India

કેજરીવાલના સરકારી આવાસ પર મોટો નિર્ણય, BJPની રેખા સરકાર 'શીશમહેલ'ને કલ્ચરલ સેન્ટરમાં ફેરવશે

By GS Team
6 Jul 20261 min read
TukuTouch Logo
દિલ્હી ભાજપ સરકારે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સિવિલ લાઈન્સ સ્થિત સત્તાવાર આવાસને 'શીશમહેલ' તરીકે ઓળખાવ્યો છે. હવે આ આવાસને સ્ટેટ ગેસ્ટ હાઉસ અને અત્યાધુનિક સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે વિકસાવવાનો નિર્ણય લેવાયો છે. અહીં VVIP મહેમાનો, સરકારી પ્રતિનિધિમંડળો અને ઉચ્ચ અધિકારીઓ માટે આધુનિક સુવિધાઓથી સજ્જ કાયમી રોકાણ વ્યવસ્થા કરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

કેજરીવાલના સરકારી આવાસ પર મોટો નિર્ણય, BJPની રેખા સરકાર 'શીશમહેલ'ને કલ્ચરલ સેન્ટરમાં ફેરવશે

Arvind Kejriwal Sheesh Mahal : દિલ્હીની ભાજપ સરકારે સિવિલ લાઈન્સ સ્થિત 6-ફ્લેગસ્ટાફ રોડ પર આવેલા પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સત્તાવાર આવાસને લઈને મોટો નિર્ણય લીધો છે. દિલ્હી સરકાર હવે, આ સત્તાવાર આવાસને સ્ટેટ ગેસ્ટ હાઉસ અને અત્યાધુનિક કલ્ચરલ સેન્ટર (સાંસ્કૃતિક કેન્દ્ર) તરીકે વિકસાવશે. ભાજપ સરકાર દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલના આ આવાસને 'શીશમહેલ' કહે છે. હવે આ જ આવાસમાં દિલ્હી સરકાર VVIP મહેમાનોની મહેમાનગતિ કરશે. આ માટે સરકારે સંપૂર્ણ રોડમેપ તૈયાર કર્યો છે.

અહીં સરકારી મહેમાનો માટે કાયમી સુવિધાની વ્યવસ્થા કરવામાં આવશે. દેશ-વિદેશથી અહીં આવનારા સરકારી પ્રતિનિધિમંડળો, વિશિષ્ટ અતિથિઓ અને ઉચ્ચ સ્તરીય અધિકારીઓના રોકાણ માટે આધુનિક સુવિધાઓથી સજ્જ ગેસ્ટ હાઉસ તૈયાર કરવામાં આવશે. તેને સ્ટેટ ગેસ્ટ હાઉસ અને અત્યાધુનિક કલ્ચરલ સેન્ટર તરીકે વિકસાવવામાં આવશે.