ઉદ્ધવ ઠાકરેની જીદ બાદ I.N.D.I.A ગઠબંધનમાં પણ ખેંચતાણ, કોંગ્રેસે આપેલા સંકેતથી ટેન્શન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Maharashtra Politics: ઉદ્ધવ ઠાકરેએ આ વખતે વિધાન પરિષદના સભ્ય ન બનવાનો નિર્ણય લીધો છે. તેમના સ્થાને ઉદ્ધવ સેના ઇચ્છે છે કે અંબાદાસ દાનવેને ગૃહમાં મોકલવામાં આવે. ઉદ્ધવ ઠાકરે ઠાકરે પરિવારના એવા પ્રથમ સભ્ય હતા જે ગૃહમાં પહોંચ્યા હતા. તે સમયે એવી ચર્ચાએ પણ જોર પકડ્યું હતું કે, આ એક ખોટી પરંપરા છે અને તે બાલાસાહેબ ઠાકરેની વિચારધારાથી અલગ છે, કારણ કે તેઓ પોતે ક્યારેય કોઈ પણ ગૃહમાં ચૂંટાયા નહોતા. આવી સ્થિતિમાં ઉદ્ધવ ઠાકરેના આ નિર્ણયને પોતાની ભૂલ સુધારવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે. આ વચ્ચે એવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે ભલે ઉદ્ધવ ઠાકરે વિધાન પરિષદના સભ્ય બનવા ન માંગતા હોય, પરંતુ I.N.D.I.A ગઠબંધન હવે તેમના સ્થાને ઉદ્ધવ સેનાના અન્ય કોઈ નેતાના નામ પર સહમત નથી દેખાઈ રહ્યું.
કોંગ્રેસની વાંકી નજરે ટેન્શન વધાર્યું
કોંગ્રેસે સંકેત આપ્યો છે કે જો ઉદ્ધવ ઠાકરે પોતે ગૃહમાં નહીં જાય, તો તે પોતાનો ઉમેદવાર ઉતારી શકે છે. મહારાષ્ટ્રમાં નવ વિધાનસભા બેઠકો ખાલી પડી રહી છે અને તેમાં બેઠક જ વિપક્ષી ગઠબંધન જીતવાની સ્થિતિમાં છે. આવી સ્થિતિમાં એક અનાર સો બીમાર જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. ઉદ્ધવ ઠાકરે મોટા નેતા છે, તેથી કોઈ તેમની બેઠક પર દાવો નહોતું કરી રહ્યું, પરંતુ હવે જ્યારે તેઓ પાછળ હટી રહ્યા છે, ત્યારે કોંગ્રેસની આશાઓ વધી રહી છે. 2020માં જ્યારે ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા હતા ત્યારે NCP અને કોંગ્રેસે તેમને વિધાનસભા પરિષદમાં જવા માટે કહ્યું હતું. આમ ત્રણેય પક્ષો સત્તા માટે એકજૂઠ થયા હતા, પરંતુ હવે જ્યારે વિપક્ષમાં છે ત્યારે એક-એક બેઠક માટે સંઘર્ષની સ્થિતિ બની રહી છે.
તાજેતરમાં, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હર્ષવર્ધન સકપાલે ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી અને કહ્યું હતું કે, તમે ખુદ ચૂંટણીમાં ઉતરો. આ ઉપરાંત તેમણે એવો પણ સંકેત આપ્યો હતો કે જો સેના પ્રમુખ પોતે વિધાન પરિષદમાં નહીં જાય તો કોંગ્રેસ પોતાનો ઉમેદવાર ઉતારવા માગે છે. બુધવારે હર્ષવર્ધન સકપાલ દિલ્હીમાં હતા અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. એવું માનવામાં આવે છે કે તેમણે હાઇકમાન્ડ પાસે એ માગ કરી છે કે હવે ઉદ્ધવ ઠાકરે દ્વારા ખાલી કરાયેલી બેઠક માટે કોંગ્રેસે પોતાનો ઉમેદવાર મેદાનમાં ઉતારવો જોઈએ.
જો કે, ઉદ્ધવ સેનાએ પહેલાથી જ જાહેરાત કરી દીધી છે કે તેઓ ઉદ્ધવ ઠાકરેના સ્થાને અંબાદાસ દાનવેને મેદાનમાં ઉતારશે.
અમે ઉદ્ધવ સેના વિરુદ્ધ ઉમેદવાર ઉતારી શકીએ છીએ: કોંગ્રેસ
આવી સ્થિતિમાં જો કોંગ્રેસ પક્ષ પોતાના ઉમેદવાર માટે દબાણ બનાવશે તો એ નક્કી છે કે પરસ્પર ખેંચતાણ શરૂ થઈ જશે. કોંગ્રેસની એ દલીલ એ પણ છે કે આખરે ઉદ્ધવ સેના તેના સાથી પક્ષોને વિશ્વાસમાં લીધા વિના એકપક્ષીય નિર્ણય કેવી રીતે લઈ શકે છે. આટલું જ નહીં કોંગ્રેસના અન્ય નેતા ભાઈ જગતાપે તો દાનવે સામે ઉમેદવાર જ ઉતારવાની વાત કરી છે. તેમણે કહ્યું કે આ મામલે સાચો અભિપ્રાય રહેશે, પરંતુ મને એટલી જાણકારી છે કે, અંબાદાસ દાનવે વિરુદ્ધ કોંગ્રેસ પોતાનો ઉમેદવાર ઉતારી શકે છે. હવે આ મામલો રસપ્રદ બનતો જાય છે કારણ કે વિપક્ષમાં વિભાજનને કારણે ભાજપ અને શિવસેના પણ એક વધારાનો ઉમેદવાર ઉતારી શકે છે.








