India

પશ્ચિમ બંગાળની નંદીગ્રામ પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારની ધરપકડ, મમતા બેનર્જીએ આજે જ આપ્યું હતું સમર્થન

By GS Team
18 Sep 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમ બંગાળના નંદીગ્રામ પેટાચૂંટણીમાં રાજકીય નાટકીય વળાંક આવ્યો છે. મમતા બેનર્જીએ કોંગ્રેસ ઉમેદવાર મિલન પ્રધાનને સમર્થન જાહેર કરતાં જ બંગાળ પોલીસે જૂના કેસમાં તેમની ધરપકડ કરી. અગાઉ, મમતા સમર્થક ઉમેદવાર સંચિતા પ્રધાન ડેએ શુભેન્દુ અધિકારીને મળ્યા બાદ ઉમેદવારી પાછી ખેંચી હતી. આ ઘટનાથી રાજ્યના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પશ્ચિમ બંગાળની નંદીગ્રામ પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારની ધરપકડ, મમતા બેનર્જીએ આજે જ આપ્યું હતું સમર્થન

Nandigram Bypoll Twist Congress Candidate: પશ્ચિમ બંગાળના નંદીગ્રામ પેટાચૂંટણીમાં એક મોટો રાજકીય ઘાટ સર્જાયો છે. મમતા બેનર્જીએ કોંગ્રેસ ઉમેદવાર મિલન પ્રધાનને સમર્થન આપવાની જાહેરાત કરી અને તેના થોડા જ સમય બાદ બંગાળ પોલીસે મિલન પ્રધાનની એક જૂના કેસમાં ધરપકડ કરી લીધી છે. આ પહેલાં મમતા સમર્થક ઉમેદવાર સંચિતા પ્રધાન ડેએ મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી સાથે મુલાકાત કર્યા બાદ ચૂંટણીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.

મમતાના સમર્થનની જાહેરાત બાદ તરત જ ધરપકડ

પશ્ચિમ બંગાળની નંદીગ્રામ પેટાચૂંટણીમાં શુક્રવારે મોટો રાજકીય ડ્રામા સર્જાયો હતો. મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા કોંગ્રેસ ઉમેદવાર મિલન પ્રધાનને સમર્થન આપવાના નિર્ણયના થોડા જ કલાકોમાં પોલીસે જૂના કેસના સંદર્ભમાં કોંગ્રેસ ઉમેદવારની અટકાયત કરી લીધી હતી. આ ઘટનાથી રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

મમતા ઉમેદવારે નામ પાછું ખેંચ્યું

મમતા બેનર્જીના જૂથ તરફથી ઉમેદવાર બનાવાયેલા સંચિતા પ્રધાન ડે, કે જેઓ વ્યવસાયે શિક્ષિકા છે, તેમણે શુક્રવારે રાજ્ય સચિવાલય 'નબન્ના' ખાતે મુખ્યામંત્રી શુભેન્દુ અધિકારી સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ તેમણે પેટા ચૂંટણીમાંથી પોતાનું નામાંકન પાછું ખેંચી લીધું હતું. ત્યારબાદ નંદીગ્રામમાં મમતા જૂથનો કોઈ ઉમેદવાર ન રહેતાં, મમતા બેનર્જીએ ઇન્ડિયા (INDIA) ગઠબંધનને મજબૂત કરવાના હેતુથી કોંગ્રેસના મિલન પ્રધાનને સમર્થન આપવાની જાહેરાત કરી હતી.

ચૂંટણી પંચના નિર્ણયને ગણાવ્યો 'બ્લેક ડે'

ચૂંટણી પંચ દ્વારા ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસનું નામ અને 'બે ફૂલ-ઘાસ'નું ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કરી દેવાના નિર્ણય પર મમતા બેનર્જીએ કડક વિરોધ નોંધાવ્યો હતો. તેમણે તેને દેશના લોકતાંત્રિક ઇતિહાસનો 'બ્લેક ડે' ગણાવ્યો હતો. ચૂંટણી પંચે મમતા જૂથને 'મમતા ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ' અને 'ફૂટબોલ ખેલાડી' ચિહ્ન આપ્યું છે, જ્યારે અરૂપ રોયના બીજા જૂથને 'ડેમોક્રેટિક તૃણમૂલ કોંગ્રેસ' અને 'લીફાફા' (કવર) નું ચિહ્ન ફાળવ્યું છે.

મમતા બેનર્જીએ દાવો કર્યો છે કે, આ નિર્ણય બાદ રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલે તેમનો સંપર્ક કર્યો હતો, અને તેઓ ભાજપ સામે કાનૂની અને રાજકીય લડાઈ ચાલુ રાખશે.