India

રામ મંદિર દાન ચોરી વિવાદ વચ્ચે CEO પસંદ કરવાની પ્રક્રિયા શરૂ, યોગ્યતા અને અનુભવના નિયમો આવ્યા સામે

By GS Team
11 Jul 20262 mins read
TukuTouch Logo
રામ મંદિર CEO પદ માટે દિલ્હીમાં સર્ચ કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં CEO માટે સ્નાતક, 20 વર્ષનો વહીવટી/નાણાકીય અનુભવ અને હિન્દુ ધર્મના હોવું અનિવાર્ય કરાયું છે. મંદિર વ્યવસ્થાપનનો અનુભવ ધરાવનારને પ્રાધાન્ય મળશે. અરજી 18 જુલાઈ સુધી કરી શકાશે અને CEO એ અયોધ્યામાં જ રહેવું પડશે. 1 મહિનામાં પસંદગી પ્રક્રિયા પૂર્ણ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

રામ મંદિર દાન ચોરી વિવાદ વચ્ચે CEO પસંદ કરવાની પ્રક્રિયા શરૂ, યોગ્યતા અને અનુભવના નિયમો આવ્યા સામે

Ram Mandir CEO Selection : રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના CEO પદ માટે સર્ચ કમિટીએ દિલ્હીમાં બેઠક યોજીને માપદંડ નક્કી કર્યા છે, જે અંતર્ગત સ્નાતક (ગ્રેજ્યુએટ) હોવું, 20 વર્ષનો વહીવટી/નાણાકીય અનુભવ અને હિન્દુ ધર્મના હોવું અનિવાર્ય છે. મંદિર વ્યવસ્થાપનનો અનુભવ ધરાવનારને પ્રાથમિકતા મળશે. રામ મંદિર દાન ચોરીના મામલાની તપાસ વચ્ચે શનિવારે એક મોટી કવાયત જોવા મળી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના CEO પદ માટે ગઠિત સર્ચ કમિટીની દિલ્હીમાં પ્રથમ બેઠક યોજાઈ હતી. આ કમિટીમાં જસ્ટિસ પ્રમોદ કોહલી (રિટાયર્ડ), લેફ્ટનન્ટ જનરલ (Retd) વિષ્ણુકાંત ચતુર્વેદી, અને શ્રી સાંઇબાબા સંસ્થાન ટ્રસ્ટના પૂર્વ અધ્યક્ષ સુરેશ હાવરે સામેલ થયા હતા.

સૂત્રોનું કહેવું છે કે, ઇચ્છુક ઉમેદવારો માટે આજની બેઠકમાં માપદંડ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં લઘુતમ શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએટ નક્કી કરાઈ છે. એડમિનિસ્ટ્રેશન અથવા ફાયનાન્સમાં 20 વર્ષનો અનુભવ હોવો જોઈએ. ટેમ્પલ મેનેજમેન્ટ(મંદિર સંચાલન)નો અનુભવ ધરાવતી વ્યક્તિને પ્રાથમિકતા આપવામાં આવશે. અરજદાર હિન્દુ ધર્મનો હોવો જોઈએ. આ માપદંડ નક્કી થયા બાદ હવે 18 જુલાઈ સુધી CEO પદ માટે અરજી કરી શકાશે.

CEOએ અયોધ્યામાં જ રહેવું પડશે

અરજીઓ ઈમેઇલ આઇડી દ્વારા મોકલી શકાશે, જે તૈયાર કરવામાં આવી રહી છે. અરજીઓ મળ્યા બાદ સમિતિ અરજદારો સાથે ચર્ચા કરશે. શરૂઆતમાં ત્રણ વર્ષ માટે CEOની નિમણૂક કરવામાં આવશે. પસંદગી થયા પછી, તેમણે અયોધ્યામાં જ રહેવું પડશે. આ ઉપરાંત પ્રક્રિયામાં સહયોગ માટે સમિતિએ એક સચિવ નિમણૂક કરવાનો પણ નિર્ણય લીધો છે. 1 મહિનામાં CEOની પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરવાનો પ્રયાસ છે.

નિર્માણ સમિતિના અધ્યક્ષનું મોટું નિવેદન

બીજી તરફ, શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાનું મોટું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે, દાનમાં ગેરરીતિ એક પ્રકારનો કલંક છે. આનાથી દરેક વ્યક્તિ અપમાનિત અનુભવી રહી છે. મિશ્રાએ ભરોસો આપ્યો કે, વ્યવસ્થા સુધરશે અને ભવિષ્યમાં આવી ઘટના બનશે નહીં. સાથે જ એમ પણ કહ્યું કે, આ મામલાની તપાસમાં જે પણ દોષિત જણાશે, તેને કડક સજા કરવામાં આવશે.

CEOની પસંદગી પ્રક્રિયા પર મિશ્રાએ કહ્યું કે, શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના નવા CEOની નિમણૂક માટે ત્રણ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે, અંતિમ નિર્ણય તે જ લેશે. તેમણે કહ્યું કે, મેં ચાલી રહેલા નિર્માણ કાર્યની સમીક્ષા પણ કરી છે. જૂના મંદિરનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. હવે તે જ્યોતની વ્યવસ્થા કરવાની છે, જે 24 કલાક પ્રજ્વલિત રહેશે. મંદિર નિર્માણનો અંતિમ તબક્કો 30 જુલાઈ સુધીમાં પૂર્ણ થશે.