Mumbai

મુંબઈમાં ગણેશ આગમન દરમિયાન મોટી દુર્ઘટના: વિશાળ પ્રતિમા પડતાં 2નાં મોત, 2 બાળકી સહિત 5 ઈજાગ્રસ્ત

By GS Team
23 Aug 20262 mins read
TukuTouch Logo
મુંબઈના ભુલેશ્વરમાં ગણેશ આગમન સરઘસ દરમિયાન 'ભુલેશ્વર ચા રાજા'ની વિશાળ ગણેશ પ્રતિમા અચાનક પડી જતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં 2 લોકોના કરુણ મોત થયા છે, જ્યારે 2 બાળકીઓ સહિત 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. શનિવારે રાત્રે 10 વાગ્યે જય અંબે ચોક પાસે આ દુર્ઘટના બની હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈમાં ગણેશ આગમન દરમિયાન મોટી દુર્ઘટના: વિશાળ પ્રતિમા પડતાં 2નાં મોત, 2 બાળકી સહિત 5 ઈજાગ્રસ્ત

Mumbai Bhuleshwar Ganesh Idol Accident : ગણેશોત્સવ પૂર્વે મુંબઈમાં ઉત્સાહ અને ભક્તિનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો છે. દક્ષિણ મુંબઈના ભુલેશ્વર વિસ્તારમાં શનિવારે રાત્રે ગણેશ આગમન સરઘસ દરમિયાન 'ભુલેશ્વર ચા રાજા'ની વિશાળ અને વજનદાર ગણેશ પ્રતિમા અચાનક નીચે પડી ગઈ હતી. આ દુર્ઘટનામાં 2 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 2 નાની બાળકીઓ સહિત કુલ 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

આ દુર્ઘટના શનિવારે રાત્રે આશરે 10 વાગ્યે ભુલેશ્વરના બલરામ મર્ચન્ટ રોડ પર આવેલા કબૂતરખાના નજીક જય અંબે ચોકમાં બની હતી.

ઢોલ-નગારા વચ્ચે અચાનક બની દુર્ઘટના

ન્યૂઝ એજન્સી ANI અનુસાર, 'ભુલેશ્વર ચા રાજા'ની ગણેશ પ્રતિમાને પંડાલ સુધી લઈ જવા માટે ધામધૂમથી આગમન સરઘસ કાઢવામાં આવ્યું હતું. ભક્તો ગણેશજીના સ્વાગતમાં મગ્ન હતા ત્યારે જય અંબે ચોક પાસે પ્રતિમા અચાનક સંતુલન ગુમાવી નીચે પડી ગઈ હતી. અચાનક બનેલી આ ઘટનામાં મૂર્તિની આસપાસ ચાલી રહેલા ઘણા ભક્તો તેની નીચે દબાઈ ગયા હતા અને સ્થળ પર ભારે અફરાતફરી મચી ગઈ હતી.

ઘટનાની જાણ થતાં જ મુંબઈ ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ, ટ્રાફિક પોલીસ, એમ્બ્યુલન્સ સેવા અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત-બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.

મૃતકો અને ઇજાગ્રસ્તોની વિગતો

પાલિકાના અધિકારીઓએ આપેલી માહિતી મુજબ, દુર્ઘટના બાદ તમામ લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ 2 યુવકોને મૃત જાહેર કર્યા હતા.

મૃતકોની યાદી:

  • સંકેત નેવશે (ઉંમર: 33 વર્ષ)
  • બ્રિજેશ હેમંત જોશી (ઉંમર: 30 વર્ષ)

ઇજાગ્રસ્તોની યાદી:

  • વૈભવ ઘેનંદ (ઉંમર: 38 વર્ષ)
  • પવન ચૌરસિયા (ઉંમર: 25 વર્ષ)
  • લાવણ્યા ગનેર (ઉંમર: 5 વર્ષ)
  • દિવ્યા ગનેર (ઉંમર: 7 વર્ષ)
  • કુણાલ કાશિદ (ઉંમર: 26 વર્ષ)

હોસ્પિટલ પ્રશાસન અને અધિકારીઓના જણાવ્યા મુજબ તમામ 5 ઇજાગ્રસ્તોની હાલત હાલ સ્થિર છે અને તેમની સારવાર ચાલી રહી છે.

મુંબઈમાં ગણેશોત્સવ અને પંડાલ મંજૂરીના આંકડા

મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ ભવ્ય સ્તરે ઊજવવામાં આવે છે. આ 10 દિવસીય ઉત્સવમાં ઘરો ઉપરાંત સાર્વજનિક પંડાલોમાં મોટી-મોટી પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવે છે. મૂર્તિઓને પંડાલ સુધી લાવવા માટે આવા આગમન સરઘસો કાઢવામાં આવતા હોય છે જેમાં મોટી સંખ્યામાં ભક્તો એકઠા થાય છે.

વિગત / વર્ષ
વર્ષ 2022
વર્ષ 2026 (ચાલુ વર્ષ)
પંડાલ માટે આવેલી અરજીઓ
3,487
3,767
BMC દ્વારા મંજૂર કરાયેલી પરવાનગીઓ
2,417
2,729
ગણેશ ચતુર્થીની તારીખ
-
14 સપ્ટેમ્બર