આંદોલન સમેટયા બાદ કોકરોચ જનતા પાર્ટી ફરી આકરા પાણીએ! બિહાર અને બંગાળના મુખ્યમંત્રીઓને આપી ચીમકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Student protest cases rollback India : બિહારના અલગ-અલગ જિલ્લાઓમાં પ્રદર્શન બાદ વિદ્યાર્થીઓ અને પ્રદર્શનકારીઓની ધરપકડનો સિલસિલો ચાલુ છે. આ દરમિયાન 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) દ્વારા દેશભરની પોલીસને અપીલ કરવામાં આવી છે કે તેઓ 25 જુલાઈના દિલ્હી સમજૂતીનું પાલન કરે અને કોઈપણ વિદ્યાર્થી વિરુદ્ધ કડક પગલાં ન ભરે.
સમજૂતીનું પાલન કરવા અપીલ
બિહારના પટના, છપરા, બેગુસરાય અને સીતામઢી સહિતના જિલ્લાઓમાં પોલીસ સીસીટીવી ફૂટેજની મદદથી પ્રદર્શનકારીઓની ઓળખ કરીને ધરપકડ કરી રહી છે. આ સ્થિતિ વચ્ચે CJP એ પોતાના એક્સ હેન્ડલ પરથી બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને શુભેન્દુ અધિકારીને ટેગ કરીને લખ્યું છે કે, જેપી નડ્ડા અને ડૉ. જીતેન્દ્ર સિંહ દ્વારા આપવામાં આવેલા ભરોસાને તોડવામાં ન આવે અને પ્રદર્શનકારીઓ પર નોંધાયેલા તમામ અપરાધિક કેસો તાત્કાલિક પાછા ખેંચવામાં આવે. CJP દ્વારા સોમવારે કરાયેલી બીજી પોસ્ટમાં સમગ્ર દેશની પોલીસને વિનંતી કરવામાં આવી છે કે 25 જુલાઈના રોજ થયેલા દિલ્હી સમજૂતીનું ચુસ્તપણે પાલન થાય અને કોઈપણ વિદ્યાર્થી સામે કાર્યવાહી ન થાય.
તેજસ્વી યાદવના આકરા પ્રહારો
વિપક્ષના નેતા તેજસ્વી યાદવે પણ સમજૂતી બાદ થઈ રહેલી ધરપકડો સામે આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે સરકાર પર પ્રહાર કરતા ચેતવણી આપી છે કે જો વિદ્યાર્થીઓ પરના કેસો પાછા ખેંચી તેમને મુક્ત કરવામાં નહીં આવે, તો એનડીએ સરકારને આ ખૂબ મોંઘું પડશે. તેજસ્વીએ આરોપ લગાવ્યો છે કે વિદ્યાર્થીઓ સાથેની સમજૂતી છતાં હજારો વિદ્યાર્થીઓને કસ્ટડીમાં લેવામાં આવી રહ્યા છે અને તેમના પરિવારજનોને હેરાન કરવામાં આવી રહ્યા છે.
કેન્દ્ર સરકારે આપી છે બાંહેધરી
ઉલ્લેખનીય છે કે અગાઉ CJP ની જેપી નડ્ડા અને જીતેન્દ્ર સિંહ સાથે થયેલી બેઠકમાં એ વાત પર સહમતિ બની હતી કે પ્રદર્શન દરમિયાન દેશભરમાં નોંધાયેલા તમામ કેસ રદ કરવામાં આવશે. હવે આ શરતો છતાં વિવિધ રાજ્યોમાં થઈ રહેલી ધરપકડોને કારણે રાજકીય માહોલ ગરમાયો છે.









