India

'ટાઇગર સ્ટેટ' ગણાતા મધ્યપ્રદેશમાં ગત વર્ષે 55 વાઘના મોત, જાણો પાંચ વર્ષનો મૃત્યુદર

By GS TEAM
2 Jan 20262 mins read
TukuTouch Logo
'ટાઇગર સ્ટેટ' ગણાતા મધ્યપ્રદેશમાં પણ વાઘ સુરક્ષિત નથી! છેલ્લા એક વર્ષમાં વાઘના મૃત્યુમાં પણ આ રાજ્ય દેશમાં સૌથી આગળ છે. દેશભરમાં કુલ 164 વાઘના મૃત્યુ થયા છે, જેમાં મધ્યપ્રદેશમાં સૌથી વધુ 55 વાઘના મોત થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'ટાઇગર સ્ટેટ' ગણાતા મધ્યપ્રદેશમાં ગત વર્ષે 55 વાઘના મોત, જાણો પાંચ વર્ષનો મૃત્યુદર

55 Tigers Died In Madhya Pradesh : 'ટાઇગર સ્ટેટ' ગણાતા મધ્યપ્રદેશમાં પણ વાઘ સુરક્ષિત નથી! છેલ્લા એક વર્ષમાં વાઘના મૃત્યુમાં પણ આ રાજ્ય દેશમાં સૌથી આગળ છે. દેશભરમાં કુલ 164 વાઘના મૃત્યુ થયા છે, જેમાં મધ્યપ્રદેશમાં સૌથી વધુ 55 વાઘના મોત થયા છે. 

'ટાઇગર સ્ટેટ' ગણાતા મધ્યપ્રદેશમાં 55 વાઘના મોત

મધ્યપ્રદેશમાં વાઘના મૃત્યુના આંકડા ચોંકાવનારા છે. ભારતમાં વાઘ માટે સૌથી સુરક્ષિત ગણાતા રાજ્યમાં વાઘના મૃત્યુની સૌથી વધુ સંખ્યા જોવા મળી છે. વર્ષ 2025માં બધા રાજ્યો, વાઘ અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યોમાં કુલ 164 વાઘના મૃત્યુ નોંધાયા હતા. રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળના ડેટા અનુસાર (National Tiger Conservation Authority), મધ્યપ્રદેશમાં વાઘના મૃત્યુની સૌથી વધુ સંખ્યા 55 હતી.

દેશમાં વાઘની ઘટતી વસ્તી, વાઘનો શિકાર, વાઘના શરીરના અંગોના ગેરકાયદેસર વેપારને રોકવા માટે તત્કાલીન કેન્દ્ર સરકારે 1973માં 'ટાઇગર પ્રોજેક્ટ' શરૂ કર્યો હતો. ત્યારથી છેલ્લા 52 વર્ષોમાં વાઘના મૃત્યુ થઈ રહ્યા છે. જોકે, 2025માં મધ્યપ્રદેશમાં નોંધાયેલા 55 મૃત્યુ અત્યાર સુધીના સૌથી વધુ છે.

કયા વર્ષમાં કેટલાં વાઘ મૃત્યુ પામ્યા?

વર્ષ 2021 - 34

વર્ષ 2022 - 43

વર્ષ 2023 - 45

વર્ષ 2024 - 46

વર્ષ 2025 - 55

આ પણ વાંચો: VIDEO: UPમાં ડમ્પરે રિક્ષાને 2 કિલોમીટર સુધી ઢસડી, ડ્રાઈવરનું કચડાઈ જતા મોત, મુસાફરો રોડ પર પટકાયા

વાઘની સંખ્યાની સાથે મૃત્યુઆંકમાં પણ વધારો 

રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળ (NTCA)ના ડેટા મુજબ, મધ્યપ્રદેશમાં વાઘ સંરક્ષણ અને વાઘ પુનઃપ્રવેશ પ્રોજેક્ટ્સના નોંધપાત્ર હકારાત્મક પરિણામો આવ્યા છે, અને રાજ્યમાં વાઘની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. મધ્યપ્રદેશમાં દેશમાં સૌથી વધુ વાઘ છે, જેના કારણે તેને વાઘ રાજ્યનો દરજ્જો મળ્યો છે. આશ્ચર્યજનક વાત એ છે કે, જેમ-જેમ વાઘની સંખ્યા વધે છે, તેમ-તેમ મૃત્યુઆંક પણ વધે છે. વર્ષ 2021માં 34 વાઘ મૃત્યુ પામ્યા. વર્ષ 2022માં આ સંખ્યા વધીને 43, વર્ષ 2023માં 45, વર્ષ 2024માં 46 અને આ વર્ષે 2025માં આ સંખ્યા 55 પર પહોંચી.

વાઘ અભયારણ્યની બહાર 23 વાઘના મોત

NTCAના ડેટા અનુસાર, મધ્યપ્રદેશમાં આ વર્ષે મોત થયેલા 55 વાઘમાંથી 23 વાઘ અભયારણ્ય અથવા રાષ્ટ્રીય ઉદ્યાનોની બહાર મૃત્યુ પામ્યા હતા. બે દિવસ પહેલા જ મધ્યપ્રદેશના સાગર જિલ્લાના ઢાના હિલગતમાં આશરે 4 વર્ષનો એક યુવા નર વાઘ મૃત્યુ પામ્યો હતો. આ વિસ્તાર વીરાંગના દુર્ગાવતી વાઘ અભયારણ્યથી થોડે દૂર છે.

આ પણ વાંચો: કર્ણાટકમાં ગેરકાયદે બ્લાસ્ટિંગમાં ગર્ભવતી માદા સહિત 4 દીપડાના મોતથી ખળભળાટ

ડિસેમ્બરમાં 10 વાઘના મોત

વાઘના મૃત્યુ અંગે વધુ એક ચોંકાવનારી હકીકત બહાર આવી છે. મધ્યપ્રદેશમાં મૃત્યુ પામેલા 55 વાઘમાંથી 10 વાઘ ફક્ત ડિસેમ્બરમાં જ મૃત્યુ પામ્યા હતા. જેમાં મુખ્યત્ત્વે બાંધવગઢ અને કાન્હા વાઘ અભયારણ્યનો સમાવેશ થાય છે.