Mumbai

સમીર વાનખેડેની એનસીબી દ્વારા પૂછપરછ સામે હાઈકોર્ટનો સ્ટ

By GS Team
31 Jul 20261 min read
TukuTouch Logo
મુંબઈ હાઈકોર્ટે NCBના પૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેને વચગાળાનું રક્ષણ આપ્યું છે. સુશાંત સિંહ રાજપૂત સહિતના 2 કેસમાં કથિત ગેરરીતિ બદલ તેમને પૂછપરછ માટે બોલાવવામાં નહીં આવે. વાનખેડેએ NCBની નોટિસને હાઈકોર્ટમાં પડકારી હતી. કોર્ટે તેમની અરજીનો અંતિમ નિકાલ ન આવે ત્યાં સુધી પૂછપરછ નહીં કરવા તાકીદ કરી છે. આ તપાસ પૂર્વ મંત્રી નવાબ મલિકના કહેવાથી થઈ હોવાનો વાનખેડેનો આરોપ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સમીર વાનખેડેની એનસીબી દ્વારા પૂછપરછ સામે હાઈકોર્ટનો સ્ટ

સુશાંત રાજપૂત સહિતના બે કેસમાં નોટિસ જારી થઈ હતીે

અરજીનો  કાયમી નિકાલ આવે નહીં ત્યાં સુધી પૂછપરછ માટે નહીં  બોલાવવા હાઈકોર્ટની તાકીદ

મુંબઈ -  બે કેસોમાં કથિત ગેરરીતિ બદલ શરૃ કરાયેલી તપાસમાં પૂછપરછ કરવા સામે એનસીબીના ભૂતપૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેને તેમની અરજીના અંતિમ નિકાલ સુધી બોમ્બે હાઈ કોર્ટે વચગાળાનું રક્ષણ આપ્યું છે.

૨૦૦૮ના ઈન્ડિયન રેવેન્યુ સર્વિસ (આઈઆરએસ) બેચના વાનખેડેએ ૨૦૨૪માં હાઈકોર્ટમાં અરજી કરીને પોતાને એનસીબીની તાપાસ માટે જારી કરેલી નોટિસને પડકારી હતી. આમાં એક કેસ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સંબંધી હતો.

એનસીબીએ આ તપાસ બે અજ્ઞાાન ફરિયાદને આધારે શરૃ કરાયાનો દાવો કર્યો હતો જ્યારે વાનખેડેએ આરોપ કર્યો હતો કે ભૂતપૂર્વ પ્રધાન નવાબ મલિકના રહેવાથી તપાસ થઈ રહી છે. મલિકના જમાઈ સમીર ખાનની ડ્રગ કેસમાં ધરપકડ કરાઈ હોવાથી વેર વાળવા આમ કરાયાનો વાનખેડેએ દાવો કર્યો હતો.

કોર્ટે વાનખેડેની અરજીને સ્વીકારી છે અને અરજીનો અંતિમ નિકાલ આવે નહીં ત્યાં સુધી તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવે નહીં તેમ જણાવ્યું છે.

રાજપૂતે ૨૦૨૦માં નિવાસસ્થાને આત્મહત્યા કરી હતી. એનસીબીએ ફિલ્મ ઉદ્યોગમાં ડ્રગ્સના વપારશ અંગે તપાસ શરૃ કરી હતી. બાદમાં એનસીબીને વાનખેડે સામે જ તપાસમાં ગેરરીતિની ફરિયાદો મળી હતી આથી તેમને નોટિસ જારી કરાઈ હતી.