Mumbai

'અંજામ ભુગતના પડેગા...' આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે ધમકી

By GS Team
18 Jul 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં અભિનેતા આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈના સહયોગીઓ હોવાનો દાવો કરનારાઓ તરફથી ધમકી મળી છે. સોશિયલ મીડિયા પોસ્ટ અને વોઇસ નોટ દ્વારા આમિર પર "લવ જેહાદ" ને પ્રોત્સાહન આપવાનો આરોપ મુકાયો છે. મુંબઈ પોલીસ કમિશનર દેવેન ભારતીએ આ મામલે તપાસની પુષ્ટિ કરી છે. જોકે, આમિર કે તેના પ્રતિનિધિઓ દ્વારા હજુ સુધી કોઈ ઔપચારિક ફરિયાદ નોંધાઈ નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

'અંજામ ભુગતના પડેગા...' આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે ધમકી

મુંબઈ: બોલિવૂડ અભિનેતા આમિર ખાનને જેલમાં બંધ ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઈના સહયોગી હોવાનો દાવો કરનારા વ્યક્તિઓ તરફથી ધમકી મળી હતી. પોલીસ વાયરલ સોશિયલ મીડિયા પોસ્ટ અને એક વોઇસ નોટની સત્યતા ચકાસી રહી છે જેમાં અભિનેતા પર લવ જેહાદને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
મુંબઈ પોલીસ કમિશનર દેવેન ભારતીએ પુષ્ટિ આપી કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. ભારતીએ કહ્યું કે અમે સોશિયલ મીડિયા પોસ્ટ અને વોઇસ ક્લિપની સત્યતા ચકાસી રહ્યા છીએ.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ખાન કે તેમના પ્રતિનિધિઓ દ્વારા અત્યાર સુધી કોઈ ઔપચારિક ફરિયાદ નોંધાઈ નથી. આ કથિત ધમકી સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આપવામાં આવી હતી. એમાં એક વોઇસ નોટ પણ હતી જે બે વ્યક્તિઓ દ્વારા શેર કરવામાં આવી હતી. તેઓ પોતાને આરઝુ બિશ્નોઈ અને ટાયસન બિશ્નોઈ તરીકે ઓળખાવતા હતા.
વાયરલ ક્લિપમાં તેમણે લોરેન્સ બિશ્નોઈના સહયોગી હોવાનો દાવો કર્યો હતો અને ખાન પર ગૌરી સ્પ્રેટ સાથેના તેના તાજેતરના લગ્નના સંદર્ભમાં લવ જેહાદને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂક્યો હતો. તેમણે કથિત રીતે ચેતવણી આપી હતી કે આવા કૃત્યોને પ્રોત્સાહન આપનારાઓને પરિણામો ભોગવવા પડશે.
લવ જેહાદ શબ્દનો ઉપયોગ જમણેરી જૂથો દ્વારા મુસ્લિમ પુરુષો દ્વારા હિન્દુ મહિલાઓને સંબંધો અને લગ્નમાં ફસાવવા અને તેમને ઇસ્લામમાં ધર્માતરણ કરવાના કાવતરાનો આરોપ લગાવવા માટે કરવામાં આવે છે.
આ વોઇસ નોટમાં રાજસ્થાનના શ્રી ગંગાનગર જિલ્લામાં ૧૩ વર્ષની એક છોકરીના તાજેતરના કેસનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ સગીરાનું અપહરણ કરી જાતીય હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલામાં રાજકીય નેતાઓને કોઈપણ આરોપીને બચાવવા સામે ચેતવણી આપવામાં આવી હતી.

આ ધમકી અંગેના દાવાઓની સ્વતંત્ર રીતે ચકાસણી કરવામાં આવી નથી.
બિશ્નોઈ અને તેના સિન્ડિકેટ દ્વારા કથિત રીતે વર્ષોથી અભિનેતા સલમાન ખાનને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. રાજસ્થાનમાં ૧૯૯૮માં થયેલા કાળિયાર શિકાર કેસના લીધે બિશ્નોઈ ગેંગ દ્વારા ૨૦૨૪ માં મુંબઈમાં ખાનના નિવાસસ્થાને ગોળીબાર, સતત મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.
આ વર્ષની શરૂઆતમાં મુંબઈના જુહુ વિસ્તારમાં ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટીના ઘરના પહેલા માળે ઓછામાં ઓછા પાંચ રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો.એમાંથી એક ગોળી બિલ્ડિંગની અંદરના જીમના કાચ પર વાગી હતી.