India

એક્ઝિટ પોલ સાચા પડે તો હરિયાણામાં CM કોણ બને? જાણો મજબૂત દાવેદારોમાં કોણ સૌથી આગળ

By GS Team
6 Oct 20243 mins read
This article was originally published on 6 Oct 2024
TukuTouch Logo
હરિયાણા વિધાનસભા ચૂંટણીની મતગણતરી 8મી ઓક્ટોબરે થશે, પરંતુ વિપક્ષ કોંગ્રેસમાં મુખ્યમંત્રી પદની રેસ પહેલાથી જ તેજ થઈ ગઈ છે. શનિવારે જ્યારે હરિયાણાની તમામ 90 વિધાનસભા બેઠકો માટે મતદાન ચાલી રહ્યું હતું, ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ સંપૂર્ણ બહુમતી મેળવવાનો દાવો કરવાનું શરૂ કર્યું. તેમાંથી કેટલાકે તો મુખ્યમંત્રી પદ માટે પણ દાવો કરી દીધો. જોકે, બધાએ એક સરખી વાત કહી હતી કે આખરી નિર્ણય હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવશે. મોટાભાગના એક્ઝિટ પોલમાં પણ કોંગ્રેસને હરિયાણામાં બહુમતી મળતી દેખાઈ રહી છે ત્યારે ચાલો જાણીએ કે કોણ હરિયાણાના સીએમ પદ માટે દાવેદારી કરી રહ્યાં છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એક્ઝિટ પોલ સાચા પડે તો હરિયાણામાં CM કોણ બને? જાણો મજબૂત દાવેદારોમાં કોણ સૌથી આગળ

Haryana CM and Exit Poll News | હરિયાણા વિધાનસભા ચૂંટણીની મતગણતરી 8મી ઓક્ટોબરે થશે, પરંતુ વિપક્ષ કોંગ્રેસમાં મુખ્યમંત્રી પદની રેસ પહેલાથી જ તેજ થઈ ગઈ છે. શનિવારે જ્યારે હરિયાણાની તમામ 90 વિધાનસભા બેઠકો માટે મતદાન ચાલી રહ્યું હતું, ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ સંપૂર્ણ બહુમતી મેળવવાનો દાવો કરવાનું શરૂ કર્યું. તેમાંથી કેટલાકે તો મુખ્યમંત્રી પદ માટે પણ દાવો કરી દીધો. જોકે, બધાએ એક સરખી વાત કહી હતી કે આખરી નિર્ણય હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવશે. મોટાભાગના એક્ઝિટ પોલમાં પણ કોંગ્રેસને હરિયાણામાં બહુમતી મળતી દેખાઈ રહી છે ત્યારે ચાલો જાણીએ કે કોણ હરિયાણાના સીએમ પદ માટે દાવેદારી કરી રહ્યાં છે. 

ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા

જો હરિયાણામાં કોંગ્રેસને પૂર્ણ બહુમતી મળે છે તો સીએમ બનવાની રેસમાં સૌથી આગળ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા છે, જેઓ 2005 થી 2014 સુધી બે વખત સીએમ રહી ચૂક્યા છે. તેમણે હરિયાણામાં વિધાનસભા ચૂંટણી અને તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં પણ પાર્ટીનું નેતૃત્વ કર્યું છે. તેમણે કહ્યું કે, “હું હજી નિવૃત્ત થયો નથી. માત્ર કોંગ્રેસ પાર્ટી જ સરકાર બનાવશે. મુખ્યમંત્રી કોણ હશે તે પાર્ટી હાઈકમાન્ડ નક્કી કરશે.

કુમારી શૈલજા

બીજી બાજુ હુડ્ડાના કટ્ટર હરીફ અને સિરસાના સાંસદ કુમારી શૈલજાને પણ સીએમ પદના મુખ્ય દાવેદાર તરીકે જોવામાં આવે છે. એક અગ્રણી દલિત ચહેરો હોવા ઉપરાંત, તે ગાંધી પરિવાર સાથેની નિકટતા માટે પણ જાણીતા છે. તેમણે કહ્યું, "કોંગ્રેસ મારા બહોળા અનુભવ અને પક્ષ પ્રત્યેની મારી નિર્વિવાદ વફાદારીને નકારી શકે નહીં. શૈલજા કોંગ્રેસના વફાદાર સૈનિક છે અને હંમેશા કોંગ્રેસની સાથે રહેશે. બધા જાણે છે કે કોંગ્રેસના સીએમ કોણ હશે તેનો નિર્ણય હાઈકમાન્ડ દ્વારા જ લેવાશે. 

દીપેન્દ્ર હુડ્ડા

કોંગ્રેસ વર્તુળોમાં વધુ એક નામ ચર્ચાઈ રહ્યું છે. જો વરિષ્ઠ હુડ્ડા સીએમ રેસમાંથી ખસી જાય તો તેમના પુત્ર અને રોહતકના સાંસદ દીપેન્દ્ર હુડ્ડા સીએમની ખુરશી માટે મજબૂત દાવેદાર તરીકે ઉભરી આવશે. શૈલજા દ્વારા સીએમ પદ માટે પોતાનો દાવો રજૂ કરવા પર દીપેન્દ્રએ કહ્યું, “શૈલજાએ જે કહ્યું છે તેમાં કંઈ ખોટું નથી. કોંગ્રેસમાં યોગ્ય પ્રક્રિયા છે. પક્ષને બહુમતી મળે અને સરકાર બનાવવી એ પહેલી પ્રાથમિકતા છે. "પાર્ટી હાઈકમાન્ડના સ્તરે એક બેઠક થશે, તેમાં ચૂંટાયેલા ધારાસભ્યોની સલાહ લેવામાં આવશે અને અંતિમ નિર્ણય પાર્ટી હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવશે. 

રણદીપ સિંહ સુરજેવાલા

શનિવારે ગૃહ મતવિસ્તાર કૈથલમાં મતદાન કર્યા પછી રાજ્યસભા સાંસદ અને AICC મહાસચિવ રણદીપ સિંહ સુરજેવાલાએ પણ કહ્યું હતું કે, “મુખ્યમંત્રી બનવાની મહત્વાકાંક્ષા રાખવી તે ખોટું નથી. રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સીએમ ચહેરા માટે જે નિર્ણય લેશે તે અમે સ્વીકારીશું. તમને જણાવી દઈએ કે તેમના સમર્થકો પણ સુરજેવાલા સીએમની રેસમાં જોવા મળે છે.

ઉદય ભાન

પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે હરિયાણા કોંગ્રેસના વડા અને દલિત નેતા ઉદય ભાન, જેઓ હુડ્ડાના વફાદાર માનવામાં આવે છે, તેઓ પણ મુખ્યમંત્રી પદના દાવેદારોમાંના એક છે. સૂત્રોએજણાવ્યું કે દિલ્હીમાં AICC નેતાઓ સાથેની બેઠકમાં ભાને એવો પણ દાવો કર્યો હતો કે જો પાર્ટી કોઈ દલિત ચહેરાને મુખ્યમંત્રી તરીકે નામ આપે છે તો તેઓ તેમનો દાવો રજૂ કરશે.