Gujarat

ઘાટલોડિયા,મકતમપુરામાં ગેરકાયદે બાંધકામ તોડી પડાયા

By GS Team
25 Feb 20221 min read
This article was originally published on 25 Feb 2022
ઘાટલોડિયા,મકતમપુરામાં ગેરકાયદે બાંધકામ તોડી પડાયા

  અમદાવાદ,શુક્રવાર,25 ફેબ્રુ,2022

અમદાવાદના ઘાટલોડિયા અને મકતમપુરા ઉપરાંત થલતેજ વોર્ડમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ તરફથી ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા.

ઘાટલોડિયા વોર્ડમાં ટી.પી.સ્કીમ.નંબર-૨,ઘાટલોડિયાના ચાંદલોડિયા રેલવે સ્ટેશન સામેના સમાંતર ૯ મીટરના રોડ ઉપર કપાતમાં જતી દસ દુકાન અને છ રહેણાંકના પાર્ટ બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા.થલતેજ વોર્ડમાં કલહાર એકઝોટીકા પાસે ૧૭૦૦ ચોરસફુટના બાંધકામને તોડી પાડવામાં આવ્યુ હતું.મકતમપુરા વોર્ડમાં રહેણાંક અને કોમર્શિયલ હેતુ માટે બાંધવામાં આવેલા એક-એક યુનિટ સહિતકુલ છ બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા.