતૃત્વ, NCP નેતાઓ સુનીલ તટકરે અને પ્રફુલ્લ પટેલ સાથે NCP ફરીથી એક થાય તેવું ઇચ્છતા ન હતા.

શરદ પવારને પણ જાણ નહોતી?

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી રહેલા NCP (અજિત પવાર જૂથ) નેતા અજિત પવારનું 28મી જાન્યુઆરીએ વિમાન દુર્ઘટનામાં નિધન થયું હતું. ત્યારબાદ, સુનેત્રા પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. NCP(શરદ પવાર જૂથ)ના વડા શરદ પવારે જણાવ્યું હતું કે 'હું જાણતો ન હતા કે સુનેત્રા નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવાના છે.' સામનામાં દાવો કરાયો હતો કે શરદ પવાર અને સુપ્રિયા સુલે સહિત પરિવારના કોઈ સભ્યને તેમના શપથ ગ્રહણ વિશે ખબર નહોતી. તેઓ કોઈને જાણ કર્યા વિના શાંતિથી બારામતીથી મુંબઈ જવા રવાના થઈ ગયા.

આ પણ વાંચો: અજિત પવારના નિધન બાદ BMC માં નવા-જૂનીના એંધાણ, મહાયુતિમાં થશે મોટો 'ખેલ'

શું વિલીનીકરણ 12મી ફેબ્રુઆરીએ થવાનું હતું?

અહેવાલો અનુસાર, અજિત પવારના કાર્યકાળ દરમિયાન, એવી અફવાઓ હતી કે બે અલગ થયેલા પક્ષો ફરી એક થશે. જોકે, અજિત પવારના મૃત્યુ પછી, પવાર પરિવારમાં ફરી એકવાર મૂંઝવણ પ્રવર્તી છે. એવું કહેવામાં આવ્યું હતું કે બંને પક્ષોના વિલીનીકરણ માટે 12મી ફેબ્રુઆરીની તારીખ નક્કી કરવામાં આવી હતી. જોકે, હવે કોઈ આ તારીખ વિશે કોઈ દાવો કરવા તૈયાર નથી.

સામનામાં દાવો કરાયો છે કે, અજિત પવારના મૃત્યુ પછી, NCPની અંદર કેટલાક લોકોની મહત્ત્વાકાંક્ષાઓ વધુ વધી ગઈ છે. તેમના પક્ષમાં નાયબ મુખ્યમંત્રી બનવાની દોડ શરુ થઈ ગઈ છે. દરમિયાન, પ્રફુલ્લ પટેલ અને સુનીલ તટકરે વચ્ચે વસ્તુઓ સારી રીતે ચાલી રહી નથી. તેથી, પટેલ અને પવાર પરિવારોની એકતા દર્શાવવા માટે સુનેત્રા પવારને ઉતાવળે મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.