Mumbai

ભારે ઉલટફેર : મહારાષ્ટ્રના નવા ‘નાથ’ બનશે એકનાથ શિંદે

By GS Team
30 Jun 20222 mins read
This article was originally published on 30 Jun 2022
ભારે ઉલટફેર : મહારાષ્ટ્રના નવા ‘નાથ’ બનશે એકનાથ શિંદે

મુંબઈ, તા. 30 જૂન 2022, ગુરૂવાર

મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકારને પાડીને શિવસેનાને ધૂંટણીયે પાડનાર એકનાથ શિંદેને બીજેપીએ મુખ્યમંત્રી જાહેર કર્યા છે. મોટા ઉલેટફેરમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના દાવેદાર ગણાતા દેવેન્દ્ર ફડણવીસે જ પત્રકાર પરિષદ યોજીને મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે એકનાથ શિંદેના નામની રજૂઆત કરી છે.

રાજ્યપાલ ભગત સિંહ કોશિયારી સાથે મળીને સરકાર રચવાનો પ્રસ્તાવ રજૂ કર્યા બાદ પ્રેસ કોન્ફરન્સમાં એકનાશ શિંદેને આગામી 5 વર્ષ માટે નવી સરકારના મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત ફડણવીસે જ કરી છે.

ફડણવીસે કહ્યું કે આજે એકમાત્ર મુખ્યમંત્રીના જ શપથ યોજાશે. આજે સાંજે 7.30 વાગે નવા મુખ્યમંત્રી તરીકે રાજતિલક કરશે. નવા કેબિનેટની જાહેરાત ટૂંક સમયમાં થવાની સંભાવના છે.

બુધવારે મુખ્યમંત્રી પદ પરથી ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપ્યા બાદથી જ નવી સરકારના ગઠન બાદ કોને કેબિનેટમાં સ્થાન મળી શકે તેને લઈને અનેક અટકળો ચાલું થઈ ગઈ છે. અહીં સંભવિત નામ આપવામાં આવ્યા છે જેના પર ભાજપના નેતૃત્વ વાળી સરકારમાં નવું મંત્રી મંડળ અને મંત્રી પરિષદમાં વિચાર કરવામાં આવી શકે છે. 


આવું હોઈ શકે છે  કેબિનેટ

- ચંદ્રકાન્ત પાટિલ

- સુધીર મુનગંટીવાર

- ગિરીશ મહાજન

- આશિષ શેલારી

- પ્રવીણ દરેકરી

- ચંદ્રશેખર બાવનકુળે

- વિજયકુમાર દેશમુખ કે સુભાષ દેશમુખ

- ગણેશ નાયકુ

- રાધાકૃષ્ણ વિખે પાટીલ

- સંભાજી પાટીલ નિલંગેકર

- મંગલ પ્રભાત લોઢા

- સંજય કુટે

- રવિન્દ્ર ચવ્હાણ

- ડો અશોક ઉઇકે

- સુરેશ ખાડે 

- જયકુમાર રાવલી

- અતુલ સેવ

- દેવયાની ફરાંડે

- રણધીર સાવરકર

- માધુરી મિસાલી

રાજ્ય મંત્રી

- પ્રસાદ લાડી

- જયકુમાર ગોરે 

- પ્રશાંત ઠાકુર

- મદન યેરાવરી

- મહેશ લાંડગે અથવા રાહુલ કુલી

- નિલય નાયકો

- ગોપીચંદ પડલકર

- બંટી બંગાડિયા

ટીમ શિંદેમાંથી મહારાષ્ટ્ર કેબિનેટના સંભાવિત મંત્રી

- ગુલાબરાવ પાટિલ

- ઉદય સામંત

- દાદા ભૂસે

- અબ્દુલ સત્તાર

- સંજય રાઠોર

- શંભૂરાજ દેસાઈ

- બચ્ચૂ કડૂ

- તાનાજી સાવંત

- દીપક કેસરકર

- સંદીપન ભૂમરે

- સંજય શિરસાતો 

- ભારત ગોગાવલે