India

આસામ વિધાનસભામાં UCC બિલ પસાર, ઉત્તરાખંડ, ગુજરાત બાદ કાયદો લાગુ કરનાર ત્રીજું રાજ્ય

By GS Team
27 May 20263 mins read
TukuTouch Logo
આસામ વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ(UCC) બિલ પસાર થઈ ગયું છે. આ બિલ પસાર થતાં ઘણા નિયમોમાં ફેરફાર થવાની તૈયારી છે. UCC હેઠળ, દ્વિપત્નીત્વ અથવા બહુપત્નીત્વ કરવાથી સાત વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. તેમજ ઇરાદાપૂર્વક 60 દિવસની અંદર લગ્ન અથવા છૂટાછેડાની નોંધણી ન કરવામાં આવે તો રૂ.10,000ના દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આસામ વિધાનસભામાં UCC બિલ પસાર, ઉત્તરાખંડ, ગુજરાત બાદ કાયદો લાગુ કરનાર ત્રીજું રાજ્ય

Assam UCC Bill 2026: આસામ વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ(UCC) બિલ પસાર થઈ ગયું છે. આ બિલ પસાર થતાં ઘણા નિયમોમાં ફેરફાર થવાની તૈયારી છે. UCC હેઠળ, દ્વિપત્નીત્વ અથવા બહુપત્નીત્વ કરવાથી સાત વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. તેમજ ઇરાદાપૂર્વક 60 દિવસની અંદર લગ્ન અથવા છૂટાછેડાની નોંધણી ન કરવામાં આવે તો રૂ.10,000ના દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. 

UCC પર આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ જણાવ્યું હતું કે, આ કાયદાનો ઉદ્દેશ્ય લઘુમતી સમુદાયોની મહિલાઓ માટે વધુ સુરક્ષા અને ન્યાય સુનિશ્ચિત કરવાનો છે. જો કે, AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી સહિત ઘણા મુસ્લિમ નેતાઓ આ બિલ મામલે વિરોધ નોંધાવી રહ્યા છે.  UCC બિલની ટીકા કરતા ઓવૈસીએ તેને મુસ્લિમો પર હિન્દુ કાયદા લાદવાનો "પરોક્ષ પ્રયાસ" ગણાવ્યો છે. ઓવૈસીએ દાવો કર્યો હતો કે, આ બિલ હેઠળ ઉત્તરાધિકાર, વારસો અને છૂટાછેડા સંબંધિત બાબતોમાં હિન્દુ સિદ્ધાંતો લાદવામાં આવી રહ્યા છે. આસામમાં UCC બિલ પસાર થયા પછી થનારા 10 ફેરફારો વિશે જાણકારી મેળવીએ.

- 'સંપૂર્ણ સમાનતા અને સામાન્ય ન્યાય' સુનિશ્ચિત કરવા માટે UCC વિવિધ ધર્મ-આધારિત વ્યક્તિગત કાયદાઓને રિપ્લેસ કરશે, પરંતુ આમાંથી અનુસૂચિત જનજાતિને બાકાત રાખવામાં આવ્યા છે.

- UCC હેઠળ દ્વિપત્નીત્વ અને બહુપત્નીત્વ સંબંધિત નિયમો અત્યંત કડક બનાવવામાં આવ્યા છે. આમ આ પ્રકારનું કૃત્ય કરનારા સામે BNS 2023ની કલમ 82 હેઠળ સાત વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.

- UCC એકપત્નીત્વને અનિવાર્ય બનાવે છે. જો કોઈ એક કરતાં વધુ લગ્ન કરે છે, તો આવા લગ્ન ગેરકાયદે ગણવામાં આવશે. લગ્ન માટે વરરાજાની ઉંમર 21 વર્ષ અને કન્યાની 18 વર્ષની ઉંમર મર્યાદા કાયદાકીય રીતે નિર્ધારિત કરવામાં આવી છે.

- UCC સાંસ્કૃતિક વિવિધતાનું રક્ષણ કરતી વખતે રિવાજોનું પાલન કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપે છે, જેનાથી ધાર્મિક સમારોહ કે રીતિ રિવાજોના માધ્યમથી લગ્ન કરી શકાય. 

- UCC છેતરપિંડી અટકાવવા માટે તમામ લગ્ન અને છૂટાછેડાની નોંધણી ફરજિયાત બનાવશે. યુગલોએ લગ્નના 60 દિવસની અંદર સબ-રજિસ્ટ્રારને લગ્નનું મેમોરેન્ડમ સબમિટ કરવાનું રહેશે.

- આ કાયદો છૂટાછેડા માટે સમાન આધારો સ્થાપિત કરશે. જેમ કે ક્રૂરતા, ત્યાગ અથવા પરસ્પર સંમતિ અને ખાતરી કરશે કે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોની કસ્ટડી માતા પાસે રહે.

- UCC પ્રથમ-વર્ગના ઉત્તરાધિકારીઓ વચ્ચે વારસા માટે પસંદગીનો એક સમાન, લિંગ-તટસ્થ ક્રમ સ્થાપિત કરશે. જેમાં મૃતકના પતિ-પત્ની, બાળકો અને માતાપિતાને સમાન રીતે સમાવેશ કરવામાં આવશે.

- વસિયતનામા દ્વારા ઉત્તરાધિકાર અંગે કોઈપણ માનસિક રીતે સ્વસ્થ પુખ્ત વ્યક્તિને સાક્ષીઓની હાજરીમાં લેખિત વસિયતનામાનો અમલ કરવાનો કાનૂની અધિકાર આપવામાં આવે છે.

- 60 દિવસની અંદર લગ્ન કે છૂટાછેડાની નોંધણી ઇરાદાપૂર્વક ન કરાવવા બદલ રૂ.10,000 રૂપિયાનો દંડ અને નોંધણી દરમિયાન બનાવટી કે બનાવટી દસ્તાવેજો સબમિટ કરવા બદલ ત્રણ મહિના સુધીની કેદ, 25,000 રૂપિયા સુધીનો દંડ અથવા બંનેની જોગવાઈ છે.

આ પણ વાંચો: અટલ ટનલ, 57 બ્રિજ અને 34 વસાહતો પર ખતરો... હિમાચલનું ઘેપન તળાવ ફાટે તો 21 મિનિટમાં જ મચી શકે છે તબાહી!

- UCC હેઠળ, લિવ-ઇન રિલેશનશિપની નોંધણી ફરજિયાત છે. નોંધણી કરવામાં નિષ્ફળતા પર ત્રણ મહિના સુધીની જેલ અથવા રૂ.10,000 સુધીનો દંડ થઈ શકે છે. જ્યારે મહત્ત્વપૂર્ણ તથ્યોને છૂપાવવા કે ઘોષણાપત્રોમાં ખોટી જાણકારી આપવા પર ત્રણ મહિના સુધીની જેલ અને રૂ.25,000 સુધીનો દંડ થઈ શકે છે.