India

રામ રહીમને 5 વર્ષમાં 17મી વખત ફરલો મળી, 21 દિવસ માટે ફરી જેલથી બહાર આવ્યો ડેરા પ્રમુખ

By GS Team
25 Aug 20262 mins read
TukuTouch Logo
યૌન શોષણ કેસમાં 20 વર્ષની જેલ ભોગવી રહેલા ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમને ફરી 21 દિવસના ફરલો મળ્યા છે. રોહતકની સુનારિયા જેલમાંથી મુક્ત થઈ તેઓ સિરસાના ડેરા આશ્રમ જશે. CBI કોર્ટે 2017માં બે સાધ્વીઓ પર દુષ્કર્મ બદલ તેમને સજા ફટકારી હતી. આ પહેલાં પણ મે 2026માં તેમને ફરલો મળ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

રામ રહીમને 5 વર્ષમાં 17મી વખત ફરલો મળી, 21 દિવસ માટે ફરી જેલથી બહાર આવ્યો ડેરા પ્રમુખ
IMAGE - IANS

Gurmeet Ram Rahim Gets 21-Day Parole: યૌન શોષણના કેસમાં 20 વર્ષની જેલની સજા કાપી રહેલા ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીત રામ રહીમના વધુ એક વખત ફરલો મંજૂર કરવામાં આવ્યા છે. રામ રહીમને 21 દિવસના ફરલો આપવામાં આવ્યા છે. હાલમાં રોહતકની સુનારિયા જેલમાં બંધ રામ રહીમ જેલમાંથી મુક્ત થયા બાદ રોહતકથી સીધો સિરસાના ડેરા આશ્રમ ખાતે પહોંચશે. આ પહેલાં પણ ડેરા પ્રમુખ ગુરમીત રામ રહીમને મે, 2026માં 23 દિવસના ફરલો આપવામાં આવ્યા હતા.

2017માં સીબીઆઈ કોર્ટે 20 વર્ષની સજા ફટકારી હતી

સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે 25 ઓગસ્ટ, 2017ના રોજ ગુરમીત રામ રહીમને બે સાધ્વીઓ સાથેના દુષ્કર્મના કેસમાં દોષિત ઠેરવ્યો હતો. ત્યાર બાદ 28 ઓગસ્ટ, 2017ના રોજ અદાલતે બંને કેસોમાં રામ રહીમને 10-10 વર્ષ એટલે કે કુલ 20 વર્ષની જેલની સજા સંભળાવી હતી. નોંધનીય છે કે, રામ રહીમને ડેરાના એક પૂર્વ પ્રબંધક અને એક પત્રકારની હત્યાના કેસમાં પણ દોષિત ઠેરવવામાં આવ્યો હતો, જોકે બાદમાં હાઇકોર્ટે તેને બંને હત્યાના કેસોમાંથી નિર્દોષ છોડી મુક્યો હતો.

જેલના નિયમો અને ફરલોની પ્રક્રિયા

જેલના નિયમો અનુસાર, દોષિત વ્યક્તિ એક વર્ષમાં વધુમાં વધુ 10 અઠવાડિયા સુધીના ફરલોનો લાભ મેળવી શકે છે. ફરલો પર જેલની બહાર વિતાવેલો સમય સજાની મૂળ મુદતમાં ઉમેરવામાં આવે છે અને તેને જેલમાં વિતાવેલા સમય તરીકે ગણવામાં આવતો નથી. જોકે, 10 વર્ષથી વધુની સજા પામેલા દોષિતોને દર વર્ષે ત્રણ અઠવાડિયાના એવા ફરલો પણ મળે છે, જેને જેલમાં વિતાવેલા સમય તરીકે ગણતરીમાં લેવામાં આવે છે.