India

બિહારમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે નીતીશ કુમારે NDAમાં જોડાવાની અટકળોને નકારી

By GS Team
25 Jan 20232 mins read
This article was originally published on 25 Jan 2023
બિહારમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે નીતીશ કુમારે NDAમાં જોડાવાની અટકળોને નકારી

- નીતીશ કુમારે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા

પટના, તા. 25 જાન્યુઆરી 2023, બુધવાર

બિહારમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે ચર્ચા ચાલી રહી છે કે, મુખ્યમંત્રી નીતીશ કુમાર ફરી એક વખત પલટી શકે છે અને મહાગઠબંધન છોડીને NDAમાં જઈ શકે છે. જોકે, હવે સીએમ નીતીશ કુમારે આ વાતને ફાલતુ ગણાવી છે. તેમણે કહ્યું કે, તેમના સંપર્કમાં કોઈ નથી પરંતુ તેમની પાર્ટીના નેતા ઉપેન્દ્ર કુશવાહા પોતે બીજેપીના સંપર્કમાં છે. તેઓ ફાલતુ નિવેદનો કરી રહ્યા છે. નીતિશે નરેન્દ્ર મોદી સરકાર પર પણ આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે બિહારમાં કેન્દ્ર વિકાસ નથી કરી રહ્યું.

સીએમ નીતિશે બુધવારે પટનાની એએન કોલેજમાં કાર્યક્રમને સંબોધિત કરતા વર્તમાન રાજકીય ઘટનાક્રમ પર ખુલીને વાત કરી હતી. તેમણે JDU નેતા ઉપેન્દ્ર કુશવાહાના નિવેદનનો પલટવાર કર્યો, જેમાં તેઓ દાવો કરી રહ્યા હતા કે પાર્ટીના નેતાઓ ભાજપના સંપર્કમાં છે. સીએમ નીતીશે મહાગઠબંધન છોડીને એનડીએમાં પાછા જવાની અટકળોને ફગાવતા કહ્યું કે કોઈ તેમની સાથે સંપર્કમાં નથી. તેના બદલે ઉપેન્દ્ર કુશવાહા પોતે બીજી પાર્ટીના સંપર્કમાં છે અને ભાજપ સાથે જવા માંગે છે. તેને જ્યાં જવું હોય ત્યાં જવા દો જે ઈચ્છે તે કરો. પક્ષને વાંધો નથી.

આ સાથે મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકાર પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, કેન્દ્રએ રાજ્યોનો વિકાસ કરવો જોઈએ તેનાથી જ દેશનો વિકાસ થશે. જે રાજ્યનો વિકાસ નથી થઈ રહ્યો તે મોદી સરકારે જોવું જોઈએ. રાજ્ય સરકાર બિહારના વિકાસ માટે ઘણું કામ કરવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ ભંડોળના અભાવે સમસ્યા ઊભી થઈ રહી છે. કેન્દ્ર સરકારે પહેલા ક્યારેય પણ રાજ્ય સરકારના કામમાં હસ્તક્ષેપ નહોતો કર્યો. અમે બિહારના વિકાસ માટે કામ કરી રહ્યા છીએ. કેન્દ્રએ મદદ કરી હોત તો સારું હોત.

સીએમ નીતીશે કહ્યું કે, બીજેપી સરકાર માત્ર પોતાના માટે કામ કરી રહી છે. કેન્દ્ર ગરીબ રાજ્યોની મદદ નથી કરી રહી. કેન્દ્ર ગરીબ રાજ્યોની મદદ નથી કરી રહી. જ્યારે તેઓ બીજેપી સાથે હતા ત્યારે પણ મદદ નહોતી કરી. જ્યાં સુધી બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો નહીં મળે ત્યાં સુધી તેનો વિકાસ નહીં થાય. તેમણે કહ્યું કે જો કેન્દ્ર મદદ નહીં કરે તો પણ તેઓ રાજ્યનો વિકાસ કરશે.