Lifestyle & Fashion

ડાયાબિટીસથી બચવું હોય તો દરરોજ કરો આ કસરત, ફક્ત ચાલવાથી કંઇ નહીં થાય, રિસર્ચમાં દાવો

By GS Team
14 Sep 20262 mins read
TukuTouch Logo
ભારતમાં 10 કરોડથી વધુ ડાયાબિટીસના દર્દીઓ માટે મહત્ત્વના સમાચાર છે. JAMA Network Openના તાજા અભ્યાસ મુજબ, ડાયાબિટીસ નિયંત્રણ માટે માત્ર ચાલવું પૂરતું નથી. 1.43 લાખથી વધુ લોકો પર થયેલા સંશોધનમાં જણાયું કે, ચાલવા સાથે સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરવાથી બ્લડ સુગરનું નિયંત્રણ વધુ અસરકારક બને છે. સ્ક્વૅટ્સ, પુશ-અપ્સ અને હળવા ડમ્બેલ્સ જેવી કસરતો સ્નાયુઓને મજબૂત કરી ગ્લુકોઝ શોષણ સુધારે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ડાયાબિટીસથી બચવું હોય તો દરરોજ કરો આ કસરત, ફક્ત ચાલવાથી કંઇ નહીં થાય, રિસર્ચમાં દાવો

Walking Alone Not Enough Study Recommends Strength Training For Diabetes Control: ભારતમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા 10 કરોડને વટાવી ચૂકી છે. મોટાભાગના લોકો બ્લડ શુગર નિયંત્રણમાં રાખવા માટે દરરોજ 4થી 5 હજાર પગલાં ચાલતા હોય છે. દરરોજ ચાલવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ આ બીમારીને અસરકારક રીતે નિયંત્રિત કરવા માટે માત્ર ચાલવું પૂરતું નથી. જાણીતા મેડિકલ જર્નલ JAMA Network Openમાં પ્રકાશિત 2026ના એક તાજા અભ્યાસમાં ખુલાસો થયો છે કે ડાયાબિટીસના વધુ સારા નિયંત્રણ માટે વૉકિંગની સાથોસાથ સ્ટ્રેન્થ ટ્રેનિંગ પણ અત્યંત જરૂરી છે.

1.43 લાખથી વધુ લોકો પર થયેલું સંશોધન

JAMA Network Openમાં પ્રકાશિત આ મોટા રિસર્ચમાં 1.43 લાખથી વધુ લોકોના લાંબા ગાળાના હેલ્થ ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. સંશોધનમાં જાણવા મળ્યું કે જે લોકો નિયમિત ચાલવાની સાથે સ્ટ્રેન્થ કે રેઝિસ્ટન્સ કસરતો કરતા હતા, તેમનામાં બ્લડ શુગરનું નિયંત્રણ માત્ર ચાલનારા લોકો કરતાં ઘણું બહેતર રહ્યું હતું. અભ્યાસ મુજબ વૉકિંગ બંધ કરવાની જરૂર નથી, પરંતુ તેની સાથે ચોક્કસ પ્રકારની સ્ટ્રેન્થ ટ્રેનિંગ ઉમેરવી અનિવાર્ય છે.

કઈ એક્સરસાઇઝ કરવી સૌથી વધુ ફાયદાકારક?

રિપોર્ટ અનુસાર, એરોબિક કસરતો સાથે રેઝિસ્ટન્સ ટ્રેનિંગ કરવાથી ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ નોંધપાત્ર રીતે ઘટી જાય છે. આ માટે નીચે મુજબની કસરતો દિનચર્યામાં સામેલ કરી શકાય છે:

  • સ્ક્વૅટ્સ અને લંજીસ
  • સ્ટેપ-અપ અને પુશ-અપ્સ
  • રેઝિસ્ટન્સ બેન્ડ
  • હળવા ડમ્બેલ્સ

આ તમામ એક્સરસાઇઝ કરવાથી શરીરના સ્નાયુઓ મજબૂત બને છે અને હંમેશા સક્રિય રહે છે.

શરીરમાં કેવી રીતે ફાયદો પહોંચાડે છે સ્ટ્રેન્થ ટ્રેનિંગ?

જ્યારે આપણે ભોજન લઈએ છીએ ત્યારે શરીરમાં ઉત્પન્ન થતા ગ્લુકોઝનો મોટો હિસ્સો સ્નાયુઓ સુધી પહોંચે છે. ઇન્સ્યુલિન આ ગ્લુકોઝને શરીરના કોષો સુધી પહોંચાડવાનું કામ કરે છે. જ્યારે સ્નાયુઓ કસરતના લીધે સક્રિય અને મજબૂત હોય છે, ત્યારે શરીરની ગ્લુકોઝને શોષવાની અને બાળવાની ક્ષમતામાં સુધારો થાય છે, જેનાથી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને નિયંત્રિત કરવામાં સીધી મદદ મળે છે.

કાર્ડિયો અને સ્ટ્રેન્થનું શ્રેષ્ઠ કોમ્બિનેશન જરૂરી

નિષ્ણાતોના મતે માત્ર ચાલવું કે માત્ર વજન ઊંચકવું યોગ્ય નથી, બંનેનું સંતુલન સૌથી શ્રેષ્ઠ પરિણામ આપે છે:

  • વોકિંગ, જોગિંગ કે સાઇકલિંગ જેવી એરોબિક એક્ટિવિટી દરરોજ ચાલુ રાખો.
  • અઠવાડિયામાં ઓછામાં ઓછા 2થી 3 દિવસ સ્ટ્રેન્થ ટ્રેનિંગ માટે ફાળવો.

દિલ્હીની રાજીવ ગાંધી હોસ્પિટલના એસોસિયેટ પ્રોફેસર ડૉ. અઝીઝ જૈનના જણાવ્યા અનુસાર, આ એક ઓબ્ઝર્વેશનલ સ્ટડી હોવાથી તે એવો દાવો નથી કરતો કે કસરત કરવાથી ડાયાબિટીસ સંપૂર્ણપણે ગાયબ થઈ જશે, પરંતુ તે બ્લડ શુગરને કાબૂમાં રાખવા અને જોખમ ઘટાડવામાં મોટો ભાગ ભજવે છે. આ સાથે જ વ્યક્તિએ પોતાની જીવનશૈલી, ઊંઘ અને આહાર પર યોગ્ય ધ્યાન આપવું પણ એટલું જ જરૂરી છે.