Get The App

વિવાદાસ્પદ મસ્જિદ બનાવવાની જાહેરાત કરનારા હુમાયૂંની પુત્રીનો પરિવાર ફસાયો, 18 કરોડની સંપત્તિ જપ્ત, જાણો મામલો

Updated: Feb 10th, 2026

GS TEAM

Google News
Google News
વિવાદાસ્પદ મસ્જિદ બનાવવાની જાહેરાત કરનારા હુમાયૂંની પુત્રીનો પરિવાર ફસાયો, 18 કરોડની સંપત્તિ જપ્ત, જાણો મામલો 1 - image


West Bengal News : પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં બાબરી મસ્જિદના નામે વિવાદાસ્પદ મસ્જિદનું નિર્માણ કરનાર TMCના સસ્પેન્ડ નેતા હુમાયૂં કબીરના જમાઈના પરિવારની 18 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. ભરતપુરના ધારાસભ્ય હુમાયૂંની પુત્રીના સસરા શરીફુલ ઈસ્લામ પર ડ્રગ્સ તસ્કરીનો આરોપ લાગ્યો છે, જેમાં અગાઉ તેની 10 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી, ત્યારે પોલીસે બે દિવસ સુધી કાર્યવાહી કરીને તેની વધુ સંપત્તિઓ જપ્ત કરી છે.

હુમાયૂંની પુત્રીના સાસરા પક્ષ વિરુદ્ધ સતત બે દિવસ પોલીસની કાર્યવાહી

ગઈકાલે લાલગોલા બસ સ્ટેન્ડ પાસેના વિસ્તારમાં ભારે બંદોબસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો, જેમાં પોલીસે સતત બે કલાક સુધી કાર્યવાહી કરીને શરીફુલાની અનેક સંપત્તિઓ જપ્ત કરી છે. આ સંપત્તિઓમાં એક હોટલ અને એક રહેણાંક મકાન સામેલ છે. ત્યારબાદ તેની વિરુદ્ધ આજે પણ કાર્યવાહી કરાઈ છે, જેમાં પોલીસે હુમાયૂંની પુત્રીના સાસરાની સંપત્તિઓ સીલ કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

પોલીસે બે દિવસમાં 8 કરોડની સંપત્તિ જપ્ત કરી

કોર્ટે ડ્રગ્સ તસ્કરી સાથે જોડાયેલા એક કેસમાં કાર્યવાહી કરાવનો આદેશ આપ્યો હતો, ત્યારબાદ પોલીસે જુદા જુદા વિસ્તારોમાં દરોડા પાડીને શરીફુલાની કુલ છ સંપત્તિઓ સીલ કરી છે, જેની અંદાજીત કિંમત 8 કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું છે. પોલીસે બીજા દિવસે શરૂ કરેલી કાર્યવાહીમાં ઈટના ભઠ્ઠા અને દુકાનો સીલ કરવામાં આવી છે. આમ પોલીસે બે દિવસમાં હુમાયૂંની પુત્રીના સાસરા પક્ષની કુલ 18 કરોડથી વધુની સંપત્તિ પર કાર્યવાહી કરી છે.

હુમાયું મસ્જિદ બનાવવામાં વ્યસ્ત, બીજીતરફ 10 કરોડની સંપત્તિ જપ્ત

હુમાયું 6 ડિસેમ્બરના રોજ મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદ જેવી વિવાદાસ્પદ મસ્જિદ બનાવાની તૈયારીઓ કરી રહ્યો હતો, જેના બે દિવસ પહેલા રાજ્યની પોલીસે તેની પુત્રીના સસરા શરીફુલની 10 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. ત્યારબાદ પોલીસે શરીફુલા વિરુદ્ધ ગઈકાલે અને આજે વધુ કાર્યવાહી કરીને સંપત્તિઓ જપ્ત કરી છે.

આ પણ વાંચો : VIDEO: 'કયામત સુધી બાબરી મસ્જિદ ફરી નહીં બને', CM યોગીનું સૌથી મોટું નિવેદન

500 ગ્રામ નશીલા પદાર્થનો કેસ

પોલીસના જણાવ્યા મુજબ શરીફુલના એક સંબંધી જિયાઉર રહેમાન 500 ગ્રામ નશીલા પદાર્થ સાથે ઝડપાયો હતો. આ કાર્યવાહી દરમિયાન જિયાઉતરની શરીફુલના ઘર પાસેથી ધરપકડ થઈ હતી. આ કેસની તપાસ બાદ તેના વિરુદ્ધ NDPC કાયદા હેઠળ કાર્યવાહી કરીને સંપત્તિઓ ટાંચમાં લેવાઈ છે.

કાર્યવાહી પાછળ CM મમતાનો હાથ : હુમાયૂંની પુત્રી

પરિવારની મુશ્કેલી વધતા હુમાયૂંએ આ કાર્યવાહીના રાજકીય ષડયંત્ર ગણાવ્યું છે. તેણે કહ્યું કે, ખોટા કેસનું ષડયંત્ર રચીને તેના પરિવારમાં ફસાવવામાં આવ્યો છે. આ ઉપરાંત તેની પુત્રી નજમા સુલ્તાનાએ આક્ષેપ કર્યો છે કે, પોલીસ તેના પરિવારને સતત નોટિસ ફટકારી હેરાન કરી રહી છે. તેણે એમ પણ કહ્યું કે, આ કાર્યવાહી મુખ્યમંત્રી મમતા બેનરજીનો હાથ છે. મુખ્યમંત્રી તેમના પિતાને રાજકીય દબાણ હેઠળ લાવવા માંગે છે, તેથી તેમના ઈશારાથી જ આ કાર્યવાહી થઈ રહી છે.

આ પણ વાંચો : CBSEનો મોટો નિર્ણય: હવે શિક્ષકો પેનથી નહીં પણ કોમ્પ્યુટર પર પેપર ચેક કરશે, જાણો શું છે OSM સિસ્ટમ?