India

અમૃતસરમાં મોડી રાતે ડ્યુટી પર તહેનાત ASIની ગોળી મારી હત્યા, આતંકી સંગઠને જવાબદારી સ્વીકારી

By GS Team
18 Sep 20262 mins read
TukuTouch Logo
અમૃતસરમાં ફરજ પરના ASI હરજીત સિંહની ગોળી મારી હત્યા કરાઈ છે. રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન અજાણ્યા હુમલાખોરોએ તેમને ઠાર કર્યા. મુખ્યમંત્રીએ શહીદના પરિવારને 1 કરોડ રૂપિયા વળતર અને HDFC બેંક તરફથી 1 કરોડ રૂપિયા વીમાની જાહેરાત કરી. પોલીસે આતંકી સંગઠનની જવાબદારીના દાવાને નકારી, વિશેષ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમૃતસરમાં મોડી રાતે ડ્યુટી પર તહેનાત ASIની ગોળી મારી હત્યા, આતંકી સંગઠને જવાબદારી સ્વીકારી

Amritsar ASI murder: પંજાબના અમૃતસરમાં ગત રાત્રે ડ્યુટી પર તૈનાત એક એએસઆઈ (ASI)ની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. શહીદ જવાનની ઓળખ હરજીત સિંહ તરીકે થઈ છે, જેઓ ગત રાત્રે અમૃતસરના થાના ગેટ હકીમાં હેઠળના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન અજ્ઞાત હુમલાખોરોએ તેમને ગોળી મારી દીધી હતી. પંજાબ પોલીસે આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરી છે.

આતંકી સંગઠને લીધી જવાબદારી, પોલીસે કર્યું ખંડન

આ હત્યાકાંડની જવાબદારી 'તહરીક-એ-તાલિબાન હિન્દુસ્તાન' (Tehreek-e-Taliban Hindustan) નામના આતંકી સંગઠને લીધી છે. જોકે, પંજાબ પોલીસે આતંકી હુમલાના આ એન્ગલનું ખંડન કર્યું છે. આ ઘટનાને લઈને પંજાબમાં રાજકારણ પણ જોર પકડી ચૂક્યું છે.

મુખ્યમંત્રી દ્વારા એક કરોડ રૂપિયાના વળતરની જાહેરાત

પોલીસે જણાવ્યું કે મુખ્યમંત્રીએ શહીદના પરિવાર માટે એક કરોડ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. આ ઉપરાંત એચડીએફસી (HDFC) બેંક તરફથી પણ પરિવારને એક કરોડ રૂપિયાનું વધારાનું વીમા ચુકવણું કરવામાં આવશે. શહીદને પોલીસના સન્માન સાથે વિદાય આપવામાં આવશે અને સરકારની સંવેદનાઓ પરિવાર સાથે છે.

DGP એ કર્યું ઘટનાસ્થળનું નિરીક્ષણ, વિશેષ ટીમો રચાઈ

આ ગંભીર ઘટના બાદ પંજાબના પોલીસ મહાનિદેશક (DGP) ગૌરવ યાદવે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. ડીજીપીએ પીડિત પરિવારને મળીને સાંત્વના પાઠવી હતી અને જાતે ક્રાઈમ સીનનું ટેકનિકલ નિરીક્ષણ કર્યું હતું. આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ પોલીસ ટીમોની રચના કરવામાં આવી છે તેમજ સીસીટીવી ફૂટેજ અને મુવમેન્ટ ટ્રેલની તપાસ ચાલી રહી છે. ડીજીપીએ ભરોસો અપાવ્યો છે કે આ ઘોર અપરાધમાં સામેલ લોકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

વિપક્ષી પક્ષો દ્વારા કાયદો અને વ્યવસ્થા પર સવાલો

આ ઘટનાને લઈને ભાજપ અને અકાલી દળે પંજાબની કાયદો અને વ્યવસ્થા અંગે 'આપ' સરકાર પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ભાજપના નેતા તરુણ ચુઘે રાજ્યમાં ભયનો માહોલ હોવાનું જણાવીને ડ્રગ્સ માફિયા, રંગદારી અને ગેંગસ્ટરવાદ સામે ગંભીર આરોપો મૂક્યા છે. તો અકાલી દળના નેતા બ્રિકમ સિંહ મજીથિયાએ પણ સવાલ કર્યો છે કે જો પોલીસ જ ડ્યુટી પર સુરક્ષિત નથી, તો સામાન્ય નાગરિકોની સુરક્ષાનું શું થશે?