પવનરાજે નિમ્બાળકર હત્યા કેસઃ પદ્મસિંહ પાટિલ સહિત આઠેય આરોપી નિર્દોષ જાહેર

2006
માં કલંબોલી ખાતે ગોળીબારની ઘટનાના ૨૦
વર્ષ બાદ ચુકાદો
માફીના
સાક્ષીની જુબાની પરથી કાવતરાની કડી પુરવાર થતી ન હોવાની વિશેષ કોર્ટની નોંધઃ સીબીઆઈ આદેશને હાઈકોર્ટમાં પડકારશે
મુંબઈ
- મહારાષ્ટ્રના રાજકારણને ધૂ્રજાવી
નાખનારા હત્યાકાંડના કેસમાં ૨૦ વર્ષે ચુકાદો આવ્યો છે. કોંગ્રેસના નેતા પવનરાજે
નિમ્બાળકર અને તેમના ડ્રાઇવરની ૨૦૦૬માં થયેલી હત્યાના કેસમાં હાલના નાયબ મુખ્ય
પ્રધાન સુનેત્રા પવારના ભાઈ એવા
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહમંત્રી પદ્મસિંહ પાટિલ (૮૬)અને અન્ય સાતને શનિવારે
અહીંની એક વિશેષ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. સ્પેશિયલ સીબીઆઈ કોર્ટના
ન્યાયાધીશ સત્યનારાયણ નવાંદરે જણાવ્યું હતું કે ફરિયાદ પક્ષ કાવતરાની કડી સાબિત
કરવામાં નિષ્ફળ ગયા છે. સીબીઆઈના જણાવ્યા મુજબ કેસના ચુકાદાને હાઈકોર્ટમાં
પડકારવામાં આવશે.
ફરિયાદ
પક્ષ મુખ્યત્વે આરોપીમાંથી સાક્ષી બનેલા પારસમલ જૈનની જુબાની પર આધાર રાખતો હતો.
જોકે, કોર્ટે
તેમની જુબાની શંકાસ્પદ ગણાવી અને તેને ફગાવી દીધી હતી કારણ કે તેનાથી ઘટનાઓની કડી
સાબિત થતી નહોતી.
એનસીપીના
ભૂતપૂર્વ સાંસદ અને નાયબ મુખ્યમંત્રી સુનેત્રા પવારના ભાઈ પાટિલ અને અન્ય સાત
આરોપીઓ હત્યાના કેસનો સામનો કરી રહ્યા હતા.પવનરાજે નિમ્બાળકરના પુત્ર ઓમપ્રકાશ
રાજે નિમ્બાળકર હાલમાં શિવસેના (યુબીટી) તરફથી લોકસભાના સભ્ય છે.
નવી
મુંબઈ પોલીસે શરૃઆતમાં આ કેસની તપાસ કરી હતી,
પરંતુ પવનરાજે નિમ્બાળકરની પત્નીએ તપાસની પ્રગતિ પર અસંતોષ વ્યક્ત
કર્યા બાદ બોમ્બે હાઈકોર્ટે તેને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) ને
ટ્રાન્સફર કરી દીધો હતો.
કેન્દ્રીય
તપાસ એજન્સીએ કેસ સંભાળ્યા પછી જૂન ૨૦૦૯ માં પાટિલની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, તે જ વર્ષે
સપ્ટેમ્બરમાં અલીબાગ (રાયગઢ જિલ્લો)ની સેશન્સ કોર્ટે તેમને જામીન આપ્યા હતા.
વ્યાવસાયિક
દુશ્મનાવટ
પાટિલ
ઉપરાંત, આ
કેસમાં અન્ય આરોપીઓમાં લાતુર સ્થિત ઉદ્યોગપતિ સતીશ મંડડે, નિવૃત્ત
રાજ્ય આબકારી નિરીક્ષક મોહન શુક્લા અને ગોળીબાર કરનારાઓનો સમાવેશ થાય છે.
સીબીઆઈ
મુજબ, આ કેસના
મુખ્ય આરોપી પાટીલ પર આરોપ છે કે તેણે ગુનાહિત કાવતરું ઘડયું હતું અને તીવ્ર રાજકીય
અને વ્યવસાયિક દુશ્મનાવટને કારણે તેના પિતરાઈ ભાઈ પવનરાજે નિમ્બાળકરને મારવા માટે કરારના
પૈસા ચૂકવ્યા હતા.
ફરિયાદ
પક્ષે આરોપ લગાવ્યો હતો કે પારસમલ જૈને શરૃઆતમાં પવનરાજે નિમ્બાળકરની હત્યા માટે
મોહન શુક્લા અને સતીશ મંડડે પાસેથી ૩૦ લાખ રૃપિયાનો કરાર સ્વીકાર્યો હતો. બાદમાં
તેને માફી આપવામાં આવી અને તે અન્ય આરોપીઓ સામે સાક્ષી બન્યો હતો.
અણ્ણા
હજારેને પણ ઉડાવવાનું કાવતરું
આ
કેસની સુનાવણી જુલાઈ ૨૦૧૧ માં શરૃ થઈ હતી. ૧૫ વર્ષ સુધી ચાલેલા ટ્રાયલ
દરમિયાનવિશેષ કોર્ટે ભ્રષ્ટાચાર વિરોધી કાર્યકર્તા અણ્ણા હજારે સહિત ૧૨૮ સાક્ષીઓની
તપાસ કરી હતી.
જૈને
કબૂલાત કરી હતી કે પાટીલે સાથે
સાથેહજારેને ખતમ કરવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો, ત્યારબાદ હજારેનું નામ આ કેસમાં સામે
આવ્યું. હજારેએ પાટિલ તરફથી ધમકીઓ મળવાની વાત કહી હતી.









