જામનગર શહેરમાં ગણેશોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે એસ.પી.ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિ અને આયોજકો સાથે બેઠક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Ganeshotsav : જામનગર શહેરમાં ગણેશોત્સવનો પવિત્ર તહેવાર શાંતિપૂર્ણ અને સુમેળભર્યા માહોલમાં ઉજવાય તે માટે જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીની અધ્યક્ષતામાં ખાસ બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં શહેરના વિવિધ ગણેશ મંડળોના આયોજકો તેમજ શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન ગણેશોત્સવની ઉજવણી દરમિયાન કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે, ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ વડા દ્વારા આયોજકોને જરૂરી માર્ગદર્શન અને મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી હતી. ગણેશ મંડળોના આયોજકોને પોલીસ તંત્ર સાથે સંકલન જાળવી તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ રીતે કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો હતો.
પોલીસ તંત્ર દ્વારા ગણેશોત્સવ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા અને ટ્રાફિક નિયમોના પાલનને પ્રાધાન્ય આપી જરૂરી આયોજન કરવામાં આવ્યું હોવાનું બેઠકમાં જણાવાયું હતું.




