India

‘ભાજપ શાસિત રાજ્યોમાં દેખાવકારો સામે બદલાની કાર્યવાહી બંધ કરો...’ કોકરોચ પાર્ટીની સરકારને ચેતવણી

By GS Team
27 Jul 20262 mins read
TukuTouch Logo
'કોકરોચ જનતા પાર્ટી'ના સૌરવ દાસે સરકારને 28 જુલાઈ સુધીમાં વિદ્યાર્થીઓ સામેની કાર્યવાહી રોકવા ચેતવણી આપી છે. આસામ, બંગાળ અને બિહારમાં વિદ્યાર્થીઓની અટકાયત અને FIR સામે તેમણે વિરોધ નોંધાવ્યો છે. દાસે માંગ કરી છે કે તમામ FIR પાછી ખેંચી, અટકાયતીઓને મુક્ત કરાય અને બદલાલક્ષી કાર્યવાહી બંધ થાય, અન્યથા તેઓ કડક પગલાં લેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

‘ભાજપ શાસિત રાજ્યોમાં દેખાવકારો સામે બદલાની કાર્યવાહી બંધ કરો...’ કોકરોચ પાર્ટીની સરકારને ચેતવણી

CJP Threat To Government | 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) ના નેતા સૌરવ દાસે સોશિયલ મીડિયા પર એક નિવેદન જાહેર કરીને આસામ, પશ્ચિમ બંગાળ અને બિહારમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ અને આંદોલનકારીઓની થઈ રહેલી અટકાયત અને ધરપકડ સામે ભારે ચિંતા અને વિરોધ વ્યક્ત કર્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ભારત સરકાર દ્વારા કોઈ પણ આંદોલનકારી સામે અત્યારે કે ભવિષ્યમાં કોઈ પણ દંડાત્મક કાર્યવાહી નહીં કરવામાં આવે તેવી ખાતરી આપ્યા બાદ જ આંદોલન મુલતવી રાખવામાં આવ્યું હતું.

કાનૂની સહાય અને FIR પાછી ખેંચવાની માંગ

સૌરવ દાસે તમામ વિદ્યાર્થીઓને આશ્વાસન આપતાં જણાવ્યું છે કે તેમની લીગલ ટીમ સંબંધિત રાજ્યોના શ્રેષ્ઠ વકીલો સાથે મળીને અટકાયત કરાયેલા તમામ લોકોની મુક્તિ માટે કામ કરી રહી છે. આ સાથે જ તેમણે જે.પી. નડ્ડા અને ડૉ. જીતેન્દ્ર સિંઘને ટેગ કરીને માંગ કરી છે કે:

વિદ્યાર્થીઓ પર કરવામાં આવેલી તમામ એફઆઈઆર (FIR) તાત્કાલિક અસરથી પાછી ખેંચવામાં આવે.

અટકાયતમાં લેવાયેલા તમામ વિદ્યાર્થીઓને વિના વિલંબે મુક્ત કરવામાં આવે.

ભાજપ અને NDA શાસિત રાજ્યોમાં આંદોલનકારીઓ સામે કોઈપણ પ્રકારની બદલાલક્ષી કાર્યવાહી અટકાવવામાં આવે.

28 જુલાઈ સુધીમાં લેખિત ગેરંટી આપવા આહ્વાન

CJP એ સરકારને યાદ અપાવ્યું છે કે મંગળવાર, 28 જુલાઈ 2026 સુધીમાં આ સંદર્ભે લેખિત ગેરંટી આપવાનું વચન આપવામાં આવ્યું હતું. જો સરકાર પોતાના વચનમાંથી પાછળ હટશે, તો આ દેશના લાખો યુવાનો સાથે વિશ્વાસઘાત ગણાશે. CJP એ ચેતવણી આપી છે કે જો કાલે (28 જુલાઈ) સુધીમાં તમામ detainees ને મુક્ત કરવામાં નહીં આવે અને FIR પાછી નહીં ખેંચાય, તો તેઓ આગળના જરૂરી અને કડક પગલાં ભરવા માટે મજબૂર બનશે.