Mumbai

પ્રવાસીની બેદરકારીથી મોત છતાં રેલવેએ વળતર ચૂકવવું પડેઃ હાઈકોર્ટ

By GS Team
18 Sep 20261 min read
TukuTouch Logo
નાગપુર બેન્ચે રેલવે પ્રવાસીના મૃત્યુ અંગે મહત્વનો ચુકાદો આપ્યો છે. મહારાષ્ટ્ર એક્સપ્રેસમાં યુવરાજ પાટીલનું ટ્રેનમાંથી ઉતરતી વખતે થયેલા અકસ્માતમાં મોત થયું હતું. રેલવેએ બેદરકારી ગણી વળતર નકાર્યું હતું. પરંતુ, હાઈકોર્ટે રેલવે ઓથોરિટીનો નિર્ણય રદ કરીને, મૃત્યુ પ્રવાસીની બેદરકારીથી થયું હોય તો પણ રેલવેએ તેના વારસદારને વળતર ચૂકવવું પડશે તેમ ઠેરવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પ્રવાસીની બેદરકારીથી મોત છતાં રેલવેએ વળતર ચૂકવવું પડેઃ હાઈકોર્ટ

હાઈકોર્ટની નાગપુર બેન્ચનો ચુકાદો

 સિગ્નલ ન હોવાથી ઉભેલી ટ્રેનમાંથી ઉતરવા જતાં મોતના કિસ્સામાં રેલવેએ વળતર નકાર્યું હતું

મુંબઈ - રેલવે પ્રવાસીનું મૃત્યુ તેની પોતાની બેદરકારીથી થયું હોય તો પણ રેલવેે એ તેનાં વારસદારને વળતર ચૂકવવવું પડે એવો ચુકાદો બોમ્બે હાઈ કોર્ટની નાગપુર બેન્ચે આપ્યો છે.

યુવરાજ પાટીલ નામનો શખસે મહારાષ્ટ્ર એક્સપ્રેસથી નાગપુરથી પાચોરા જતો હતો દરમ્યાન મ્હસાવદ રેલવે સ્ટેશન, સિગ્નલ નહોવાથી રેલવે ઊભી હતી ટ્રેન પાટીલે ટ્રેનમાંથી ઉતરવાનો પ્રયાસ કર્યો ત્યારે જ ટ્રેન ચાલુ થઈ જતાં તેના માથા પર ગંભીર ઈજા થઈ હતી. સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું. આથી વારસદારે રેલવેમાં વળતરનો દાવો કર્યો હતો. અરજી ફગાવી દેવાઈ હતી કેમકે પાટીલે ચાલુ ટ્રેનમાંથી ઉતરવાનો પ્રયાસ કર્યો હતો. જે પોતે વહેરી લીધેલી ઈજા હતી, એમ જણાવીને ભરપાઈ નકારી હતી.

આની સામે હાઈકોર્ટમાં અપીલ કરાઈ હતી. કોર્ટે રેલવે ઓથોરિટીનો નિર્ણય રદ કર્યો