Mumbai

ગણેશોત્સવમાં લાલબાગના બ્રિજ ઉપર ગ્રીન કવર કરવામાં આવશે

By GS Team
25 Aug 20261 min read
TukuTouch Logo
મુંબઈના લાલબાગ ફલાયઓવર પર ગણેશોત્સવ દરમિયાન ભીડ ટાળવા અને દુર્ઘટના રોકવા માટે એક નવી પહેલ કરાઈ છે. મુંબઈ મહાપાલિકા, પોલીસ અને ટ્રાફિક પોલીસે મળીને બ્રિજની એક તરફ લીલો પડદો લગાવવાનો નિર્ણય લીધો છે. લોકો કઠેડા પરથી નીચે ન જુએ અને પુલ પર ભીડ ન થાય તે માટે આ ગ્રીન-કવર કરાશે, જેથી અકસ્માત અને ટ્રાફિક જામ ટાળી શકાય.

Summarized by AI; it may make mistakes. Check important info

ગણેશોત્સવમાં લાલબાગના બ્રિજ ઉપર ગ્રીન કવર કરવામાં આવશે

કોઈ દુર્ઘટના ટાળવા માટે પગલાં

પૂલ પર ઉભા રહી લોકો ભીડ ન કરે અને કઠેડા પરથી જોવાનું જોખમ ન લે માટે લીલો પડદો

મુંબઇ  -  ગણેશોત્સવમાં  બાપ્પાના આગમન વખતે તેમ જ વિસર્જનયાત્રા વખતે લાલબાગના ફલાયઓવર પર લોકોની ભીડ જામતી હોય છે એટલું જ નહીં પૂલના કઠેડા પરથી જોખમ ઉઠાવી નીચે જોતા હોય છે એટલે જ આ વખતે પહેલી જ વાર પૂલની એક તરફ ગ્રીન-કવર કરવામાં આવશે.

લાલબાગ-પરેલ પરિસરમાં  ગણેશોત્સવ વખતે સૌથી વધુ ભીડ જોવા મળે છે. એમાં પણ શનિ-રવિ દરમ્યાન પ્રચંડ ભીડ જામતી હોય છે.

આમાં લાલબાગ ફલાયઓવર પર લોકો ભેગા થાય છે તેને કારણે વાહનોની અવરજવર પર અસર થાય છે, એટલું જ નહીં પણ પૂલ પરથી નીચે જોતી વખતે કોઇ ઉથલી પડે એવી પણ શક્યતા રહે છે.

એટલે જ મુંબઇ મહાપાલિકા, સિટી પોલીસ અને ટ્રાફિક પોલીસે મળીને બ્રિજની એક તરફ લીલા રંગનો પડદો બાંધીને ગ્રીન-કવર કરવાનો ઉપાય અજમાવવાનો નિર્ણય લીધો છે. પરિણામે ફલાયઓવર બ્રિજ ઉપર અકસ્માતની કે ટ્રાફિક જામની શક્યતા નહીં રહે.