Mumbai

જુન્નર, ભીમાશંકરમાં ટ્રેકિંગ અને દેવદર્શન પર હાલ પ્રતિબંધ

By GS Team
9 Jul 20261 min read
TukuTouch Logo
મુંબઈમાં ભારે વરસાદને કારણે સહ્યાદ્રી પર્વતમાળાના જુન્નર, આંબેગાવ અને ખેડ તાલુકામાં પર્યટનને મોટો ફટકો પડ્યો છે. ભીમાશંકર માર્ગ પર ભેખડો ધસવાનું જોખમ વધતા, પ્રશાસને ગઢ-કિલ્લાઓ અને દેવદર્શન પર પ્રતિબંધ મૂક્યો છે. સુરક્ષાના ભાગરૂપે ભીમાશંકર ઘાટ પણ તમામ વાહનવ્યવહાર માટે બંધ કરાયો છે, જેથી પર્યટકો મુશ્કેલીમાં મુકાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જુન્નર, ભીમાશંકરમાં ટ્રેકિંગ અને દેવદર્શન પર હાલ પ્રતિબંધ

વરસાદને પગલે પર્યટનને ફટકો

ભેખડો ધસવાનું જોખમ હોવાથી  પર્યટકોને હાલ ગઢ કે કિલ્લાઓ  પર ન જવા પ્રશાસનની તાકીદ

મુંબઈ  - સહ્યાદ્રીની પર્વતમાળામાં વરસાદનું જોર વધતાં જુન્નર, આંબેગાવ અને ખેડ તાલુકામાં પર્યટનને મોટો ફટકો પડયો છે. ભીમાશંકર માર્ગ પર ભેખડ ધસતાં દેવદર્શન અને પર્યટન પર તાત્પુરતો પ્રતિબંધ મૂકાયો છે.

જૂનના  પહેલાં વરસાદ બાદ ભીમાશંકર, જુન્નર, સાંધન વ્હેલી, ઉત્તર પુણે જિલ્લાના વિવિધ ગઢકિલ્લાઓ પર પર્યટનોનો ધસારો વધતો હોય છે. જોકે એ જ સમયમાં ભેખડો ધસવાની શક્યતા પણ વધતી હોય છે. આથી સાવચેતીના પગલાં રુપે પ્રશાસને થોડા સમય માટે પર્યટન પર પ્રતિબંધ મુક્યો છે.વરસાદને લીધે ભીમાશંકર ઘાટ વિસ્તારમાં પણ ભેખડો ધસવાની સંભાવના છે. આથી આ રસ્તો તમામ પ્રકારના ટ્રાન્સપોર્ટેશન માટે તાત્કાલિક ધોરણે બંધ કરાયો છે.આથી આ સમય માટે દેવદર્શન માટે પણ મંદિર બંધ રખાયું હોવાથી પર્યટકો દેવદર્શન પણ કરી શકશે નહીં.