India

સીમાંકન બિલ 2.0? મહત્ત્વાકાંક્ષી બિલ પસાર કરાવવા વિપક્ષી સાંસદો પર સરકારની નજર

By GS Team
4 Jun 20262 mins read
TukuTouch Logo
Delimitation Bill 2.0: લોકસભામાં મહિલા અનામત અને સીમાંકન બિલને લઈને મળેલી નિષ્ફળતાના એક મહિના બાદ, કેન્દ્ર સરકાર ફરી એકવાર 'સીમાંકન બિલ' લાવવાની તૈયારી કરી રહી છે. સંસદના આગામી ચોમાસુ સત્રને ધ્યાનમાં રાખીને સરકારે પ્રાદેશિક પક્ષો સાથે સહમતિ સાધવા માટેના પ્રયાસો તેજ કર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સીમાંકન બિલ 2.0? મહત્ત્વાકાંક્ષી બિલ પસાર કરાવવા વિપક્ષી સાંસદો પર સરકારની નજર

Delimitation Bill 2.0: લોકસભામાં મહિલા અનામત અને સીમાંકન બિલને લઈને મળેલી નિષ્ફળતાના એક મહિના બાદ, કેન્દ્ર સરકાર ફરી એકવાર 'સીમાંકન બિલ' લાવવાની તૈયારી કરી રહી છે. સંસદના આગામી ચોમાસુ સત્રને ધ્યાનમાં રાખીને સરકારે પ્રાદેશિક પક્ષો સાથે સહમતિ સાધવા માટેના પ્રયાસો તેજ કર્યા છે.

DMK અને TMCના સાંસદો પર સરકારની નજર

મીડિયા અહેવાલોના જણાવ્યા અનુસાર, સરકારે DMK અને તૃણમૂલ કોંગ્રેસ જેવા વિરોધ પક્ષો સાથે વાતચીત શરૂ કરી છે.

TMCનો અભિગમ: સૂત્રો મુજબ, અનેક TMC સાંસદોએ સરકારના આ અભિગમ પર હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે અને તેઓ સીમાંકનના મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે.

DMKની ભૂમિકા: DMK, જેણે અગાઉ સીમાંકન અંગે ચિંતા વ્યક્ત કરી હતી, તે હવે આ મુદ્દે થોડું નરમ વલણ અપનાવી રહી છે. આ પક્ષ સરકારના સંશોધિત ડ્રાફ્ટની રાહ જોઈ રહ્યો છે.

અગાઉ કેમ નિષ્ફળ ગયું હતું બિલ?

આશરે એક મહિના પહેલાં લોકસભામાં એક બિલ રજૂ કરવામાં આવ્યું હતું, જેનો હેતુ નવા વસતી ગણતરી વગર જ મહિલા અનામતને ઝડપથી લાગુ કરવાનો અને સીમાંકન કરવાનો હતો. પરંતુ, મહિલા અનામત બિલને જોઈએ તેટલું સમર્થન મળ્યું નહોતું.

મતદાન કરનાર સભ્યો: 528

બિલની તરફેણમાં મત: 298

બિલની વિરોધમાં મત: 230

જરૂરિયાત (2/3 બહુમતી): 352

મહિલા અનામત બિલમાં નિષ્ફળતા બાદ, કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ સ્પીકર ઓમ બિરલાને 'સીમાંકન બિલ 2026' અને 'કેન્દ્રશાસિત પ્રદેશ કાયદા (સુધારા) બિલ 2026' સાથે આગળ ન વધવા વિનંતી કરી હતી.

શું હતું સરકારનું લક્ષ્ય?

સરકારે 16થી 18 એપ્રિલ દરમિયાન સંસદનું ખાસ સત્ર બોલાવ્યું હતું. આનો હેતુ 'નારી શક્તિ વંદન અધિનિયમ' માં સુધારા કરવાનો હતો.

મહિલા અનામત: લોકસભા અને રાજ્ય વિધાનસભામાં 33 ટકા અનામત.

સીટોમાં વધારો: 2029 સુધીમાં ક્વોટા લાગુ કરવા માટે લોકસભાની બેઠકો 543થી વધારીને 850 કરવાનો પ્રસ્તાવ હતો.

વિવાદનું કારણ: આ સીમાંકન છેલ્લી પ્રકાશિત થયેલી વસતી ગણતરીના આધારે કરવાનું હતું, જેનો વિપક્ષે જોરદાર વિરોધ કર્યો હતો.