India

‘હાથ-પગ કાપો તો જ લોકો કાયદો માનશે...’ દુષ્કર્મના આરોપીની જામીન અરજી ફગાવતા કર્ણાટક હાઈકોર્ટની ટિપ્પણી

By GS Team
2 Jun 20263 mins read
TukuTouch Logo
‘જો તમે હાથ કે પગ કાપી નાખો, તો કદાચ લોકો કાયદાનું પાલન કરશે...’ કર્ણાટક હાઈકોર્ટે એક દુષ્કર્મના આરોપી 23 વર્ષીય એન્જિનિયરિંગ વિદ્યાર્થીની જામીન અરજી ફગાવી દેતા આ ચોંકાવનારી ટિપ્પણી કરી હતી. હાઈકોર્ટના જસ્ટિસ આર. નટરાજની સિંગલ બેન્ચે જણાવ્યું હતું કે, ગુના સામે કડક સજા જ એક અસરકારક સાધન તરીકે કામ કરી શકે છે. પશ્ચિમ એશિયાના દેશોનો ઉલ્લેખ કરતા તેમમે કહ્યું કે ‘ત્યાં કડક સજાના ડરને કારણે લોકો કાયદાનું પાલન કરે છે, જ્યારે આપણા દેશમાં લોકશાહી હોવાને કારણે લોકો કાયદાને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ રહ્યા છે.’

Summarized by AI; it may make mistakes. Check important info

‘હાથ-પગ કાપો તો જ લોકો કાયદો માનશે...’ દુષ્કર્મના આરોપીની જામીન અરજી ફગાવતા કર્ણાટક હાઈકોર્ટની ટિપ્પણી

Karnataka HC says chopping off limbs: ‘જો તમે હાથ કે પગ કાપી નાખો, તો કદાચ લોકો કાયદાનું પાલન કરશે...’ કર્ણાટક હાઈકોર્ટે એક દુષ્કર્મના આરોપી 23 વર્ષીય એન્જિનિયરિંગ વિદ્યાર્થીની જામીન અરજી ફગાવી દેતા આ ચોંકાવનારી ટિપ્પણી કરી હતી. હાઈકોર્ટના જસ્ટિસ આર. નટરાજની સિંગલ બેન્ચે જણાવ્યું હતું કે, ગુના સામે કડક સજા જ એક અસરકારક સાધન તરીકે કામ કરી શકે છે. પશ્ચિમ એશિયાના દેશોનો ઉલ્લેખ કરતા તેમમે કહ્યું કે ‘ત્યાં કડક સજાના ડરને કારણે લોકો કાયદાનું પાલન કરે છે, જ્યારે આપણા દેશમાં લોકશાહી હોવાને કારણે લોકો કાયદાને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ રહ્યા છે.’ 

કાયદાએ પોતાના દાંત ગુમાવી દીધા છે

આ દરમિયાન જસ્ટિસ આર. નટરાજે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, ‘આપણા દેશની સમસ્યા એ છે કે લો હેઝ લોસ્ટ ઈટ્સ ટીથ. (કાયદાએ પોતાના દાંત ગુમાવી દીધા છે) આપણે ગુનેગારો સામે કડક હાથે કામ લેતા નથી, તેથી જ ગુનો કરવો ખૂબ જ સરળ બની ગયો છે. લોકશાહી અને કાયદાનું શાસન હોવા છતાં, ગુનેગારો કોઈ પણ જાતના સંકોચ વિના વારંવાર ગુના આચરે છે અને કાયદાકીય છટકબારીઓ તેમજ રક્ષણનો દુરુપયોગ કરે છે. ગુનાખોરી ડામવા માટે સજાનો ભય હોવો અનિવાર્ય છે.

મીઠું ખાધું છે તો પાણી પીવું જ પડશે

દુષ્કર્મના આરોપી વિદ્યાર્થી ગોપી રેડ્ડી કાર્તિક રેડ્ડી વતી હાજર વકીલે દલીલ કરી હતી કે ‘આરોપી ગત 5 એપ્રિલથી એટલે કે લગભગ બે મહિનાથી જેલમાં છે. આ ઘટના સપ્ટેમ્બર 2023ની છે (જેને આશરે 3 વર્ષ જેટલો સમય થઈ ગયો છે) અને લાંબો સમય જેલમાં રહેવાથી વિદ્યાર્થીના શૈક્ષણિક અને વ્યાવસાયિક ભવિષ્ય પર ખરાબ અસર પડી રહી છે.’ આ દલીલો સામે આકરો પ્રહાર કરતા જસ્ટિસ નટરાજે કહ્યું કે, ‘જો તમે મીઠું (સોલ્ટ) ખાધું છે, તો તમારે પાણી પીવું જ પડશે. તેને હજી 4-5 દિવસ જેલમાં રહેવા દો, જેથી જેલની આદત પડી જાય. કોને ખબર, જો ભવિષ્યમાં સજા થશે તો તમારે પાછા જેલમાં જ રહેવું પડશે.’

શું છે સમગ્ર મામલો?

આરોપી વિદ્યાર્થી મણિપાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીનો વિદ્યાર્થી છે. પીડિતા તેની ક્લાસમેટ હતી. 12 સપ્ટેમ્બર 2023ના રોજ આરોપી સંબંધોની ચર્ચા કરવાના બહાને પીડિતાને એક એપાર્ટમેન્ટમાં લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાને કારણે પીડિતા ભારે આઘાત અને ડિપ્રેશનમાં સરી પડી હતી, જેની સારવાર કેએમસી મણિપાલમાં ચાલી હતી. બાદમાં પીડિતાએ રાષ્ટ્રીય મહિલા આયોગનો સંપર્ક કર્યો હતો, જેના પગલે ઉડુપી મહિલા પોલીસ સ્ટેશનમાં ઇન્ડિયન પીનલ કોડ કલમ 375(a) અને 376 (નવા કાયદા ભારતીય ન્યાય સંહિતા પ્રમાણે કલમ 63 અને 64) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: દીકરી પરિણીત હોય તો પણ પરિવારનો હિસ્સો: સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી અનેક પરિવારોને મળશે રાહત

આગામી સુનાવણી જૂન 8 ના રોજ

અગાઉ 14 મે 2026ના રોજ ઉડુપીની પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી, જેને હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી. કર્ણાટક હાઈકોર્ટે હાલમાં આરોપીને કોઈ તાત્કાલિક રાહત આપી નથી અને રાજ્ય સરકારને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે. આ કેસની આગામી સુનાવણી જૂન 8 ના રોજ નિયત કરાઈ છે.