Get The App

મધ્ય પ્રદેશમાં ગમખ્વાર અકસ્માત, માતાના દર્શન કરી પાછા ફરતા 5 શ્રદ્ધાળુઓને કાળ ભરખી ગયો

Updated: Mar 27th, 2026

GS TEAM

Google News
Google News
મધ્ય પ્રદેશમાં ગમખ્વાર અકસ્માત, માતાના દર્શન કરી પાછા ફરતા 5 શ્રદ્ધાળુઓને કાળ ભરખી ગયો 1 - image


Video Grab from x

Accident News: મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં બુધવારે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. થાટીપુર જૈન મંદિર પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી એક એસયુવી કારે ઓટો રિક્ષાને જોરદાર ટક્કર મારતા 5 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

કેવી રીતે સર્જાયો અકસ્માત?

પોલીસના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના રાત્રે અંદાજે 3 વાગ્યાની આસપાસ બસ સ્ટેન્ડ નજીક બની હતી. એસયુવી ચાલકે સૌપ્રથમ બસ સ્ટેન્ડ પાસે એક વાહનને ટક્કર મારી હતી, ત્યારબાદ તે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી બેઠો હતો. બેકાબૂ બનેલી એસયુવી કાર જૈન મંદિર પાસે ઉભેલી ઓટો રિક્ષા સાથે ધડાકાભેર અથડાઈ હતી.

5 ના મોત જ્યારે 4 ગંભીર રીતે ઘાયલ

આ અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિએ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. જ્યારે 4 લોકોની સારવાર ચાલી રહી છે. જો કે તેમની સ્થિતિ પણ ગંભીર છે.  

મૃતકો: ઇન્દ્રજીત શાક્ય (55), લીલા (52), શુભમ (30), પ્રીતિ કશ્યપ (60) અને શગુન. 

ઈજાગ્રસ્તો: પ્રીતિ (20), પ્રિયાંશ (5), આરવ (6) અને એક અજ્ઞાત વ્યક્તિ હાલ ટ્રોમા સેન્ટરમાં સારવાર હેઠળ છે.

ડ્રાઈવરની ધરપકડ અને તપાસ

સીએસપી અતુલ કુમાર સોનીએ જણાવ્યું કે, એસયુવી ચાલકની તાત્કાલિક ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસને પ્રાથમિક તપાસમાં અકસ્માતનું મુખ્ય કારણ અતિશય ઝડપ અને બેદરકારી જણાઈ રહી છે. ડ્રાઈવર નશામાં હતો કે કેમ તે ચકાસવા માટે તેનું મેડિકલ પરીક્ષણ કરાવવામાં આવી રહ્યું છે.