India

કોલકાતામાં 5.5ની તીવ્રતાનો ભારે ભૂકંપ, લોકો ડરને લીધે ઘર-ઑફિસોની બહાર દોડ્યા

By GS TEAM
27 Feb 20262 mins read
TukuTouch Logo
કોલકાતા અને તેની આસપાસના વિસ્તારોમાં શુક્રવારે બપોરે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલૉજી(NCS)ના જણાવ્યા અનુસાર, બપોરે અંદાજે 1:22 વાગ્યે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 નોંધાઈ હતી. ભૂકંપના આંચકા એટલા તેજ હતા કે લોકો ડરના માર્યા પોતાના ઘર અને ઑફિસોની બહાર દોડી આવ્યા હતા. ખાસ કરીને બહુમાળી ઇમારતોમાં રહેતા લોકોમાં ભારે ગભરાટ જોવા મળ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

કોલકાતામાં 5.5ની તીવ્રતાનો ભારે ભૂકંપ, લોકો ડરને લીધે ઘર-ઑફિસોની બહાર દોડ્યા

Kolkata Earthquake News : કોલકાતા અને તેની આસપાસના વિસ્તારોમાં શુક્રવારે બપોરે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલૉજી(NCS)ના જણાવ્યા અનુસાર, બપોરે અંદાજે 1:22 વાગ્યે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 નોંધાઈ હતી. ભૂકંપના આંચકા એટલા તેજ હતા કે લોકો ડરના માર્યા પોતાના ઘર અને ઑફિસોની બહાર દોડી આવ્યા હતા. ખાસ કરીને બહુમાળી ઇમારતોમાં રહેતા લોકોમાં ભારે ગભરાટ જોવા મળ્યો હતો.

ભૂકંપનું કેન્દ્રબિંદુ: ટાકીથી 26 કિમી દૂર નોંધાયું એપીસેન્ટર

અમેરિકન જીઓલોજિકલ સર્વે(USGS) મુજબ, ભૂકંપનું કેન્દ્રબિંદુ પશ્ચિમ બંગાળના ટાકીથી 26 કિમી દક્ષિણ-પૂર્વમાં નોંધાયું છે. આ ભૂકંપ જમીનથી માત્ર 9.8 કિમીની ઊંડાઈએ આવ્યો હોવાથી તેની અસર ખૂબ જ તીવ્રતાથી અનુભવાઈ હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લોકો પોતાના અનુભવો શેર કરી રહ્યા છે, જેમાં કેટલાક લોકોએ જણાવ્યું કે તેમણે જીવનમાં પહેલીવાર આટલા ભયાનક આંચકા અનુભવ્યા છે.

આ પણ વાંચો: 'મેં ક્યારેય નથી કહ્યું કે હું બીમાર છું...', રાજીનામાંના કારણ અંગે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડે તોડ્યું મૌન

સદનસીબે જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર નથી

રાહતની વાત એ છે કે અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. કોલકાતા ઉપરાંત પાડોશી જિલ્લાઓમાં પણ આ આંચકા અનુભવાયા હોવાના અહેવાલો છે. ભૂકંપ બાદ લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો અને સુરક્ષાના કારણોસર લોકો લાંબો સમય સુધી ખુલ્લા મેદાનમાં ઊભેલા જોવા મળ્યા હતા.