જામનગરમાં નવ પરિણીતાએ અકળ કારણોસર ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: જામનગરના લાલપુર ચોકડી પાસે આવેલા કર્મચારીનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતી એક નવ પરિણીતાએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે પંચ ‘બી’ ડિવિઝન પોલીસે અકુદરતી મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસમાં નોંધાયેલી વિગતો મુજબ કર્મચારીનગર ઝૂંપડપટ્ટીમાં રહેતી મનિષાબેન દિનેશભાઈ બારિયા (ઉ.વ. 20) એ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો. ગળાના ભાગે ગંભીર ઇજા થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે તેમના પતિ દિનેશભાઈ બારિયાએ પોલીસને જાણ કરતાં પોલીસે આકસ્મિક મ્રુત્યુની નોંધ કરી મૃત્યુના ચોક્કસ કારણ અંગે તપાસ શરૂ કરી છે.









