India

‘LPGની અછત મુદ્દે કેન્દ્ર સરકારે યોગ્ય નિર્ણય કર્યો’ વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે કર્યા વખાણ

By GS TEAM
11 Mar 20262 mins read
TukuTouch Logo
અમેરિકા-ઈઝરાયલ અને ઈરાનના યુદ્ધના કારણે ભારતમાં LPG સંકટ શરૂ થઈ ગયું છે. મધ્ય-પૂર્વમાંથી નિકાસ બંધ થઈ હોવાના કારણે તેમજ જે દેશોમાંથી નિકાસ થાય છે, તેમાં કાપ થયો હોવાના કારણે ગેસ સંકટ શરૂ થયું છે. દેશમાં અનેક ઠેકાણે ગ્રાહકો ગેસ સિલિન્ડર મેળવવા માટે લાઈનમાં ઉભા જોવા મળ્યા છે, ત્યારે આ સંકટને ટાળવા માટે કેન્દ્ર સરકારે અનેક નિર્ણયો લીધા છે, જેને વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે આવકાર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

‘LPGની અછત મુદ્દે કેન્દ્ર સરકારે યોગ્ય નિર્ણય કર્યો’ વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે કર્યા વખાણ

Kapil Sibal On US-Iran War : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાનના યુદ્ધના કારણે ભારતમાં LPG સંકટ શરૂ થઈ ગયું છે. મધ્ય-પૂર્વમાંથી નિકાસ બંધ થઈ હોવાના કારણે તેમજ જે દેશોમાંથી નિકાસ થાય છે, તેમાં કાપ થયો હોવાના કારણે ગેસ સંકટ શરૂ થયું છે. દેશમાં અનેક ઠેકાણે ગ્રાહકો ગેસ સિલિન્ડર મેળવવા માટે લાઈનમાં ઉભા જોવા મળ્યા છે, ત્યારે આ સંકટને ટાળવા માટે કેન્દ્ર સરકારે અનેક નિર્ણયો લીધા છે, જેને વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે આવકાર્યો છે.

‘જો યુદ્ધ વધુ લંબાશે તો...’

અત્યાર સુધી ગ્રાહકો સામાન્ય રીતે 15 દિવસના અંતરાલ પછી બીજું સિલિન્ડર બુક કરાવી શકતા હતા. પરંતુ હવે 21 દિવસનો 'લોક-ઈન પિરિયડ' ફરજિયાત કરવામાં આવ્યો છે. તો કેન્દ્ર સરકારે ઉદ્યોગોને મળતા LPG પર પણ કાપ મૂક્યો છે. ત્યારે આ મામલે રાજ્યસભા સાંસદ સિબ્બરે સરકારના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, ‘આ તો થવાનું જ હતું. જો યુદ્ધ વધુ લંબાશે તો ખૂબ જ અછત સર્જાશે. આપણો ટેક્સટાઈલ ઉદ્યોગ હોય કે પછી આપણી LPGની જરૂરીયાત હોય, 40 ટકા એલપીજી તો કતરથી આવે છે. જો તે બંધ થઈ જશે તો અનેક સેક્ટરો પર ઘણી અસરો પડશે. સરકારે તેને પ્રાધાન્ય આપીને યોગ્ય કામ કર્યું છે.’

આ પણ વાંચો : ‘દેશ ખૂબ જ ગંભીર સ્થિતિમાં...', કેજરીવાલના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર

સરકારનો નિર્ણય યોગ્ય : કપિલ સિબ્બલ

કપિલ સિબ્બલે LPG અંગે કહ્યું કે, ‘સૌથી પહેલા ગ્રાહકોને LPG મળવું જોઈએ, ત્યારબાદ ઉદ્યોગોને મળવો જોઈએ. સરકારનો આ નિર્ણય યોગ્ય છે, પરંતુ આ થવાનું જ હતું. સરકારે પહેલેથી જ નિર્ણય કરવાનો હતો. સરકારે જે દૂર-દ્રષ્ટિ દેખાડવી જોઈતી હતી, તે ન દેખાડી. ત્યારે આવી સ્થિતિમાં સરકારે આ નિર્ણયો લેવાના જ હતા.’

‘કદાચ ટ્રમ્પ આપણને બીજા 30 દિવસનો સમય આપશે’

સિબ્બલે યુદ્ધની સ્થિતિનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે, જો યુદ્ધ ચાલુ રહેશે તો મોંઘવારી વધશે. ભારત મુશ્કેલી સ્થિતિમાં છે, કારણ કે આપો દેશ લગબગ 90 ટકા ક્રૂડ ઓઈલ આયાત કરે છે, અન્ય કોઈ દેશ કરતા નથી. રશિયા ચીનને ક્રૂડ આપી દે છે. જો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવા માટે આપણને 30 દિવસનો સમય આપ્યો છે, તો કદાચ વધુ 30 દિવસનો સમય આપી દે.’

આ પણ વાંચો : ભાજપના ધારાસભ્યએ પોતાની જ સરકારના ભ્રષ્ટાચારની પોલ ખોલી